ચીનના અનેક શહેરોમાં લોકો કરી રહ્યા છે હિંસક પ્રદર્શન, આઝાદી માટે લોકો લગાવી રહ્યા છે અવાજ


  • Published By :
  • Published Date : 2022-11-28 13:48:01

શિયાળો આવતા ચીનમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે જેને કારણે સરકારે અનેક પ્રતિબંધો લગાવી દીધા હતા. સરકાર દ્વારા લગાવેલા પ્રતિબંધોનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. સરકાર પ્રત્યે લોકોની નારાજગી હવે આંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે. સરકાર વિરૂદ્ધ નારા પણ લાગ્યા હતા. 

China Protest

China Protests

ચીનમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચ્યક્યું છે. પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા પ્રતિબંધો લગાવી દેવામાં  આવ્યા હતા. વધતા પ્રતિબંધોને કારણે લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. સરકારનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જીનપિંગ વિરુદ્ધ નારા લાગી રહ્યા છે. સરકારને હટાવવાની માગ ઉઠી રહી છે. 

China Protests

China Protests

સફેદ કોરા કાગળ લઈ લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે. સફેદ કાગળની સાથેના અનેક ફોચો વાયરલ થઈ રહ્યા છે. ચીનના અનેક શહેરોમાં આ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આવા પ્રકારનો વિરોધ ચીનમાં બહુ ઓછો જોવા મળે છે. સરકાર વિરૂદ્ધ પ્રદર્શન શાંધાઈ, બીજીંગ, ગુઆંગ્ઝુ સહિત અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે. આવું વિરોધ પ્રદર્શન જોવા મળતા સરકારની ચિંતામાં વધારો થયો છે કારણ કે એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ મોટી સંખ્યામાં  લોકો રસ્તા પર ભેગા થઈ રહ્યા છે.         




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.