કોરોના કેસ ઘટતા વિદેશથી આવતા યાત્રિકોઓએ નહીં ભરવું પડે એર સુવિધા ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-22 09:09:40

Indian health ministry દ્વારા સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત મુસાફરોએ એર સુવિધા ફોર્મ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોના વાયરસ વધવાને કારણે ભારત સરકારે વિદેશથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજીયાત કર્યું હતું પરંતુ કોરોના કેસ ઘટતા મુસાફરોને ફોર્મ ભરવામાંથી મુક્તિ આપી દીધી છે.

   

વિદેશથી આવતા મુસાફરોનો રખાતો હતો રેકોર્ડ 

કોરોના મહામારીના સમય દરમિયાન ભારતમાં કોરોના વાયરલ વધુ ન વકરે તે માટે ભારત સરકારે અનેક નિયમો લાદી દીધા હતા. ઉપરાંત વિદેશથી આવતા મુસાફરોએ એર સુવિધા ફોર્મ ભરવું પડતું હતું. જેમાં મુસાફરોએ પોતાની વિગતો ભરવાની હતી. જેવી કે તેઓ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે, મોબાઈલ નંબર, તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી પૂછવામાં આવતી હતી. 

Image

શા માટે શરૂ ભરવામાં આવતું હતું આ ફોર્મ?  

કોરોના કેસ વધતા ભારત આવતા તમામ યાત્રીકો માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક વેબસાઈટ શરૂ કરી હતી જેમાં સેલ્ફ ડિક્લેશેન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. તમામ યાત્રીકોએ આ પોર્ટલ પર સેલ્ફ ડિક્લેશન ફોર્મ ભરવું પડતું હતું. આ ફોર્મના માધ્યમથી વિદેશથી આવતા દરેક યાત્રીઓનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. પરંતુ કોરોના કેસ ઘટતા એક નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને એર સુવિધા ફોર્મ ભરવાની અનિવાર્યતાને સમાપ્ત કરી દીધી છે. જેને કારણે હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ સેલ્ફ ડિક્લેશેન ફોર્મ ભરવાની જરૂરત નથી. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .