પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું, રાજીનામું આપ્યું કે લેવાયું તે અંગે અનેક તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-09-12 17:31:33

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ વધુ એકવાર મોટા નેતાનું રાજીનામું લઈ લીધું છે. ભાર્ગવ ભટ્ટ, પ્રદીપસિંહ વાઘેલા બાદ મહેસાણાના પંકજ ચૌધરી નામના કાર્યકરનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ગુજરાત ભાજપમાં વધુ એક મોટા નેતાના રાજીનામાથી હડકંપ મચી ગયો છે. પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.  પંકજ ચૌધરીએ કેટલાક મહિના પહેલા હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ હતું. દાવો કરાઇ રહ્યો છે કે ફેમિલી પ્રૉબ્લેમ અને વિદેશ પ્રવાસના કારણે પંકજ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે. જોકે, ભાજપના સૂત્રો પ્રમાણે રાજીનામા પાછળનું કારણ અન્ય હોઇ શકે છે. સાચુ કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી, કારણ અકબંધ છે. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે લેવાયું તે અંગે પણ અનેક ચર્ચાઓ અને સવાલો ઉઠ્યા છે. 


જમાવટને મળ્યો નનામો પત્ર


પંકજ ચૌધરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને યુવા ભાજપના પ્રભારી તરીકે કામગીરી કરી ચૂકેલા છે. પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું લેવા પાછળનું કારણ તો સૌને ખબર છે પણ પંકજ ચૌધરીનું રાજીનામું શા માટે લેવાયું એ કોઈને ખબર નથી. રાજકીય લોકો પણ પોતાની રીતે મંથન કરી રહ્યા છે. આ બધી જ ઘટનાની વચ્ચે જમાવટ પર અમને થોડા દિવસે પહેલા મળેલા એક નનામા પત્રમાં પંકજ ચૌધરીનું રાજીનામું શા માટે લેવામાં આવ્યું છે એ ઘટના વિગતવાર દર્શાવી છે.  જમાવટને મળેલા આ નનામાં પત્રમાં તત્કાલિન ભાજપ ખેડા જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીની વ્યભિચાર અને કબૂતરબાજી બાબતની ફરીયાદ મળ્યા બાદ પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરી છે. ભાજપના ખેડાના જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીની વ્યભિચાર અને કબૂતરબાજીમાં નામ આવ્યા બાદ મનું રાજીનામું તા. 22/ 7/ 23ના રોજ  લઈ લેવામાં આવ્યું હતું. રાજીનામા પછી ફોટો અને વીડિયો મૂકવાની પણ ના પાડી દેવામાં આવી હતી. આ બધી બાબતો બહુ ઈરાદાપૂર્વક મીડિયાથી દૂર રાખવામાં આવી હતી.


શા માટે રાજીનામું?


ભાજપના ખેડાના જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. ખુદ પંકજ ચૌધરીએ તેમના રાજીનામા અંગે મૌન સેવ્યું છે પણ ભાજપના આંતરિક રાજકારણથી વાકેફ લોકો આ રાજીનામા પાછળ ભેદી કારણ બતાવી રહ્યા છે. જમાવટને મળેલા નનામા પત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે પંકજ ચૌધરીના એકથી વધુ મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા. ભાજપનું સંગઠન પણ આ બાબતથી વાકેફ હતું જો કે જ્યારે પાણી માથા પરથી વહેવા લાગ્યું ત્યારે  તેમણે પંકજ ચૌધરીને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. આ નનામા પત્રમાં પંકજ ચૌધરીના વ્યભિ ચારી જીવનશૈલી અંગે પણ જાણકારી આપવામાં આવી છે.  


સ્ત્રીની સુરક્ષાની જવાબદારી સરકારની હોય અને સરકારોને પેદા કરે છે રાજકીય પક્ષ. આ જ પાર્ટી સરકાર બનાવે છે. એટલે પક્ષના સંગઠનના લોકો ખૂબ જ જવાબદાર હોવા જોઈએ. ભાજપે આવા નેતાઓના પદ છીનવી લીધા એ ખૂબ સરસ વાત છે પણ હજુ પણ એવી કેટલીય સ્ત્રી હશે જે પોતાનો અવાજ સરખી રીતે નહીં ઉઠાવી શકતી હોય. આ કેસમાં તો તેમના સગા ભાઈ દ્વારા જ આખુ પ્રકરણ ઉજાગર કરવામાં આવ્યું છે. આ રીતે સ્ત્રીનું શોષણ જો પાર્ટીઓમાં જ થશે તો બીજા તો શું કરશે. બીજો પક્ષ આ કેસમાં એ પણ છે કે એક પક્ષ જ જવાબદાર નથી. એ સ્ત્રીઓ પણ જવાબદાર છે જે રાજકારણમાં સફળતાના શોર્ટકટ માટે અમુક રસ્તા પર ચાલવા લાગે છે. પણ હંમેશા એ સિદ્ધ થયું છે કે એ ટૂંકો રસ્તો તેમને ક્યાંય નથી લઈ જતો છતા પણ એ સ્ત્રી માને છે કે તેનાથી સફળ થઈ જવાશે.



લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.

જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..