ચીનના અનેક શહેરોમાં લોકો કરી રહ્યા છે હિંસક પ્રદર્શન, આઝાદી માટે લોકો લગાવી રહ્યા છે અવાજ


  • Published By :
  • Published Date : 2022-11-28 13:48:01

શિયાળો આવતા ચીનમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે જેને કારણે સરકારે અનેક પ્રતિબંધો લગાવી દીધા હતા. સરકાર દ્વારા લગાવેલા પ્રતિબંધોનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. સરકાર પ્રત્યે લોકોની નારાજગી હવે આંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે. સરકાર વિરૂદ્ધ નારા પણ લાગ્યા હતા. 

China Protest

China Protests

ચીનમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચ્યક્યું છે. પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા પ્રતિબંધો લગાવી દેવામાં  આવ્યા હતા. વધતા પ્રતિબંધોને કારણે લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. સરકારનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જીનપિંગ વિરુદ્ધ નારા લાગી રહ્યા છે. સરકારને હટાવવાની માગ ઉઠી રહી છે. 

China Protests

China Protests

સફેદ કોરા કાગળ લઈ લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે. સફેદ કાગળની સાથેના અનેક ફોચો વાયરલ થઈ રહ્યા છે. ચીનના અનેક શહેરોમાં આ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આવા પ્રકારનો વિરોધ ચીનમાં બહુ ઓછો જોવા મળે છે. સરકાર વિરૂદ્ધ પ્રદર્શન શાંધાઈ, બીજીંગ, ગુઆંગ્ઝુ સહિત અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે. આવું વિરોધ પ્રદર્શન જોવા મળતા સરકારની ચિંતામાં વધારો થયો છે કારણ કે એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ મોટી સંખ્યામાં  લોકો રસ્તા પર ભેગા થઈ રહ્યા છે.         




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .