Go Firstની ફ્લાઈટ્સ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયા પેસેન્જર! નાદારીને આરે હોવાથી Go Firstની ફ્લાઈટ નથી ભરતી ઉડાન!


  • Published By :
  • Published Date : 2023-05-03 10:46:21

દેશની અનેક કંપની એવી છે જે નાદારીને આરે પહોંચી છે. અનેક કંપનીઓમાં તાળા પણ વાગી ગયા છે. ત્યારે વાડિયા ગ્રુપની એરલાઈન કંપની Go First પણ નાદારીને આરે આવી પહોંચી છે. NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે એરલાઈન્સે અનેક પ્લેનની ઉડાનને કેન્સલ કરાઈ છે. ફંડની કમી હોવાને કારણે 3 અને  4મે ના રોજ ઉડવાવાળી ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે.  અચાનક ફ્લાઈટની ઉડાન કેન્સલ થતાં પેસેન્જરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પેસેન્જરોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. પેસેન્જરોને આ અંગે જાણ પણ કરવામાં ન આવી હતી.


આર્થિક તંગીને કારણે ફ્લાઈટ કરાઈ રદ્દ!

ફ્લાઈટને લઈ છેલ્લા ઘણા સમયથી સમાચારો સામે આવી રહ્યા છે. આર્થિક તંગીને કારણે અનેક કંપનીઓ નાદાર થઈ ગઈ છે. અનેક એરલાઈન્સ બંધ થવાને આરે છે. ત્યારે  Go First પણ આ શ્રેણીમાં આવી ગયું છે. કંપની દ્વારા સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરવામાં આવી છે. એરલાઈનના 28 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. રોકડની તંગી હોવાને કારણે અનેક કંપનીઓએ તેલ આપવાની ના પાડી છે. ઓઈલ કંપનીના પૈસા પણ ચૂકવ્યા નથી. ત્યારે આ સ્થિતિને કારણે કંપનીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને કેન્સલ કરી દીધી છે. 


ફ્લાઈટ કેન્સલ થતાં અટવાયા મુસાફરો!

ફ્લાઈટમાં અનેક લોકો મુસાફરરી કરતા હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચાય તે માટે ફ્લાઈટ મુસાફરો પસંદ કરતા હોય છે. ત્યારે Go Firstની ફ્લાઈટ અચાનક કેન્સલ કરવામાં આવતા મુસાફરો અટવાઈ ગયા છે. જેને કારણે મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. ટિકીટ બૂક કરવા વાળા પેસેન્જરોમાં પણ નારાજગી દેખાઈ રહી છે. પોતાના ડેસ્ટિનેશન પર કેવી રીતે પહોંચવું તે માટે લોકો પૂછપરછ કરતા પણ દેખાયા હતા. આ મામલે પેસેન્જરોને કોઈ જાણકારી આપવામાં આવી નથી તેવું પેસેન્જરોનું કહેવું છે. કોઈ વિકલ્પ પણ નથી આપવામાં આવ્યો.     



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.