વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીનમાં લોકો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2022-12-23 12:40:49

ચીનમાં કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે સમગ્ર વિશ્વમાં કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે ફરી એક વખત ચીનના રાષ્ટ્રપતિ શીં જિનપિંગના રાજીનામાની માગ ઉઠી રહી છે. આ પહેલા પણ રાષ્ટ્રપતિએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી માગ ઉઠી હતી. 


ઝીરો કોવિડ નીતિનો લોકોએ કર્યો વિરોધ

કોરોના સંક્રમણે ફરી એક વખત માથું ઉચક્યું છે. કોરોના સંક્રમણ વધતા ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. વધતા પ્રતિબંધોનો વિરોધ સ્થાનિકોએ કર્યો હતો. રસ્તા પર આવી લોકોએ ચીન સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વધતા વિરોધને કારણે ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા હતા. જે બાદ એકાએક કોરોના કેસમાં ઉછાળો થયો છે. લાખોની સંખ્યમાં લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. સારવાર કરાવા દર્દીઓ તડપી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે.


જિનપિંગના રાજીનામાની ઉઠી માગ 

ન કેવલ કોરોના મામલે જિનપિંગ પરંતુ બીજા અનેક મુદ્દાઓ પર ચીનના રાષ્ટ્રપતિએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી પદ છોડો શીં જિનપિંગ પદ છોડો જેવા નારા લગાવી રહ્યા છે. કોરોનાને રોકવા લેવામાં આવતા પગલાને લઈ લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કોરોનાને નિયંત્રણ લાવવા ઝીરો કોવિડ નીતિને લાદી દેવામાં આવી હતી. પરંતુ આ   નિયંત્રણથી પણ કોરોના પર કાબુ મેળવી શકાયો ન હતો. કોરોનાને રોકવામાં મળેલી નિષ્ફળતાને કારણે લોકોમાં ચીનના રાષ્ટ્રપતિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પદને ત્યાગ કરવાની માગ કરી રહ્યા છે.  




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.