Go Firstની ફ્લાઈટ્સ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયા પેસેન્જર! નાદારીને આરે હોવાથી Go Firstની ફ્લાઈટ નથી ભરતી ઉડાન!


  • Published By :
  • Published Date : 2023-05-03 10:46:21

દેશની અનેક કંપની એવી છે જે નાદારીને આરે પહોંચી છે. અનેક કંપનીઓમાં તાળા પણ વાગી ગયા છે. ત્યારે વાડિયા ગ્રુપની એરલાઈન કંપની Go First પણ નાદારીને આરે આવી પહોંચી છે. NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે એરલાઈન્સે અનેક પ્લેનની ઉડાનને કેન્સલ કરાઈ છે. ફંડની કમી હોવાને કારણે 3 અને  4મે ના રોજ ઉડવાવાળી ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે.  અચાનક ફ્લાઈટની ઉડાન કેન્સલ થતાં પેસેન્જરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પેસેન્જરોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. પેસેન્જરોને આ અંગે જાણ પણ કરવામાં ન આવી હતી.


આર્થિક તંગીને કારણે ફ્લાઈટ કરાઈ રદ્દ!

ફ્લાઈટને લઈ છેલ્લા ઘણા સમયથી સમાચારો સામે આવી રહ્યા છે. આર્થિક તંગીને કારણે અનેક કંપનીઓ નાદાર થઈ ગઈ છે. અનેક એરલાઈન્સ બંધ થવાને આરે છે. ત્યારે  Go First પણ આ શ્રેણીમાં આવી ગયું છે. કંપની દ્વારા સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરવામાં આવી છે. એરલાઈનના 28 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. રોકડની તંગી હોવાને કારણે અનેક કંપનીઓએ તેલ આપવાની ના પાડી છે. ઓઈલ કંપનીના પૈસા પણ ચૂકવ્યા નથી. ત્યારે આ સ્થિતિને કારણે કંપનીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને કેન્સલ કરી દીધી છે. 


ફ્લાઈટ કેન્સલ થતાં અટવાયા મુસાફરો!

ફ્લાઈટમાં અનેક લોકો મુસાફરરી કરતા હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચાય તે માટે ફ્લાઈટ મુસાફરો પસંદ કરતા હોય છે. ત્યારે Go Firstની ફ્લાઈટ અચાનક કેન્સલ કરવામાં આવતા મુસાફરો અટવાઈ ગયા છે. જેને કારણે મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. ટિકીટ બૂક કરવા વાળા પેસેન્જરોમાં પણ નારાજગી દેખાઈ રહી છે. પોતાના ડેસ્ટિનેશન પર કેવી રીતે પહોંચવું તે માટે લોકો પૂછપરછ કરતા પણ દેખાયા હતા. આ મામલે પેસેન્જરોને કોઈ જાણકારી આપવામાં આવી નથી તેવું પેસેન્જરોનું કહેવું છે. કોઈ વિકલ્પ પણ નથી આપવામાં આવ્યો.     



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.