આણંદના તારાપુરમાંથી પાકિસ્તાની જાસુસની ધરપકડ, પાક ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં હોવાનો થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-10-20 15:02:58

ગુજરાતના આણંદ જિલ્લામાં રહીને પાકિસ્તાન માટે જાસુસી કરતા એક ગુપ્તચરની ગુજરાત એટીએ ધરપકડ કરી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડે ભારતીય સેનાની મિલિટરી ઈન્ટેલિજન્સ (MI) દ્વારા આપવામાં આવેલા ચોક્કસ ઈનપુટના આધારે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી એક પાકિસ્તાની જાસૂસી એજન્ટ લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડતા હડકંપ મચી ગયો છે. આણંદના તારાપુરમાંથી પાકિસ્તાનના જાસૂસની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાની જાસૂસી એજન્સીને ભારતીય ચલણ અને સીમ કાર્ડ મોકલતો હતો.  મૂળ પાકિસ્તાની હિંદુ એવા આ જાસુસ લાભશંકરની પૂછપરછ દરમિયાન હજુ વધુ ખુલાસા થવાની શક્યતા છે.  


પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં હતો


ગુજરાત ATS (Anti-Terrorism Squad) ટીમે આરોપીની અટકાયત કરી પ્રારંભિક પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, લાભશંકર મહેશ્વરી મૂળ પાકિસ્તાની હિન્દુ છે જે 1999માં તેની પત્ની સાથે પ્રજનન સારવાર માટે ભારત આવ્યો હતો. શરૂઆતમાં તે તારાપુરમાં તેના સાસરિયાના ઘરે રહેતો હતો.  તેણે લાંબા ગાળાના વિઝા એપ્લાય કરવાનું ચાલુ રાખ્યું અને તેના સાસરિયાઓના સમર્થનથી તારાપુરમાં કરિયાણાની દુકાન, અનેક ભાડે આપેલી દુકાનો/સ્ટોર અને પોતાનું એક ઘર સાથે પોતાને એક સફળ વેપારી બન્યો હતો. આ દરમ્યાન આ દંપતીને કોઈ બાળક ન હતુ. ત્યારબાદ તેમને 2006માં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. ગુજરાત એટીએસને એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી લાભ શંકર વર્ષ 1922માં તેના માતા પિતાની મુલાકાતે પાકિસ્તાન પણ ગયો હતો. વળી તે પાકિસ્તાનમાં ખેતીવાડી પણ કરતો હતો. આ સમયગાળા દરમિયાન જ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI)ના સંપર્કમાં આવ્યો હતો અને તેણે પાકિસ્તાન માટે જાસુસી કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લાભશંકર ઈન્ડિયન આર્મીના જવાનોના મોબાઈલ નંબર પહોંચાડતો હતો. ટેકનોલોજીથી ડિફેન્સના કર્મચારીઓના નંબર મોકલતો હોવાનો ખુલાસો પણ થયો હતો. જાસૂસીના બદલામાં પાકિસ્તાન લાભશંકરને મોટી રકમ મેળવતો હતો.


કોર્ટમાં રજુ કરી કસ્ટડી મેળવશે પોલીસ


પાકિસ્તાની એજન્ટ લાભશંકર વોટ્સએપ નંબર પર ભારતીય નાગરિકોના મોબાઇલ સાથે ચેડા કરીને તેમાંથી માહિતી મેળવીને પાકિસ્તાન એજન્સીને પણ મોકલતો હતો. જેથી તેણે ભારતીય IT અધિનિયમનું ઉલ્લંઘન કર્યાનું સામે આવ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે આરોપીની સંડોવણીને લગતા તમામ પાસાને ગુજરાત પોલીસ એટીએસ દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. બાદમાં ટૂંક સમયમાં સ્થાનિક કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી માટે રિમાન્ડ મેળવશે.


પાકિસ્તાની એમ્બેસીની સંડોવણીની પણ થશે તપાસ


દિલ્હીમાં પાકિસ્તાની એમ્બેસીની સંડોવણી છે કે નહી તેની ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. વ્હોટ્સએપના OTP મોકલવાનું કામ લાભશંકર કરતો હતો. તેણે જામનગરના બે વ્યક્તિના નામ પરથી સીમકાર્ડ ખરીદ્યુ હતું. જેના નામ સીમ કાર્ડ છે તે વ્યક્તિ હાલ ભારતની બહાર છે. શકલીન સોમાલિયા અને અઝગર હાલમાં દુબઈમાં છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.