પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 25 સપ્ટેમ્બરે સાત ફેરા લેશે, આ જગ્યાએ લગ્નના ઢોલ ઢબૂકશે


  • Published By :
  • Published Date : 2023-08-20 12:41:24

પરિણીતી ચોપરાના ચાહકો જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 25 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. હવે આ વર્ષે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.


શાનદાર લગ્ન સમારોહ યોજાશે


એક સુત્રએ જણાવ્યું છે કે આ એક શાનદાર લગ્ન સમારોહ હશે. પરિણીતી ચોપરાની ટીમે લગ્નની તૈયારીઓ પર કામ શરૂ કરી દીધું છે. અભિનેત્રી તેના લગ્ન અંગેની કોઈ પણ વિગત કોઈની સાથે શેર કરી રહી નથી. તેણે બધું જ ગુપ્ત રાખ્યું છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના પરિવારો તથા નજીકના મિત્રોની હાજરીમાં લગ્નની તમામ વિધિઓ સંપન્ન થશે.


પરિણીતી-રાઘવ રાજસ્થાનમાં લગ્ન કરશે


સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે પરિણીતી ચોપરા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેના લગ્નની તૈયારી કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન રાજસ્થાનમાં થશે. આ પછી ગુરુગ્રામમાં રિસેપ્શન યોજાશે. જ્યારે એ આ વિશે પરિણીતીનો સંપર્ક કર્યો, ત્યારે તેણી તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.