બાંગ્લાદેશમાં માલગાડી સાથે પેસેન્જર ટ્રેનની ટક્કર, 20ના મોત, 100થી વધુ લોકો ઘાયલ, મત્યૃઆંક વધવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-10-23 20:11:59

બાંગ્લાદેશમાં સોમવારે એક પેસેન્જર ટ્રેન અને માલગાડી ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાતા ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ભૈરબ રેલ્વે સ્ટેશનના ડ્યુટી ઓફિસર સિરાજુલ ઈસ્લામે મીડિયાને જણાવ્યું કે, સ્થાનિક સમયાનુસાર બપોરે 3.30 વાગ્યે કિશોરગંજ ખાતે ચટ્ટોગ્રામ તરફ જતી માલસામાન ટ્રેન ઢાકાથી જતી એગ્ગારો સિંદુર એક્સપ્રેસ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. 


મૃત્યુઆંક વધી શકે


બાંગ્લાદેશ ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના મીડિયા ચીફ શાહજહાં સિકદરે જણાવ્યું હતું કે, "અત્યાર સુધી કાટમાળમાંથી 20 મૃતદેહો મળી આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે." તેમણે કહ્યું કે ફાયર સર્વિસના એક ડઝનથી વધુ એકમો બચાવ કામગીરી કરી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત કોચ નીચે ઘણા લોકો ફસાયેલા છે. ઢાકા રેલ્વે પોલીસ અધિક્ષક અનવર હુસૈને જણાવ્યું હતું કે, "પ્રારંભિક રિપોર્ટ અનુસાર, માલગાડીએ ઇગારો સિંદુર એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી."


ક્રેન સાથે ટ્રેન રવાના થઈ


દુર્ઘટના સ્થળે હાજર ફાયર બ્રિગેડ સેવાના અધિકારીઓએ કહ્યું કે એવી આશંકા છે કે લોકો હજુ પણ જર્જરિત વેગન નીચે ફસાયેલા છે. જોકે, 100થી વધુ મુસાફરો ઘાયલ છે અને તેમને બચાવી લેવામાં આવ્યા છે. ક્રેન વડે રેસ્ક્યુ ટીમ અકસ્માત સ્થળે દોડી આવી છે. બાંગ્લાદેશની તસવીરો દર્શાવે છે કે લોકો ફસાયેલા છે. સામાન્ય લોકો પણ મદદમાં લાગેલા છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે