આણંદના તારાપુરમાંથી પાકિસ્તાની જાસુસની ધરપકડ, પાક ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં હોવાનો થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-10-20 15:02:58

ગુજરાતના આણંદ જિલ્લામાં રહીને પાકિસ્તાન માટે જાસુસી કરતા એક ગુપ્તચરની ગુજરાત એટીએ ધરપકડ કરી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડે ભારતીય સેનાની મિલિટરી ઈન્ટેલિજન્સ (MI) દ્વારા આપવામાં આવેલા ચોક્કસ ઈનપુટના આધારે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી એક પાકિસ્તાની જાસૂસી એજન્ટ લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડતા હડકંપ મચી ગયો છે. આણંદના તારાપુરમાંથી પાકિસ્તાનના જાસૂસની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાની જાસૂસી એજન્સીને ભારતીય ચલણ અને સીમ કાર્ડ મોકલતો હતો.  મૂળ પાકિસ્તાની હિંદુ એવા આ જાસુસ લાભશંકરની પૂછપરછ દરમિયાન હજુ વધુ ખુલાસા થવાની શક્યતા છે.  


પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં હતો


ગુજરાત ATS (Anti-Terrorism Squad) ટીમે આરોપીની અટકાયત કરી પ્રારંભિક પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, લાભશંકર મહેશ્વરી મૂળ પાકિસ્તાની હિન્દુ છે જે 1999માં તેની પત્ની સાથે પ્રજનન સારવાર માટે ભારત આવ્યો હતો. શરૂઆતમાં તે તારાપુરમાં તેના સાસરિયાના ઘરે રહેતો હતો.  તેણે લાંબા ગાળાના વિઝા એપ્લાય કરવાનું ચાલુ રાખ્યું અને તેના સાસરિયાઓના સમર્થનથી તારાપુરમાં કરિયાણાની દુકાન, અનેક ભાડે આપેલી દુકાનો/સ્ટોર અને પોતાનું એક ઘર સાથે પોતાને એક સફળ વેપારી બન્યો હતો. આ દરમ્યાન આ દંપતીને કોઈ બાળક ન હતુ. ત્યારબાદ તેમને 2006માં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. ગુજરાત એટીએસને એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી લાભ શંકર વર્ષ 1922માં તેના માતા પિતાની મુલાકાતે પાકિસ્તાન પણ ગયો હતો. વળી તે પાકિસ્તાનમાં ખેતીવાડી પણ કરતો હતો. આ સમયગાળા દરમિયાન જ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI)ના સંપર્કમાં આવ્યો હતો અને તેણે પાકિસ્તાન માટે જાસુસી કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લાભશંકર ઈન્ડિયન આર્મીના જવાનોના મોબાઈલ નંબર પહોંચાડતો હતો. ટેકનોલોજીથી ડિફેન્સના કર્મચારીઓના નંબર મોકલતો હોવાનો ખુલાસો પણ થયો હતો. જાસૂસીના બદલામાં પાકિસ્તાન લાભશંકરને મોટી રકમ મેળવતો હતો.


કોર્ટમાં રજુ કરી કસ્ટડી મેળવશે પોલીસ


પાકિસ્તાની એજન્ટ લાભશંકર વોટ્સએપ નંબર પર ભારતીય નાગરિકોના મોબાઇલ સાથે ચેડા કરીને તેમાંથી માહિતી મેળવીને પાકિસ્તાન એજન્સીને પણ મોકલતો હતો. જેથી તેણે ભારતીય IT અધિનિયમનું ઉલ્લંઘન કર્યાનું સામે આવ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે આરોપીની સંડોવણીને લગતા તમામ પાસાને ગુજરાત પોલીસ એટીએસ દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. બાદમાં ટૂંક સમયમાં સ્થાનિક કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી માટે રિમાન્ડ મેળવશે.


પાકિસ્તાની એમ્બેસીની સંડોવણીની પણ થશે તપાસ


દિલ્હીમાં પાકિસ્તાની એમ્બેસીની સંડોવણી છે કે નહી તેની ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. વ્હોટ્સએપના OTP મોકલવાનું કામ લાભશંકર કરતો હતો. તેણે જામનગરના બે વ્યક્તિના નામ પરથી સીમકાર્ડ ખરીદ્યુ હતું. જેના નામ સીમ કાર્ડ છે તે વ્યક્તિ હાલ ભારતની બહાર છે. શકલીન સોમાલિયા અને અઝગર હાલમાં દુબઈમાં છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .