પાવાગઢમાં વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તૂટતા 1 શ્રદ્ધાળુનું મોત, 8થી વધુ લોકો ઘાયલ, બચાવ અને રાહત કામગીરી શરૂ


  • Published By :
  • Published Date : 2023-05-04 15:26:59

રાજ્યના પવિત્ર યાત્રાધામ પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તુટી પડતા 1 શ્રધ્ધાળુનું મોત તથા 8થી વધુ શ્રધ્ધાળુઓ દટાઈ ગયા છે.ઘુમ્મટનો કેટલોક હિસ્સો તૂટી પડતા અહીં દર્શન કરવા આવેલા આઠ યાત્રિકો ઉપર પથ્થરોની શિલાઓ પડતા ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાં 3 મહિલાઓ, 3 પુરુષો અને બે બાળકોનો સમાવેશ થાય છે.


વિશ્રામ સ્થળ નીચે લઈ રહ્યા હતા આસરો


પવિત્ર યાત્રાધામ પાવાગઢના માચીમાં ગાજવીજ સાથે વરસતા વરસાદમાં એક વિશ્રામ સ્થળ નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આસરો લઈ ઉભા હતા. આ સમયે જ અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતા ગંભીર રીતે ઘવાઈ હતી. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતા તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


ઘાયલોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા


આ ભયાનક દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હતા. જ્યારે એક મહિલા અને એક પુરુષ માતાજીના દર્શને આવેલા હતા.


મૃતક અને ઘાયલ શ્રધ્ધાળુઓની યાદી


ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ, મૃત્યુ)

મીનાબેન ખુમાનસિંહ પલાસ (21 વર્ષ)

રાજવંશ મહેશભાઈ દેવીપુજક (21 વર્ષ)

સુમિત્રાબેન વેલસીંગભાઇ રાઠવા (18 વર્ષ)

વિજયભાઈ ભઈલાલભાઈ દેવીપૂજક (25 વર્ષ)

મારી બેન વિજયભાઈ દેવીપૂજક (5 વર્ષ)

દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક (28 વર્ષ)

સોનલબેન વિજયભાઈ દેવીપુજક (30 વર્ષ)

દક્ષ વિજયભાઈ દેવીપુજક (2 વર્ષ)



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.