અભિનેત્રી પાયલ રોહતગી તેની સામે નોંધાયેલી FIR રદ્દ કરાવવા ગુજરાત હાઇકોર્ટ પહોંચી, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-04-27 21:15:41

બોલિવુડની વિવાદાસ્પદ અભિનેત્રી પાયલ રોહતગી ફરી એકવાર ચર્ચામાં આવી છે.  પાયલ રોહતગી સામે અમદાવાદના સેટેલાઈટની સુંદર એપિટોમ સોસાયટીના ચેરમેનને ધમકી આપવાના આરોપ હેઠળ બે વર્ષ પહેલા ફરિયાદ થઈ હતી. જો કે હવે વિવાદિત અભિનેત્રી પાયલ રોહતગી સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ્દ કરવા હાઈકોર્ટના શરણે પહોંચી છે. પાયલ રોહતગીએ હાઇકોર્ટ સમક્ષ માફી પણ માંગી છે. સમગ્ર કેસમાંથી રાહત તેમજ કેસ રદ્દ કરવા કોર્ટ સમક્ષ અભિનેત્રી પાયલ રોહતગીએ આંસુ પણ સાર્યા છે. પરંતુ FIR રદ્દ કરવી કે નહિ તે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે. આ મામલે 29 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.  


આ સમગ્ર મામલો શું છે?


એક્ટ્રેસ પાયલ રોહતગીએ અમદાવાદના સેટેલાઈટીની સુંદર એપિટોમ સોસાયટીની એક ગ્રૂપ મીટિંગમાં ચેરમેન સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પાયલ રોહતગીએ સોસાયટીના વોટ્સએપ ગૃપમાં અશ્વિલ મેસેજ કરી ચેરમેનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પાયલે મીટિંગ દરમિયાન સભ્યોને ડરાવવા મોબાઈલમાં વીડિયો રેકોર્ડ શરૂ કર્યું હતું. જે અટકાવવાનું કહેતા જ તેણે સભ્યો સાથે અપશબ્દો બોલવાનું શરુ કર્યુ હતુ. તે ઉપરાંત પાયલ રોહતગીએ સોસાયટીના બાળકો કમ્પાઉન્ડમાં રમશે તો ટાંટિયા ભાગી નાખવાની ટ્વિટર પર ધમકી આપી હતી. જે બાદ પાયલ રોહતગી સામે સોસાયટીમાં જ રહેતા તબીબ અને સોસાયટીના ચેરમેન પરાગ શાહે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ બાદ અભિનેત્રીની અટકાયત કરવામાં આવી હતી. 



થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.