બાંગ્લાદેશમાં માલગાડી સાથે પેસેન્જર ટ્રેનની ટક્કર, 20ના મોત, 100થી વધુ લોકો ઘાયલ, મત્યૃઆંક વધવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-10-23 20:11:59

બાંગ્લાદેશમાં સોમવારે એક પેસેન્જર ટ્રેન અને માલગાડી ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાતા ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ભૈરબ રેલ્વે સ્ટેશનના ડ્યુટી ઓફિસર સિરાજુલ ઈસ્લામે મીડિયાને જણાવ્યું કે, સ્થાનિક સમયાનુસાર બપોરે 3.30 વાગ્યે કિશોરગંજ ખાતે ચટ્ટોગ્રામ તરફ જતી માલસામાન ટ્રેન ઢાકાથી જતી એગ્ગારો સિંદુર એક્સપ્રેસ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. 


મૃત્યુઆંક વધી શકે


બાંગ્લાદેશ ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના મીડિયા ચીફ શાહજહાં સિકદરે જણાવ્યું હતું કે, "અત્યાર સુધી કાટમાળમાંથી 20 મૃતદેહો મળી આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે." તેમણે કહ્યું કે ફાયર સર્વિસના એક ડઝનથી વધુ એકમો બચાવ કામગીરી કરી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત કોચ નીચે ઘણા લોકો ફસાયેલા છે. ઢાકા રેલ્વે પોલીસ અધિક્ષક અનવર હુસૈને જણાવ્યું હતું કે, "પ્રારંભિક રિપોર્ટ અનુસાર, માલગાડીએ ઇગારો સિંદુર એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી."


ક્રેન સાથે ટ્રેન રવાના થઈ


દુર્ઘટના સ્થળે હાજર ફાયર બ્રિગેડ સેવાના અધિકારીઓએ કહ્યું કે એવી આશંકા છે કે લોકો હજુ પણ જર્જરિત વેગન નીચે ફસાયેલા છે. જોકે, 100થી વધુ મુસાફરો ઘાયલ છે અને તેમને બચાવી લેવામાં આવ્યા છે. ક્રેન વડે રેસ્ક્યુ ટીમ અકસ્માત સ્થળે દોડી આવી છે. બાંગ્લાદેશની તસવીરો દર્શાવે છે કે લોકો ફસાયેલા છે. સામાન્ય લોકો પણ મદદમાં લાગેલા છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .