પઠાણ ફિલ્મની રિલીઝનો ઉગ્ર વિરોધ કરનારા સન્ની શાહની કરાઈ અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-20 21:25:59

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો ગુજરાત અને દેશભરમાં જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મના એક ગીતમાં ‘ભગવા બિકિની’ને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોએ ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાની જાહેરાત કરી છે. તેમાં પણ સોશિયલ મીડિયા પર  ‘પઠાણ’ ફિલ્મને લઈ ધમકી આપનાર વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.  જો  કે આજે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપી સન્ની ગીરીશભાઇ શાહની અટકાયત કરવામાં આવી છે.


આરોપી હિન્દુ રક્ત પરિષદનો સ્થાપક છે


પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપી સન્ની ગીરીશભાઇ શાહ ધોરણ-12  નાપાસ છે. અને છેલ્લા ચાર મહિનાથી કેફે ચલાવી વેપાર ધંધો કરે છે. તે ઉપરાંત તે છેલ્લા ચાર વર્ષથી હિન્દુ રક્ત પરિષદ નામની સંસ્થા સ્થાપી સનાતન હિન્દુ સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર સોશીયલ મીડીયાના માધ્યમથી કરે છે.


રાજ્યના વિવિધ શહેરોમાં જોરદાર વિરોધ


પઠાણ ફિલ્મનું એક ગીત ‘બેશરમ રંગ’રિલીઝ થયું ત્યારથી જ તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પહેલા સુરત તથા વડોદરામાં પણ વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને થિયેટરમાં જઈને પઠાણ ફિલ્મના પોસ્ટર્સ ઉતારીને ફાડી નાખ્યા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી 25મી જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તેને ગુજરાતમાં રિલીઝ થવા દેવાશે કે નહીં અને જો રિલીઝ કરાશે તો પછી વીએચપી અને બજરંગદળના કાર્યકરો કેવા પ્રકારનો વિરોધ કરશે.


સરકારે આપી છે સુરક્ષાની બાહેધરી


મલ્ટીપ્લેક્સ એસોસિયેશનના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. તેમણે સરકાર પાસે ફિલ્મ રિલિઝ થાય ત્યારે મલ્ટિપ્લેક્સની સુરક્ષાની બાહેધરી માગ હતી. સરકારે પણ સંપુર્ણ સુરક્ષાની બાહેધરી આપી છે.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.