પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું, રાજીનામું આપ્યું કે લેવાયું તે અંગે અનેક તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-09-12 17:31:33

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ વધુ એકવાર મોટા નેતાનું રાજીનામું લઈ લીધું છે. ભાર્ગવ ભટ્ટ, પ્રદીપસિંહ વાઘેલા બાદ મહેસાણાના પંકજ ચૌધરી નામના કાર્યકરનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ગુજરાત ભાજપમાં વધુ એક મોટા નેતાના રાજીનામાથી હડકંપ મચી ગયો છે. પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.  પંકજ ચૌધરીએ કેટલાક મહિના પહેલા હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ હતું. દાવો કરાઇ રહ્યો છે કે ફેમિલી પ્રૉબ્લેમ અને વિદેશ પ્રવાસના કારણે પંકજ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે. જોકે, ભાજપના સૂત્રો પ્રમાણે રાજીનામા પાછળનું કારણ અન્ય હોઇ શકે છે. સાચુ કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી, કારણ અકબંધ છે. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે લેવાયું તે અંગે પણ અનેક ચર્ચાઓ અને સવાલો ઉઠ્યા છે. 


જમાવટને મળ્યો નનામો પત્ર


પંકજ ચૌધરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને યુવા ભાજપના પ્રભારી તરીકે કામગીરી કરી ચૂકેલા છે. પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું લેવા પાછળનું કારણ તો સૌને ખબર છે પણ પંકજ ચૌધરીનું રાજીનામું શા માટે લેવાયું એ કોઈને ખબર નથી. રાજકીય લોકો પણ પોતાની રીતે મંથન કરી રહ્યા છે. આ બધી જ ઘટનાની વચ્ચે જમાવટ પર અમને થોડા દિવસે પહેલા મળેલા એક નનામા પત્રમાં પંકજ ચૌધરીનું રાજીનામું શા માટે લેવામાં આવ્યું છે એ ઘટના વિગતવાર દર્શાવી છે.  જમાવટને મળેલા આ નનામાં પત્રમાં તત્કાલિન ભાજપ ખેડા જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીની વ્યભિચાર અને કબૂતરબાજી બાબતની ફરીયાદ મળ્યા બાદ પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરી છે. ભાજપના ખેડાના જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીની વ્યભિચાર અને કબૂતરબાજીમાં નામ આવ્યા બાદ મનું રાજીનામું તા. 22/ 7/ 23ના રોજ  લઈ લેવામાં આવ્યું હતું. રાજીનામા પછી ફોટો અને વીડિયો મૂકવાની પણ ના પાડી દેવામાં આવી હતી. આ બધી બાબતો બહુ ઈરાદાપૂર્વક મીડિયાથી દૂર રાખવામાં આવી હતી.


શા માટે રાજીનામું?


ભાજપના ખેડાના જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. ખુદ પંકજ ચૌધરીએ તેમના રાજીનામા અંગે મૌન સેવ્યું છે પણ ભાજપના આંતરિક રાજકારણથી વાકેફ લોકો આ રાજીનામા પાછળ ભેદી કારણ બતાવી રહ્યા છે. જમાવટને મળેલા નનામા પત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે પંકજ ચૌધરીના એકથી વધુ મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા. ભાજપનું સંગઠન પણ આ બાબતથી વાકેફ હતું જો કે જ્યારે પાણી માથા પરથી વહેવા લાગ્યું ત્યારે  તેમણે પંકજ ચૌધરીને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. આ નનામા પત્રમાં પંકજ ચૌધરીના વ્યભિ ચારી જીવનશૈલી અંગે પણ જાણકારી આપવામાં આવી છે.  


સ્ત્રીની સુરક્ષાની જવાબદારી સરકારની હોય અને સરકારોને પેદા કરે છે રાજકીય પક્ષ. આ જ પાર્ટી સરકાર બનાવે છે. એટલે પક્ષના સંગઠનના લોકો ખૂબ જ જવાબદાર હોવા જોઈએ. ભાજપે આવા નેતાઓના પદ છીનવી લીધા એ ખૂબ સરસ વાત છે પણ હજુ પણ એવી કેટલીય સ્ત્રી હશે જે પોતાનો અવાજ સરખી રીતે નહીં ઉઠાવી શકતી હોય. આ કેસમાં તો તેમના સગા ભાઈ દ્વારા જ આખુ પ્રકરણ ઉજાગર કરવામાં આવ્યું છે. આ રીતે સ્ત્રીનું શોષણ જો પાર્ટીઓમાં જ થશે તો બીજા તો શું કરશે. બીજો પક્ષ આ કેસમાં એ પણ છે કે એક પક્ષ જ જવાબદાર નથી. એ સ્ત્રીઓ પણ જવાબદાર છે જે રાજકારણમાં સફળતાના શોર્ટકટ માટે અમુક રસ્તા પર ચાલવા લાગે છે. પણ હંમેશા એ સિદ્ધ થયું છે કે એ ટૂંકો રસ્તો તેમને ક્યાંય નથી લઈ જતો છતા પણ એ સ્ત્રી માને છે કે તેનાથી સફળ થઈ જવાશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.