પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આ નિયમોનું રાખજો ધ્યાન, કોરોના સંક્રમણ વધતા નિયમો કરાયા જાહેર


  • Published By :
  • Published Date : 2022-12-24 09:10:07

વિશ્વમાં તેમજ દેશમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે, વધી રહેલા કોરોના કેસને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના સંક્રમણને લઈ ગુજરાત સરકાર દ્વારા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. લાખો ભક્તો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ મહોત્સવમાં આવતા ભક્તો માટે ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 


કોરોના વધતા બહાર પડાયા નિયમો  

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં સામેલ થવા દુનિયાભરથી ભાવિકો આવી રહ્યા છે. ઉપરાંત દેશના અનેક રાજ્યોથી પણ ભક્તો આવી રહ્યા છે. જેને કારણે કારણે ચિંતામાં વધારો થયો છે. આ મહોત્સવમાં લાખો હરિભક્તો સેવા આપી રહ્યા છે. ત્યારે વધતા કોરોનાને લઈ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જે મુજબ સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવશે. 


શું છે નિયમો? 

વધતા કોરોના સંક્રમણને જોતા મહોત્સવમાં સામેલ થતા ભક્તો તેમજ સ્વયંસેવકો માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. પ્રવેશ માટે પણ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. વિદેશથી આવતા ભક્તોએ કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવામા આવ્યો છે. શરદી, તાવ જેવી તકલીફ ધરાવતા વ્યક્તિએ ભીડમાં આવવું ટાળવું. ઉપરાંત ઉંમર લાયક, નાદુરસ્ત તબિયત વાળા વ્યક્તિએ પણ મહોત્સવમાં ન આવવા વિનંતી કરી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. એકબીજાને હાથ મિલાવાનું પણ ટાળવું જોઈએ. સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.   

   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.