મહબુબા મુફ્તીની મોટી જાહેરાત, 'જમ્મુ અને કાશ્મિરમાં કલમ 370 ફરીથી અમલી નથી બનતી ત્યાં સુધી વિધાનસભાની ચૂંટણી નહીં લડું'


  • Published By :
  • Published Date : 2023-05-21 16:32:37

પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી  (PDP)ના પ્રમુખ અને જમ્મુ અને કાશ્મિરના પૂર્વ સીએમ મહબુબા મુફ્તીએ મોટી જાહેરાત કરતા કરી છે. બેંગલૂરૂમાં મહબુબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી રાજ્યમાં ફરીથી કલમ 370 અમલી બનાવવવામાં નથી આવતી ત્યાં સુધી તે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. મહબુબાએ કહ્યું કે જમ્મૂ-કાશ્મિરનો વિશેષ દરજ્જો તે ભારતના સંઘીય માળખાનું સૌથી સારૂં દ્રષ્ટાંત હતું. પરંતું  કલમ-370ને નાબુદ કરીને રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને તેને નિર્બળ બનાવવામાં આવ્યું.


ચીનનો પણ જમ્મુ અને કાશ્મિરમાં હસ્તક્ષેપ વધ્યો


પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ બેંગલુરૂમાં કહ્યું કે ચીન હવે જમ્મૂ અને કાશ્મીરના મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. જ્યારે પહેલા માત્ર પાકિસ્તાન જ આવું કરતું હતું. આ બીજેપીએ કલમ-370 હટાવી તેનું જ પરિણામ છે.


દિલ્હીમાં થયું તે ખતરાની ઘંટડી


કર્ણાટકમાં મીડિયા સાથે ચર્ચા કરતા મહૂબુબાએ કહ્યું કે દિલ્હીમાં કેજરીવાલ સાથે જે થઈ રહ્યું છે તે બધા માટે ખતરાની ઘંટડી છે. ભારતીય  જનતા પાર્ટી નથી ઈચ્છતી કે કોઈ વિપક્ષનું અસ્તિત્વ પણ હોય. મહબૂબાએ કહ્યું કે દિલ્હી સરકારને શક્તિહીન કરી દેવામાં આવી છે. આવું બધાની સાથે થવા જઈ રહ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.