હરિયાણાના સોનીપતમાં યોજાઈ પંચાયત, પંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા સાક્ષી મલિક અને બજરંગ પુનિયા! સાંભળો શું કહ્યું બજરંગ પુનિયાએ?


  • Published By :
  • Published Date : 2023-06-10 14:31:33

બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી જંતર મંતર ખાતે પહેલવાનોએ ધરણા કર્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ધરણા સ્થળ પરથી ધરણા ખતમ કરી દીધા પરંતુ કુસ્તીબાજોએ વિરોધ યથાવત રાખ્યો છે. આ બધા વચ્ચે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજોની પંચાયત યોજાઈ છે. આ પંચાયતમાં સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા પહોંચ્યા હતા. પંચાયતમાં પહોંચ્યા બાદ બજરંગ પુનિયાએ કહ્યું કે અમે અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે જે વાતચીત કરી હતી, અમે તે બાબતે પંચાયતને જણાવવા આવ્યા છીએ, કારણ કે અમે બધું પંચાયતને સોંપી દીધું છે.        

खाप पंचायत में हिस्सा लेने के लिए पहुंचे बजरंग पूनिया और साक्षी मलिक।

સોનીપતમાં યોજાઈ કુસ્તીબાજોની પંચાયત!

સોનીપતના છોટુરામ ધર્મશાળામાં કુસ્તીબાજોએ પંચાયતનું આયોજન કર્યું છે. આ પંચાયતમાં ભાગ લેવા સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા પહોંચ્યા હતા. ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. થોડા સમય પહેલા અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. ત્યારે આજે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજોની પંચાયત યોજાઈ છે.

અમે બધું પંચાયત પર છોડી દીધું છે - બજરંગ પુનિયા  

પંચાયતમાં હાજર રહેલા બજરંગ પુનિયાએ નિવેદન આપતા કહ્યું- અમે અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે જે વાતચીત કરી હતી, અમે તે બાબતે પંચાયતને જણાવવા આવ્યા છીએ, કારણ કે અમે બધું પંચાયતને સોંપી દીધું છે. વડીલો જે નિર્ણય લેશે તે કુસ્તીબાજો સ્વીકારશે. મહત્વનું છે કે નાબાલિક દીકરીના પિતાએ નિવેદન આપ્યું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બદલો લેવા તેમણે કેસ કર્યો હતો. ત્યારે જોવું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.