અમદાવાદમાં રહેતા 108 પાકિસ્તાની નાગરિકોને મળી ભારતીય નાગરિકતા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા


  • Published By :
  • Published Date : 2023-09-12 16:25:06

ભારતના ભાગલા વખતે લાખો હિંદુઓએ નવા દેશ પાકિસ્તાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો. જો કે ભાગલાના 74 વર્ષ પછી પાકિસ્તાનમાં રહેતા લાખો લઘુમતી હિંદુઓ તેમના આ નિર્ણય માટે પસ્તાઈ રહ્યા છે. આજે હજારો પાકિસ્તાનથી ભાગીને આવેલા હિંદુઓ ભારતમાં નિર્વાસિત જીવન ગુજારી રહ્યા છે. અમદાવાદમાં આજે  108 જેટલા લોકોને પાકિસ્તાની મૂળના હિંદુઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108 વ્યક્તિઓને હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયા ત્યારે તે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 


હર્ષ સંઘવીએ શું કહ્યું?


નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં ઉપસ્થિત રહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ "કેમ છો બધા? કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે, 'મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.' એટલું જ નહિ આજે વસુધૈવ કુટુંબકમની ભાવના પણ સાર્થક થઈ છે. ગુજરાતમાં તમે સૌ સલામતીનો અનુભવ કરી શકશો. આ અવસરે ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને અભિનંદન પાઠવતાં મંત્રીએ કહ્યું કે, તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો, એવી અપેક્ષા છે. મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, આજે અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા 108 પરિવારોના ઘરોમાં દિવાળી જેવો એક માહોલ છે કેમ કે આજે તેઓ ભારતના નાગરિક બન્યા છે. ઘરમાં એક બાળકનો જન્મ થાય ત્યારે કેવો ખુશીનો માહોલ હોય છે તેઓ જ માહોલ આજે આપ સૌના પરિવારજનોમાં દેખાઈ રહ્યો છે.ગૃહ રાજયમંત્રીએ વધુમાં કહ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબદ્ધ છે. સ્થળાંતરિત થયેલા લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે 108 નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહ્યા છે.


લાભાર્થીઓએ વહીવટી તંત્રનો આભાર માન્યો


લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ઝડપ માટે આભાર વ્યક્ત કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1149થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને નવજીવન આપનાર અમદાવાદના કલેક્ટર તથા સમગ્ર અમદાવાદ જિલ્લાની વહીવટી ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ નાગરિકત્વ મળવાની સાથે જ સમગ્ર દેશમાં 2016થી સૌથી વધુ 1149 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં પ્રથમ સ્થાને રહ્યું છે.


કાર્યક્રમમાં આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત


આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડિકે, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, નારણપુરાના ધારાસભ્ય જિતુ પટેલ, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, નરોડાનાં ધારાસભ્ય પાયલ કુકરાની, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, સિંઘ માઈનોરિટી કમિશનમાં સભ્યો, હેલ્પિંગ હેન્ડ સંસ્થાના સભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.



નાગરિક્તા માટે શું છે ભારત સરકારનો કાયદો?


ભારત સરકાર દ્વારા અન્ય દેશ પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ રાષ્ટ્રમાં રહેતા લઘુમતી ધરાવતા હિન્દુ જૈન પારસી અને ક્રિશ્ચન જેવા ધર્મના લોકોને છેલ્લા દસ વર્ષથી પણ વધારે કે દસ વર્ષથી ભારતમાં રહેતા લોકોને ભારતીય નાગરિકત્વ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભારત સરકારે  વર્ષ 2016 અને 2018ના ગેઝેટમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરોને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.