પવન ખેડાને સુપ્રીમે આપી રાહત, જો કે સંભળાવ્યું પણ ખરૂ, જાણો શું કહ્યું કોર્ટે


  • Published By :
  • Published Date : 2023-02-23 19:51:50

દિલ્હી એરપોર્ટથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દ્વારકા કોર્ટથી વચગાળાના જામીન મળી ગયા છે. કોર્ટે તેમને 30 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર મુક્ત કર્યા છે. જો કે કોર્ટે તેમને વાંધાજનક નિવેદનોને લઈ ચેતવણી આપી છે. સુપ્રીમે 28 ફેબ્રુઆરી સુધી પવન ખેરાની ધરપકડ પર સ્ટે મૂકી દીધો છે, પણ ખેરાએ રેગ્યુલર જામીન માટે અરજી કરવાની રહેશે.  કોર્ટે આસામ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસને FIRને એક સાથે નોંધવાની અરજી પર નોટીસ ફટકારી છે.


ખેરાની ધરપકડ મુદ્દે કોંગ્રેસ સુપ્રીમમાં


પવન ખેરાની ધરપકડ સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. પવન ખેરા વતી કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ખેરાએ તે જ સમયે માફી માંગી હતી, તે માત્ર જીભ લપસી જવાનો મામલો હતો. સિંઘવીએ ધરપકડ પર રોક લગાવવાની માંગ કરી છે. બીજી તરફ આસામ પોલીસ તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓએ પવન ખેરાની ધરપકડ કરી લીધી છે અને તેને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.


મામલો શું હતો?


કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાની આજે આસામ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. પવન ખેરા ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા દિલ્હીથી છત્તીશગઢના રાયપુર જઈ રહ્યા હતા ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે તેમને એરપોર્ટ પર અટકાવી દેતા હાઈવોલ્ટેજ ડ્રામા જેવી સ્થિતી સર્જાઈ હતી. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ફ્લાઈટમાંથી નીચે ઉતરીને ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ ટ્વિટરના માધ્યમથી પણ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.