રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ચપ્પલ પહેરીને પહોંચ્યા, સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા


  • Published By :
  • Published Date : 2023-08-27 15:25:39

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેએ મંદિરના નંદી હોલમાં બેસીને ભગવાન શિવની પૂજા કરી અને બાબા મહાકાલના આશીર્વાદ લીધા. મંદિરના પૂજારી યશ ગુરુએ મંત્રોચ્ચાર સાથે પૂજાનું સંચાલન કર્યું હતું. જો કે આ યુગલ મંદિરમાં ચપ્પલ પહેરીને જતા હોય તેવો વીડિયો વાયરલ થતા હાલ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.


સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ટ્રોલ 


પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્ન પહેલા ભોલે બાબાના દર્શન કરવા ઉજ્જૈન મહાકાલ મંદિર પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો બંનેની નિંદા કરી રહ્યા છે. વાસ્તવમાં, એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંનેને ચપ્પલ પહેરીને મંદિર પરિસરમાં ફરતા જોવા મળી રહ્યા છે, જે લોકોને બિલકુલ પસંદ નથી આવ્યું.  તેમણે એક મોટી ભૂલ કરી અને મંદિરના પગથિયા ઉપરની બાજુ પણ ચપ્પલ પહેરીને ફરતા જોવા મળ્યા હતા. જેના લોકો વિરોધ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ થઇ રહ્યો છે.યુઝર્સ કહી રહ્યાં છે કે, તેમને હિંદુ મંદિરમાં ચપ્પલ સાથે પ્રવેશ કેમ મળ્યો, મંદિર પરિસરમાં ચપ્પલ પહેરવાની મંજૂરી નથી.  


25 સપ્ટેમ્બરે લગ્ન ગ્રંથીથી જોડાશે


પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ કપલ 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. બંનેના ભવ્ય લગ્ન રાજસ્થાનમાં થશે. બંનેના પરિવારે  લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લગ્ન બાદ ગુરુગ્રામમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં દિલ્હીમાં બંનેની સગાઈનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકારણીઓ અને અભિનેતાઓ સહિત અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી લગ્ન પહેલા તેની ફિલ્મ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યુનું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .