આ પાંચ દેશોથી આવતા લોકોને કરાવો પડશે RT-PCR Test, ભારત સરકારે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-24 13:30:55

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં તેમજ વિશ્વમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણ વધતા ભારત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. ભારતમાં કોરોનાને લઈ સ્થિતિ વણસે તે પહેલા કોરોનાને કાબુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારે વિદેશથી આવતા લોકો માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. મનસુખ માંડવિયાએ જાણકારી આપતા કહ્યું કે આ ચીન, જાપાન, સાઉથ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.


આ દેશોથી આવતા લોકોને કરાવો પડશે ટેસ્ટ 

ચીન, જાપાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાની સ્થિતિ એકદમ ખરાબ બની રહી છે. ભારતમાં કોરોનાને લઈ સ્થિતિ ખરાબ ન થાય તે પહેલા ભારત સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા લોકો માટે કોરોના રિપોર્ટ કરાવો ફરજીયાત કરવામાં આવ્યો છે. આ દેશોમાંથી આવતા લોકો જો કોરોના સંક્રમિત હશે તો તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. અગમચેતીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.             

  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.