Go Firstની ફ્લાઈટ્સ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયા પેસેન્જર! નાદારીને આરે હોવાથી Go Firstની ફ્લાઈટ નથી ભરતી ઉડાન!


  • Published By :
  • Published Date : 2023-05-03 10:46:21

દેશની અનેક કંપની એવી છે જે નાદારીને આરે પહોંચી છે. અનેક કંપનીઓમાં તાળા પણ વાગી ગયા છે. ત્યારે વાડિયા ગ્રુપની એરલાઈન કંપની Go First પણ નાદારીને આરે આવી પહોંચી છે. NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે એરલાઈન્સે અનેક પ્લેનની ઉડાનને કેન્સલ કરાઈ છે. ફંડની કમી હોવાને કારણે 3 અને  4મે ના રોજ ઉડવાવાળી ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે.  અચાનક ફ્લાઈટની ઉડાન કેન્સલ થતાં પેસેન્જરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પેસેન્જરોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. પેસેન્જરોને આ અંગે જાણ પણ કરવામાં ન આવી હતી.


આર્થિક તંગીને કારણે ફ્લાઈટ કરાઈ રદ્દ!

ફ્લાઈટને લઈ છેલ્લા ઘણા સમયથી સમાચારો સામે આવી રહ્યા છે. આર્થિક તંગીને કારણે અનેક કંપનીઓ નાદાર થઈ ગઈ છે. અનેક એરલાઈન્સ બંધ થવાને આરે છે. ત્યારે  Go First પણ આ શ્રેણીમાં આવી ગયું છે. કંપની દ્વારા સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરવામાં આવી છે. એરલાઈનના 28 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. રોકડની તંગી હોવાને કારણે અનેક કંપનીઓએ તેલ આપવાની ના પાડી છે. ઓઈલ કંપનીના પૈસા પણ ચૂકવ્યા નથી. ત્યારે આ સ્થિતિને કારણે કંપનીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને કેન્સલ કરી દીધી છે. 


ફ્લાઈટ કેન્સલ થતાં અટવાયા મુસાફરો!

ફ્લાઈટમાં અનેક લોકો મુસાફરરી કરતા હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચાય તે માટે ફ્લાઈટ મુસાફરો પસંદ કરતા હોય છે. ત્યારે Go Firstની ફ્લાઈટ અચાનક કેન્સલ કરવામાં આવતા મુસાફરો અટવાઈ ગયા છે. જેને કારણે મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. ટિકીટ બૂક કરવા વાળા પેસેન્જરોમાં પણ નારાજગી દેખાઈ રહી છે. પોતાના ડેસ્ટિનેશન પર કેવી રીતે પહોંચવું તે માટે લોકો પૂછપરછ કરતા પણ દેખાયા હતા. આ મામલે પેસેન્જરોને કોઈ જાણકારી આપવામાં આવી નથી તેવું પેસેન્જરોનું કહેવું છે. કોઈ વિકલ્પ પણ નથી આપવામાં આવ્યો.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.