મહબુબા મુફ્તીની મોટી જાહેરાત, 'જમ્મુ અને કાશ્મિરમાં કલમ 370 ફરીથી અમલી નથી બનતી ત્યાં સુધી વિધાનસભાની ચૂંટણી નહીં લડું'


  • Published By :
  • Published Date : 2023-05-21 16:32:37

પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી  (PDP)ના પ્રમુખ અને જમ્મુ અને કાશ્મિરના પૂર્વ સીએમ મહબુબા મુફ્તીએ મોટી જાહેરાત કરતા કરી છે. બેંગલૂરૂમાં મહબુબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી રાજ્યમાં ફરીથી કલમ 370 અમલી બનાવવવામાં નથી આવતી ત્યાં સુધી તે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. મહબુબાએ કહ્યું કે જમ્મૂ-કાશ્મિરનો વિશેષ દરજ્જો તે ભારતના સંઘીય માળખાનું સૌથી સારૂં દ્રષ્ટાંત હતું. પરંતું  કલમ-370ને નાબુદ કરીને રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને તેને નિર્બળ બનાવવામાં આવ્યું.


ચીનનો પણ જમ્મુ અને કાશ્મિરમાં હસ્તક્ષેપ વધ્યો


પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ બેંગલુરૂમાં કહ્યું કે ચીન હવે જમ્મૂ અને કાશ્મીરના મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. જ્યારે પહેલા માત્ર પાકિસ્તાન જ આવું કરતું હતું. આ બીજેપીએ કલમ-370 હટાવી તેનું જ પરિણામ છે.


દિલ્હીમાં થયું તે ખતરાની ઘંટડી


કર્ણાટકમાં મીડિયા સાથે ચર્ચા કરતા મહૂબુબાએ કહ્યું કે દિલ્હીમાં કેજરીવાલ સાથે જે થઈ રહ્યું છે તે બધા માટે ખતરાની ઘંટડી છે. ભારતીય  જનતા પાર્ટી નથી ઈચ્છતી કે કોઈ વિપક્ષનું અસ્તિત્વ પણ હોય. મહબૂબાએ કહ્યું કે દિલ્હી સરકારને શક્તિહીન કરી દેવામાં આવી છે. આવું બધાની સાથે થવા જઈ રહ્યું છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.