ચીનના અનેક શહેરોમાં લોકો કરી રહ્યા છે હિંસક પ્રદર્શન, આઝાદી માટે લોકો લગાવી રહ્યા છે અવાજ


  • Published By :
  • Published Date : 2022-11-28 13:48:01

શિયાળો આવતા ચીનમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે જેને કારણે સરકારે અનેક પ્રતિબંધો લગાવી દીધા હતા. સરકાર દ્વારા લગાવેલા પ્રતિબંધોનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. સરકાર પ્રત્યે લોકોની નારાજગી હવે આંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે. સરકાર વિરૂદ્ધ નારા પણ લાગ્યા હતા. 

China Protest

China Protests

ચીનમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચ્યક્યું છે. પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા પ્રતિબંધો લગાવી દેવામાં  આવ્યા હતા. વધતા પ્રતિબંધોને કારણે લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. સરકારનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જીનપિંગ વિરુદ્ધ નારા લાગી રહ્યા છે. સરકારને હટાવવાની માગ ઉઠી રહી છે. 

China Protests

China Protests

સફેદ કોરા કાગળ લઈ લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે. સફેદ કાગળની સાથેના અનેક ફોચો વાયરલ થઈ રહ્યા છે. ચીનના અનેક શહેરોમાં આ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આવા પ્રકારનો વિરોધ ચીનમાં બહુ ઓછો જોવા મળે છે. સરકાર વિરૂદ્ધ પ્રદર્શન શાંધાઈ, બીજીંગ, ગુઆંગ્ઝુ સહિત અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે. આવું વિરોધ પ્રદર્શન જોવા મળતા સરકારની ચિંતામાં વધારો થયો છે કારણ કે એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ મોટી સંખ્યામાં  લોકો રસ્તા પર ભેગા થઈ રહ્યા છે.         




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.