પરિણીતી ચોપરાએ મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે સુવર્ણ મંદિરમાં આપી સેવા, લંગરમાં ભોજન પીરસ્યું, વાસણ ધોયા


  • Published By :
  • Published Date : 2023-07-02 16:32:38

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં મંદિરમાં માથું ટેકવ્યું હતું. યુગલ લગ્ન પહેલા આશીર્વાદ લેવા સુવર્ણ મંદિર પહોંચ્યું હતું. હવે આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ગુરુદ્વારામાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. પરિણીતી અને રાઘવ એકસાથે વાસણ ધોતા જોવા મળે છે. આવો અમે તમને આ વીડિયો પણ બતાવીએ.


ફેન્સે પરિણીતીની કરી પ્રશંસા


સુવર્ણ મંદિરમાંથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો વીડિયો સામે આવ્યો છે. માથું ટેકવ્યું તે પહેલાં, રાઘવ ચઢ્ઢા અને પરિણીતીએ લંગરમાં સેવા આપી અને પીરસ્યું અને શ્રધ્ધાળુંઓના એંઠા વાસણો ધોયા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ પરિણીતી ચોપરાનો વીડિયો જોઈને તેના વખાણ કરી રહ્યા છે.  


રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વિટ કર્યું 


રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પરિણીતી સાથેની આ તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, "પવિત્ર ભજન અને શાંતિ વચ્ચે, મેં મારી આંખો બંધ કરી, માથું ટેકવ્યું અને પ્રાર્થના કરી. મારી સાથે પરિણીતી ચોપરાનું હોવું વધુ ખાસ હતું. અમૃતસરમાં સચખંડ શ્રી હરમંદિર સાહિબ જીમાં આશીર્વાદ મેળવીને આજે ધન્યતા અનુભવી".



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.