પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આ નિયમોનું રાખજો ધ્યાન, કોરોના સંક્રમણ વધતા નિયમો કરાયા જાહેર


  • Published By :
  • Published Date : 2022-12-24 09:10:07

વિશ્વમાં તેમજ દેશમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે, વધી રહેલા કોરોના કેસને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના સંક્રમણને લઈ ગુજરાત સરકાર દ્વારા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. લાખો ભક્તો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ મહોત્સવમાં આવતા ભક્તો માટે ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 


કોરોના વધતા બહાર પડાયા નિયમો  

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં સામેલ થવા દુનિયાભરથી ભાવિકો આવી રહ્યા છે. ઉપરાંત દેશના અનેક રાજ્યોથી પણ ભક્તો આવી રહ્યા છે. જેને કારણે કારણે ચિંતામાં વધારો થયો છે. આ મહોત્સવમાં લાખો હરિભક્તો સેવા આપી રહ્યા છે. ત્યારે વધતા કોરોનાને લઈ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જે મુજબ સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવશે. 


શું છે નિયમો? 

વધતા કોરોના સંક્રમણને જોતા મહોત્સવમાં સામેલ થતા ભક્તો તેમજ સ્વયંસેવકો માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. પ્રવેશ માટે પણ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. વિદેશથી આવતા ભક્તોએ કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવામા આવ્યો છે. શરદી, તાવ જેવી તકલીફ ધરાવતા વ્યક્તિએ ભીડમાં આવવું ટાળવું. ઉપરાંત ઉંમર લાયક, નાદુરસ્ત તબિયત વાળા વ્યક્તિએ પણ મહોત્સવમાં ન આવવા વિનંતી કરી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. એકબીજાને હાથ મિલાવાનું પણ ટાળવું જોઈએ. સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.   

   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.