અભિનેત્રી પાયલ રોહતગી તેની સામે નોંધાયેલી FIR રદ્દ કરાવવા ગુજરાત હાઇકોર્ટ પહોંચી, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-04-27 21:15:41

બોલિવુડની વિવાદાસ્પદ અભિનેત્રી પાયલ રોહતગી ફરી એકવાર ચર્ચામાં આવી છે.  પાયલ રોહતગી સામે અમદાવાદના સેટેલાઈટની સુંદર એપિટોમ સોસાયટીના ચેરમેનને ધમકી આપવાના આરોપ હેઠળ બે વર્ષ પહેલા ફરિયાદ થઈ હતી. જો કે હવે વિવાદિત અભિનેત્રી પાયલ રોહતગી સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ્દ કરવા હાઈકોર્ટના શરણે પહોંચી છે. પાયલ રોહતગીએ હાઇકોર્ટ સમક્ષ માફી પણ માંગી છે. સમગ્ર કેસમાંથી રાહત તેમજ કેસ રદ્દ કરવા કોર્ટ સમક્ષ અભિનેત્રી પાયલ રોહતગીએ આંસુ પણ સાર્યા છે. પરંતુ FIR રદ્દ કરવી કે નહિ તે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે. આ મામલે 29 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.  


આ સમગ્ર મામલો શું છે?


એક્ટ્રેસ પાયલ રોહતગીએ અમદાવાદના સેટેલાઈટીની સુંદર એપિટોમ સોસાયટીની એક ગ્રૂપ મીટિંગમાં ચેરમેન સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પાયલ રોહતગીએ સોસાયટીના વોટ્સએપ ગૃપમાં અશ્વિલ મેસેજ કરી ચેરમેનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પાયલે મીટિંગ દરમિયાન સભ્યોને ડરાવવા મોબાઈલમાં વીડિયો રેકોર્ડ શરૂ કર્યું હતું. જે અટકાવવાનું કહેતા જ તેણે સભ્યો સાથે અપશબ્દો બોલવાનું શરુ કર્યુ હતુ. તે ઉપરાંત પાયલ રોહતગીએ સોસાયટીના બાળકો કમ્પાઉન્ડમાં રમશે તો ટાંટિયા ભાગી નાખવાની ટ્વિટર પર ધમકી આપી હતી. જે બાદ પાયલ રોહતગી સામે સોસાયટીમાં જ રહેતા તબીબ અને સોસાયટીના ચેરમેન પરાગ શાહે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ બાદ અભિનેત્રીની અટકાયત કરવામાં આવી હતી. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .