પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આ નિયમોનું રાખજો ધ્યાન, કોરોના સંક્રમણ વધતા નિયમો કરાયા જાહેર


  • Published By :
  • Published Date : 2022-12-24 09:10:07

વિશ્વમાં તેમજ દેશમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે, વધી રહેલા કોરોના કેસને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના સંક્રમણને લઈ ગુજરાત સરકાર દ્વારા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. લાખો ભક્તો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ મહોત્સવમાં આવતા ભક્તો માટે ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 


કોરોના વધતા બહાર પડાયા નિયમો  

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં સામેલ થવા દુનિયાભરથી ભાવિકો આવી રહ્યા છે. ઉપરાંત દેશના અનેક રાજ્યોથી પણ ભક્તો આવી રહ્યા છે. જેને કારણે કારણે ચિંતામાં વધારો થયો છે. આ મહોત્સવમાં લાખો હરિભક્તો સેવા આપી રહ્યા છે. ત્યારે વધતા કોરોનાને લઈ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જે મુજબ સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવશે. 


શું છે નિયમો? 

વધતા કોરોના સંક્રમણને જોતા મહોત્સવમાં સામેલ થતા ભક્તો તેમજ સ્વયંસેવકો માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. પ્રવેશ માટે પણ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. વિદેશથી આવતા ભક્તોએ કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવામા આવ્યો છે. શરદી, તાવ જેવી તકલીફ ધરાવતા વ્યક્તિએ ભીડમાં આવવું ટાળવું. ઉપરાંત ઉંમર લાયક, નાદુરસ્ત તબિયત વાળા વ્યક્તિએ પણ મહોત્સવમાં ન આવવા વિનંતી કરી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. એકબીજાને હાથ મિલાવાનું પણ ટાળવું જોઈએ. સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.   

   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.