મહબુબા મુફ્તીની મોટી જાહેરાત, 'જમ્મુ અને કાશ્મિરમાં કલમ 370 ફરીથી અમલી નથી બનતી ત્યાં સુધી વિધાનસભાની ચૂંટણી નહીં લડું'


  • Published By :
  • Published Date : 2023-05-21 16:32:37

પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી  (PDP)ના પ્રમુખ અને જમ્મુ અને કાશ્મિરના પૂર્વ સીએમ મહબુબા મુફ્તીએ મોટી જાહેરાત કરતા કરી છે. બેંગલૂરૂમાં મહબુબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી રાજ્યમાં ફરીથી કલમ 370 અમલી બનાવવવામાં નથી આવતી ત્યાં સુધી તે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. મહબુબાએ કહ્યું કે જમ્મૂ-કાશ્મિરનો વિશેષ દરજ્જો તે ભારતના સંઘીય માળખાનું સૌથી સારૂં દ્રષ્ટાંત હતું. પરંતું  કલમ-370ને નાબુદ કરીને રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને તેને નિર્બળ બનાવવામાં આવ્યું.


ચીનનો પણ જમ્મુ અને કાશ્મિરમાં હસ્તક્ષેપ વધ્યો


પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ બેંગલુરૂમાં કહ્યું કે ચીન હવે જમ્મૂ અને કાશ્મીરના મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. જ્યારે પહેલા માત્ર પાકિસ્તાન જ આવું કરતું હતું. આ બીજેપીએ કલમ-370 હટાવી તેનું જ પરિણામ છે.


દિલ્હીમાં થયું તે ખતરાની ઘંટડી


કર્ણાટકમાં મીડિયા સાથે ચર્ચા કરતા મહૂબુબાએ કહ્યું કે દિલ્હીમાં કેજરીવાલ સાથે જે થઈ રહ્યું છે તે બધા માટે ખતરાની ઘંટડી છે. ભારતીય  જનતા પાર્ટી નથી ઈચ્છતી કે કોઈ વિપક્ષનું અસ્તિત્વ પણ હોય. મહબૂબાએ કહ્યું કે દિલ્હી સરકારને શક્તિહીન કરી દેવામાં આવી છે. આવું બધાની સાથે થવા જઈ રહ્યું છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.