પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર, અજાણ્યા બંદૂકધારીઓએ આતંકીને ગોળી મારી


  • Published By :
  • Published Date : 2023-10-11 13:37:29

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનમાં ઠાર કરવામાં આવ્યો છે. શાહિદ લતીફ જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો. શાહિદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના સિયાલકોટ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ શાહિદ લતીફને ગોળી મારી દીધી હતી. શાહિદ 41 વર્ષનો હતો અને તેણે 2 જાન્યુઆરી 2016ના રોજ પઠાણકોટ હુમલાને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હત્યાથી જૈશ-એ-મોહમ્મદને મોટો ફટકો પડ્યો છે.


Image

16 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યા બાદ ડિપોર્ટે કરાયો


શાહિદ લતીફ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ હતો. 12 નવેમ્બર 1994ના રોજ તેની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે 16 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યો હતો. આ પછી લતીફે જૈશમાં રહીને આતંકવાદીઓને ભારત ઘુસાડવાનું શરૂ કર્યું હતું. લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ભારતીય તપાસ એજન્સીઓએ તેને આ કેસમાં આરોપી પણ બનાવ્યો હતો. આટલું જ નહીં, લતીફ 1999માં કંદહાર પ્લેન હાઇજેક કેસમાં પણ આરોપી હતો.


પઠાણકોટમાં 5 જવાનો શહીદ થયા હતા


જાન્યુઆરી 2016માં જૈશના ચાર આતંકવાદીઓ પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 જવાન શહીદ થયા હતા. સુરક્ષા દળોએ આ ચારેય આતંકીઓને પણ ઠાર માર્યા હતા. લતીફ આ આતંકીઓને કમાન્ડ આપતો હતો.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે