પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 25 સપ્ટેમ્બરે સાત ફેરા લેશે, આ જગ્યાએ લગ્નના ઢોલ ઢબૂકશે


  • Published By :
  • Published Date : 2023-08-20 12:41:24

પરિણીતી ચોપરાના ચાહકો જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 25 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. હવે આ વર્ષે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.


શાનદાર લગ્ન સમારોહ યોજાશે


એક સુત્રએ જણાવ્યું છે કે આ એક શાનદાર લગ્ન સમારોહ હશે. પરિણીતી ચોપરાની ટીમે લગ્નની તૈયારીઓ પર કામ શરૂ કરી દીધું છે. અભિનેત્રી તેના લગ્ન અંગેની કોઈ પણ વિગત કોઈની સાથે શેર કરી રહી નથી. તેણે બધું જ ગુપ્ત રાખ્યું છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના પરિવારો તથા નજીકના મિત્રોની હાજરીમાં લગ્નની તમામ વિધિઓ સંપન્ન થશે.


પરિણીતી-રાઘવ રાજસ્થાનમાં લગ્ન કરશે


સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે પરિણીતી ચોપરા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેના લગ્નની તૈયારી કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન રાજસ્થાનમાં થશે. આ પછી ગુરુગ્રામમાં રિસેપ્શન યોજાશે. જ્યારે એ આ વિશે પરિણીતીનો સંપર્ક કર્યો, ત્યારે તેણી તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .