પવન ખેડાને સુપ્રીમે આપી રાહત, જો કે સંભળાવ્યું પણ ખરૂ, જાણો શું કહ્યું કોર્ટે


  • Published By :
  • Published Date : 2023-02-23 19:51:50

દિલ્હી એરપોર્ટથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દ્વારકા કોર્ટથી વચગાળાના જામીન મળી ગયા છે. કોર્ટે તેમને 30 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર મુક્ત કર્યા છે. જો કે કોર્ટે તેમને વાંધાજનક નિવેદનોને લઈ ચેતવણી આપી છે. સુપ્રીમે 28 ફેબ્રુઆરી સુધી પવન ખેરાની ધરપકડ પર સ્ટે મૂકી દીધો છે, પણ ખેરાએ રેગ્યુલર જામીન માટે અરજી કરવાની રહેશે.  કોર્ટે આસામ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસને FIRને એક સાથે નોંધવાની અરજી પર નોટીસ ફટકારી છે.


ખેરાની ધરપકડ મુદ્દે કોંગ્રેસ સુપ્રીમમાં


પવન ખેરાની ધરપકડ સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. પવન ખેરા વતી કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ખેરાએ તે જ સમયે માફી માંગી હતી, તે માત્ર જીભ લપસી જવાનો મામલો હતો. સિંઘવીએ ધરપકડ પર રોક લગાવવાની માંગ કરી છે. બીજી તરફ આસામ પોલીસ તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓએ પવન ખેરાની ધરપકડ કરી લીધી છે અને તેને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.


મામલો શું હતો?


કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાની આજે આસામ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. પવન ખેરા ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા દિલ્હીથી છત્તીશગઢના રાયપુર જઈ રહ્યા હતા ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે તેમને એરપોર્ટ પર અટકાવી દેતા હાઈવોલ્ટેજ ડ્રામા જેવી સ્થિતી સર્જાઈ હતી. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ફ્લાઈટમાંથી નીચે ઉતરીને ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ ટ્વિટરના માધ્યમથી પણ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.