કોરોના કેસ ઘટતા વિદેશથી આવતા યાત્રિકોઓએ નહીં ભરવું પડે એર સુવિધા ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-22 09:09:40

Indian health ministry દ્વારા સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત મુસાફરોએ એર સુવિધા ફોર્મ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોના વાયરસ વધવાને કારણે ભારત સરકારે વિદેશથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજીયાત કર્યું હતું પરંતુ કોરોના કેસ ઘટતા મુસાફરોને ફોર્મ ભરવામાંથી મુક્તિ આપી દીધી છે.

   

વિદેશથી આવતા મુસાફરોનો રખાતો હતો રેકોર્ડ 

કોરોના મહામારીના સમય દરમિયાન ભારતમાં કોરોના વાયરલ વધુ ન વકરે તે માટે ભારત સરકારે અનેક નિયમો લાદી દીધા હતા. ઉપરાંત વિદેશથી આવતા મુસાફરોએ એર સુવિધા ફોર્મ ભરવું પડતું હતું. જેમાં મુસાફરોએ પોતાની વિગતો ભરવાની હતી. જેવી કે તેઓ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે, મોબાઈલ નંબર, તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી પૂછવામાં આવતી હતી. 

Image

શા માટે શરૂ ભરવામાં આવતું હતું આ ફોર્મ?  

કોરોના કેસ વધતા ભારત આવતા તમામ યાત્રીકો માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક વેબસાઈટ શરૂ કરી હતી જેમાં સેલ્ફ ડિક્લેશેન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. તમામ યાત્રીકોએ આ પોર્ટલ પર સેલ્ફ ડિક્લેશન ફોર્મ ભરવું પડતું હતું. આ ફોર્મના માધ્યમથી વિદેશથી આવતા દરેક યાત્રીઓનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. પરંતુ કોરોના કેસ ઘટતા એક નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને એર સુવિધા ફોર્મ ભરવાની અનિવાર્યતાને સમાપ્ત કરી દીધી છે. જેને કારણે હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ સેલ્ફ ડિક્લેશેન ફોર્મ ભરવાની જરૂરત નથી. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.