કોરોના કેસ ઘટતા વિદેશથી આવતા યાત્રિકોઓએ નહીં ભરવું પડે એર સુવિધા ફોર્મ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-22 09:09:40

Indian health ministry દ્વારા સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત મુસાફરોએ એર સુવિધા ફોર્મ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોના વાયરસ વધવાને કારણે ભારત સરકારે વિદેશથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજીયાત કર્યું હતું પરંતુ કોરોના કેસ ઘટતા મુસાફરોને ફોર્મ ભરવામાંથી મુક્તિ આપી દીધી છે.

   

વિદેશથી આવતા મુસાફરોનો રખાતો હતો રેકોર્ડ 

કોરોના મહામારીના સમય દરમિયાન ભારતમાં કોરોના વાયરલ વધુ ન વકરે તે માટે ભારત સરકારે અનેક નિયમો લાદી દીધા હતા. ઉપરાંત વિદેશથી આવતા મુસાફરોએ એર સુવિધા ફોર્મ ભરવું પડતું હતું. જેમાં મુસાફરોએ પોતાની વિગતો ભરવાની હતી. જેવી કે તેઓ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે, મોબાઈલ નંબર, તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી પૂછવામાં આવતી હતી. 

Image

શા માટે શરૂ ભરવામાં આવતું હતું આ ફોર્મ?  

કોરોના કેસ વધતા ભારત આવતા તમામ યાત્રીકો માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક વેબસાઈટ શરૂ કરી હતી જેમાં સેલ્ફ ડિક્લેશેન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. તમામ યાત્રીકોએ આ પોર્ટલ પર સેલ્ફ ડિક્લેશન ફોર્મ ભરવું પડતું હતું. આ ફોર્મના માધ્યમથી વિદેશથી આવતા દરેક યાત્રીઓનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. પરંતુ કોરોના કેસ ઘટતા એક નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને એર સુવિધા ફોર્મ ભરવાની અનિવાર્યતાને સમાપ્ત કરી દીધી છે. જેને કારણે હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ સેલ્ફ ડિક્લેશેન ફોર્મ ભરવાની જરૂરત નથી. 




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.