પવન ખેડાને સુપ્રીમે આપી રાહત, જો કે સંભળાવ્યું પણ ખરૂ, જાણો શું કહ્યું કોર્ટે


  • Published By :
  • Published Date : 2023-02-23 19:51:50

દિલ્હી એરપોર્ટથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દ્વારકા કોર્ટથી વચગાળાના જામીન મળી ગયા છે. કોર્ટે તેમને 30 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર મુક્ત કર્યા છે. જો કે કોર્ટે તેમને વાંધાજનક નિવેદનોને લઈ ચેતવણી આપી છે. સુપ્રીમે 28 ફેબ્રુઆરી સુધી પવન ખેરાની ધરપકડ પર સ્ટે મૂકી દીધો છે, પણ ખેરાએ રેગ્યુલર જામીન માટે અરજી કરવાની રહેશે.  કોર્ટે આસામ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસને FIRને એક સાથે નોંધવાની અરજી પર નોટીસ ફટકારી છે.


ખેરાની ધરપકડ મુદ્દે કોંગ્રેસ સુપ્રીમમાં


પવન ખેરાની ધરપકડ સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. પવન ખેરા વતી કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ખેરાએ તે જ સમયે માફી માંગી હતી, તે માત્ર જીભ લપસી જવાનો મામલો હતો. સિંઘવીએ ધરપકડ પર રોક લગાવવાની માંગ કરી છે. બીજી તરફ આસામ પોલીસ તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓએ પવન ખેરાની ધરપકડ કરી લીધી છે અને તેને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.


મામલો શું હતો?


કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાની આજે આસામ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. પવન ખેરા ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા દિલ્હીથી છત્તીશગઢના રાયપુર જઈ રહ્યા હતા ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે તેમને એરપોર્ટ પર અટકાવી દેતા હાઈવોલ્ટેજ ડ્રામા જેવી સ્થિતી સર્જાઈ હતી. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ફ્લાઈટમાંથી નીચે ઉતરીને ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ ટ્વિટરના માધ્યમથી પણ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.