વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીનમાં લોકો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2022-12-23 12:40:49

ચીનમાં કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે સમગ્ર વિશ્વમાં કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે ફરી એક વખત ચીનના રાષ્ટ્રપતિ શીં જિનપિંગના રાજીનામાની માગ ઉઠી રહી છે. આ પહેલા પણ રાષ્ટ્રપતિએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી માગ ઉઠી હતી. 


ઝીરો કોવિડ નીતિનો લોકોએ કર્યો વિરોધ

કોરોના સંક્રમણે ફરી એક વખત માથું ઉચક્યું છે. કોરોના સંક્રમણ વધતા ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. વધતા પ્રતિબંધોનો વિરોધ સ્થાનિકોએ કર્યો હતો. રસ્તા પર આવી લોકોએ ચીન સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વધતા વિરોધને કારણે ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા હતા. જે બાદ એકાએક કોરોના કેસમાં ઉછાળો થયો છે. લાખોની સંખ્યમાં લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. સારવાર કરાવા દર્દીઓ તડપી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે.


જિનપિંગના રાજીનામાની ઉઠી માગ 

ન કેવલ કોરોના મામલે જિનપિંગ પરંતુ બીજા અનેક મુદ્દાઓ પર ચીનના રાષ્ટ્રપતિએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી પદ છોડો શીં જિનપિંગ પદ છોડો જેવા નારા લગાવી રહ્યા છે. કોરોનાને રોકવા લેવામાં આવતા પગલાને લઈ લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કોરોનાને નિયંત્રણ લાવવા ઝીરો કોવિડ નીતિને લાદી દેવામાં આવી હતી. પરંતુ આ   નિયંત્રણથી પણ કોરોના પર કાબુ મેળવી શકાયો ન હતો. કોરોનાને રોકવામાં મળેલી નિષ્ફળતાને કારણે લોકોમાં ચીનના રાષ્ટ્રપતિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પદને ત્યાગ કરવાની માગ કરી રહ્યા છે.  




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .