પાવાગઢમાં વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તૂટતા 1 શ્રદ્ધાળુનું મોત, 8થી વધુ લોકો ઘાયલ, બચાવ અને રાહત કામગીરી શરૂ


  • Published By :
  • Published Date : 2023-05-04 15:26:59

રાજ્યના પવિત્ર યાત્રાધામ પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તુટી પડતા 1 શ્રધ્ધાળુનું મોત તથા 8થી વધુ શ્રધ્ધાળુઓ દટાઈ ગયા છે.ઘુમ્મટનો કેટલોક હિસ્સો તૂટી પડતા અહીં દર્શન કરવા આવેલા આઠ યાત્રિકો ઉપર પથ્થરોની શિલાઓ પડતા ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાં 3 મહિલાઓ, 3 પુરુષો અને બે બાળકોનો સમાવેશ થાય છે.


વિશ્રામ સ્થળ નીચે લઈ રહ્યા હતા આસરો


પવિત્ર યાત્રાધામ પાવાગઢના માચીમાં ગાજવીજ સાથે વરસતા વરસાદમાં એક વિશ્રામ સ્થળ નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આસરો લઈ ઉભા હતા. આ સમયે જ અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતા ગંભીર રીતે ઘવાઈ હતી. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતા તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


ઘાયલોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા


આ ભયાનક દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હતા. જ્યારે એક મહિલા અને એક પુરુષ માતાજીના દર્શને આવેલા હતા.


મૃતક અને ઘાયલ શ્રધ્ધાળુઓની યાદી


ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ, મૃત્યુ)

મીનાબેન ખુમાનસિંહ પલાસ (21 વર્ષ)

રાજવંશ મહેશભાઈ દેવીપુજક (21 વર્ષ)

સુમિત્રાબેન વેલસીંગભાઇ રાઠવા (18 વર્ષ)

વિજયભાઈ ભઈલાલભાઈ દેવીપૂજક (25 વર્ષ)

મારી બેન વિજયભાઈ દેવીપૂજક (5 વર્ષ)

દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક (28 વર્ષ)

સોનલબેન વિજયભાઈ દેવીપુજક (30 વર્ષ)

દક્ષ વિજયભાઈ દેવીપુજક (2 વર્ષ)



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.