Go Firstની ફ્લાઈટ્સ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયા પેસેન્જર! નાદારીને આરે હોવાથી Go Firstની ફ્લાઈટ નથી ભરતી ઉડાન!


  • Published By :
  • Published Date : 2023-05-03 10:46:21

દેશની અનેક કંપની એવી છે જે નાદારીને આરે પહોંચી છે. અનેક કંપનીઓમાં તાળા પણ વાગી ગયા છે. ત્યારે વાડિયા ગ્રુપની એરલાઈન કંપની Go First પણ નાદારીને આરે આવી પહોંચી છે. NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે એરલાઈન્સે અનેક પ્લેનની ઉડાનને કેન્સલ કરાઈ છે. ફંડની કમી હોવાને કારણે 3 અને  4મે ના રોજ ઉડવાવાળી ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે.  અચાનક ફ્લાઈટની ઉડાન કેન્સલ થતાં પેસેન્જરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પેસેન્જરોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. પેસેન્જરોને આ અંગે જાણ પણ કરવામાં ન આવી હતી.


આર્થિક તંગીને કારણે ફ્લાઈટ કરાઈ રદ્દ!

ફ્લાઈટને લઈ છેલ્લા ઘણા સમયથી સમાચારો સામે આવી રહ્યા છે. આર્થિક તંગીને કારણે અનેક કંપનીઓ નાદાર થઈ ગઈ છે. અનેક એરલાઈન્સ બંધ થવાને આરે છે. ત્યારે  Go First પણ આ શ્રેણીમાં આવી ગયું છે. કંપની દ્વારા સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરવામાં આવી છે. એરલાઈનના 28 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. રોકડની તંગી હોવાને કારણે અનેક કંપનીઓએ તેલ આપવાની ના પાડી છે. ઓઈલ કંપનીના પૈસા પણ ચૂકવ્યા નથી. ત્યારે આ સ્થિતિને કારણે કંપનીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને કેન્સલ કરી દીધી છે. 


ફ્લાઈટ કેન્સલ થતાં અટવાયા મુસાફરો!

ફ્લાઈટમાં અનેક લોકો મુસાફરરી કરતા હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચાય તે માટે ફ્લાઈટ મુસાફરો પસંદ કરતા હોય છે. ત્યારે Go Firstની ફ્લાઈટ અચાનક કેન્સલ કરવામાં આવતા મુસાફરો અટવાઈ ગયા છે. જેને કારણે મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. ટિકીટ બૂક કરવા વાળા પેસેન્જરોમાં પણ નારાજગી દેખાઈ રહી છે. પોતાના ડેસ્ટિનેશન પર કેવી રીતે પહોંચવું તે માટે લોકો પૂછપરછ કરતા પણ દેખાયા હતા. આ મામલે પેસેન્જરોને કોઈ જાણકારી આપવામાં આવી નથી તેવું પેસેન્જરોનું કહેવું છે. કોઈ વિકલ્પ પણ નથી આપવામાં આવ્યો.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.