હરિયાણાના સોનીપતમાં યોજાઈ પંચાયત, પંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા સાક્ષી મલિક અને બજરંગ પુનિયા! સાંભળો શું કહ્યું બજરંગ પુનિયાએ?


  • Published By :
  • Published Date : 2023-06-10 14:31:33

બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી જંતર મંતર ખાતે પહેલવાનોએ ધરણા કર્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ધરણા સ્થળ પરથી ધરણા ખતમ કરી દીધા પરંતુ કુસ્તીબાજોએ વિરોધ યથાવત રાખ્યો છે. આ બધા વચ્ચે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજોની પંચાયત યોજાઈ છે. આ પંચાયતમાં સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા પહોંચ્યા હતા. પંચાયતમાં પહોંચ્યા બાદ બજરંગ પુનિયાએ કહ્યું કે અમે અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે જે વાતચીત કરી હતી, અમે તે બાબતે પંચાયતને જણાવવા આવ્યા છીએ, કારણ કે અમે બધું પંચાયતને સોંપી દીધું છે.        

खाप पंचायत में हिस्सा लेने के लिए पहुंचे बजरंग पूनिया और साक्षी मलिक।

સોનીપતમાં યોજાઈ કુસ્તીબાજોની પંચાયત!

સોનીપતના છોટુરામ ધર્મશાળામાં કુસ્તીબાજોએ પંચાયતનું આયોજન કર્યું છે. આ પંચાયતમાં ભાગ લેવા સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા પહોંચ્યા હતા. ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. થોડા સમય પહેલા અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. ત્યારે આજે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજોની પંચાયત યોજાઈ છે.

અમે બધું પંચાયત પર છોડી દીધું છે - બજરંગ પુનિયા  

પંચાયતમાં હાજર રહેલા બજરંગ પુનિયાએ નિવેદન આપતા કહ્યું- અમે અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે જે વાતચીત કરી હતી, અમે તે બાબતે પંચાયતને જણાવવા આવ્યા છીએ, કારણ કે અમે બધું પંચાયતને સોંપી દીધું છે. વડીલો જે નિર્ણય લેશે તે કુસ્તીબાજો સ્વીકારશે. મહત્વનું છે કે નાબાલિક દીકરીના પિતાએ નિવેદન આપ્યું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બદલો લેવા તેમણે કેસ કર્યો હતો. ત્યારે જોવું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.