વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીનમાં લોકો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2022-12-23 12:40:49

ચીનમાં કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે સમગ્ર વિશ્વમાં કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે ફરી એક વખત ચીનના રાષ્ટ્રપતિ શીં જિનપિંગના રાજીનામાની માગ ઉઠી રહી છે. આ પહેલા પણ રાષ્ટ્રપતિએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી માગ ઉઠી હતી. 


ઝીરો કોવિડ નીતિનો લોકોએ કર્યો વિરોધ

કોરોના સંક્રમણે ફરી એક વખત માથું ઉચક્યું છે. કોરોના સંક્રમણ વધતા ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. વધતા પ્રતિબંધોનો વિરોધ સ્થાનિકોએ કર્યો હતો. રસ્તા પર આવી લોકોએ ચીન સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વધતા વિરોધને કારણે ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા હતા. જે બાદ એકાએક કોરોના કેસમાં ઉછાળો થયો છે. લાખોની સંખ્યમાં લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. સારવાર કરાવા દર્દીઓ તડપી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે.


જિનપિંગના રાજીનામાની ઉઠી માગ 

ન કેવલ કોરોના મામલે જિનપિંગ પરંતુ બીજા અનેક મુદ્દાઓ પર ચીનના રાષ્ટ્રપતિએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી પદ છોડો શીં જિનપિંગ પદ છોડો જેવા નારા લગાવી રહ્યા છે. કોરોનાને રોકવા લેવામાં આવતા પગલાને લઈ લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કોરોનાને નિયંત્રણ લાવવા ઝીરો કોવિડ નીતિને લાદી દેવામાં આવી હતી. પરંતુ આ   નિયંત્રણથી પણ કોરોના પર કાબુ મેળવી શકાયો ન હતો. કોરોનાને રોકવામાં મળેલી નિષ્ફળતાને કારણે લોકોમાં ચીનના રાષ્ટ્રપતિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પદને ત્યાગ કરવાની માગ કરી રહ્યા છે.  




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.