પવન ખેડાને સુપ્રીમે આપી રાહત, જો કે સંભળાવ્યું પણ ખરૂ, જાણો શું કહ્યું કોર્ટે


  • Published By :
  • Published Date : 2023-02-23 19:51:50

દિલ્હી એરપોર્ટથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દ્વારકા કોર્ટથી વચગાળાના જામીન મળી ગયા છે. કોર્ટે તેમને 30 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર મુક્ત કર્યા છે. જો કે કોર્ટે તેમને વાંધાજનક નિવેદનોને લઈ ચેતવણી આપી છે. સુપ્રીમે 28 ફેબ્રુઆરી સુધી પવન ખેરાની ધરપકડ પર સ્ટે મૂકી દીધો છે, પણ ખેરાએ રેગ્યુલર જામીન માટે અરજી કરવાની રહેશે.  કોર્ટે આસામ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસને FIRને એક સાથે નોંધવાની અરજી પર નોટીસ ફટકારી છે.


ખેરાની ધરપકડ મુદ્દે કોંગ્રેસ સુપ્રીમમાં


પવન ખેરાની ધરપકડ સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. પવન ખેરા વતી કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ખેરાએ તે જ સમયે માફી માંગી હતી, તે માત્ર જીભ લપસી જવાનો મામલો હતો. સિંઘવીએ ધરપકડ પર રોક લગાવવાની માંગ કરી છે. બીજી તરફ આસામ પોલીસ તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓએ પવન ખેરાની ધરપકડ કરી લીધી છે અને તેને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.


મામલો શું હતો?


કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાની આજે આસામ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. પવન ખેરા ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા દિલ્હીથી છત્તીશગઢના રાયપુર જઈ રહ્યા હતા ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે તેમને એરપોર્ટ પર અટકાવી દેતા હાઈવોલ્ટેજ ડ્રામા જેવી સ્થિતી સર્જાઈ હતી. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ફ્લાઈટમાંથી નીચે ઉતરીને ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ ટ્વિટરના માધ્યમથી પણ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.