પરિણીતી ચોપરાએ મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે સુવર્ણ મંદિરમાં આપી સેવા, લંગરમાં ભોજન પીરસ્યું, વાસણ ધોયા


  • Published By :
  • Published Date : 2023-07-02 16:32:38

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં મંદિરમાં માથું ટેકવ્યું હતું. યુગલ લગ્ન પહેલા આશીર્વાદ લેવા સુવર્ણ મંદિર પહોંચ્યું હતું. હવે આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ગુરુદ્વારામાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. પરિણીતી અને રાઘવ એકસાથે વાસણ ધોતા જોવા મળે છે. આવો અમે તમને આ વીડિયો પણ બતાવીએ.


ફેન્સે પરિણીતીની કરી પ્રશંસા


સુવર્ણ મંદિરમાંથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો વીડિયો સામે આવ્યો છે. માથું ટેકવ્યું તે પહેલાં, રાઘવ ચઢ્ઢા અને પરિણીતીએ લંગરમાં સેવા આપી અને પીરસ્યું અને શ્રધ્ધાળુંઓના એંઠા વાસણો ધોયા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ પરિણીતી ચોપરાનો વીડિયો જોઈને તેના વખાણ કરી રહ્યા છે.  


રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વિટ કર્યું 


રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પરિણીતી સાથેની આ તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, "પવિત્ર ભજન અને શાંતિ વચ્ચે, મેં મારી આંખો બંધ કરી, માથું ટેકવ્યું અને પ્રાર્થના કરી. મારી સાથે પરિણીતી ચોપરાનું હોવું વધુ ખાસ હતું. અમૃતસરમાં સચખંડ શ્રી હરમંદિર સાહિબ જીમાં આશીર્વાદ મેળવીને આજે ધન્યતા અનુભવી".



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.