પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 25 સપ્ટેમ્બરે સાત ફેરા લેશે, આ જગ્યાએ લગ્નના ઢોલ ઢબૂકશે


  • Published By :
  • Published Date : 2023-08-20 12:41:24

પરિણીતી ચોપરાના ચાહકો જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 25 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. હવે આ વર્ષે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.


શાનદાર લગ્ન સમારોહ યોજાશે


એક સુત્રએ જણાવ્યું છે કે આ એક શાનદાર લગ્ન સમારોહ હશે. પરિણીતી ચોપરાની ટીમે લગ્નની તૈયારીઓ પર કામ શરૂ કરી દીધું છે. અભિનેત્રી તેના લગ્ન અંગેની કોઈ પણ વિગત કોઈની સાથે શેર કરી રહી નથી. તેણે બધું જ ગુપ્ત રાખ્યું છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના પરિવારો તથા નજીકના મિત્રોની હાજરીમાં લગ્નની તમામ વિધિઓ સંપન્ન થશે.


પરિણીતી-રાઘવ રાજસ્થાનમાં લગ્ન કરશે


સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે પરિણીતી ચોપરા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેના લગ્નની તૈયારી કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન રાજસ્થાનમાં થશે. આ પછી ગુરુગ્રામમાં રિસેપ્શન યોજાશે. જ્યારે એ આ વિશે પરિણીતીનો સંપર્ક કર્યો, ત્યારે તેણી તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .