પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર, અજાણ્યા બંદૂકધારીઓએ આતંકીને ગોળી મારી


  • Published By :
  • Published Date : 2023-10-11 13:37:29

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનમાં ઠાર કરવામાં આવ્યો છે. શાહિદ લતીફ જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો. શાહિદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના સિયાલકોટ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ શાહિદ લતીફને ગોળી મારી દીધી હતી. શાહિદ 41 વર્ષનો હતો અને તેણે 2 જાન્યુઆરી 2016ના રોજ પઠાણકોટ હુમલાને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હત્યાથી જૈશ-એ-મોહમ્મદને મોટો ફટકો પડ્યો છે.


Image

16 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યા બાદ ડિપોર્ટે કરાયો


શાહિદ લતીફ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ હતો. 12 નવેમ્બર 1994ના રોજ તેની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે 16 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યો હતો. આ પછી લતીફે જૈશમાં રહીને આતંકવાદીઓને ભારત ઘુસાડવાનું શરૂ કર્યું હતું. લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ભારતીય તપાસ એજન્સીઓએ તેને આ કેસમાં આરોપી પણ બનાવ્યો હતો. આટલું જ નહીં, લતીફ 1999માં કંદહાર પ્લેન હાઇજેક કેસમાં પણ આરોપી હતો.


પઠાણકોટમાં 5 જવાનો શહીદ થયા હતા


જાન્યુઆરી 2016માં જૈશના ચાર આતંકવાદીઓ પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 જવાન શહીદ થયા હતા. સુરક્ષા દળોએ આ ચારેય આતંકીઓને પણ ઠાર માર્યા હતા. લતીફ આ આતંકીઓને કમાન્ડ આપતો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.