આ પાંચ દેશોથી આવતા લોકોને કરાવો પડશે RT-PCR Test, ભારત સરકારે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-24 13:30:55

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં તેમજ વિશ્વમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણ વધતા ભારત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. ભારતમાં કોરોનાને લઈ સ્થિતિ વણસે તે પહેલા કોરોનાને કાબુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારે વિદેશથી આવતા લોકો માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. મનસુખ માંડવિયાએ જાણકારી આપતા કહ્યું કે આ ચીન, જાપાન, સાઉથ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.


આ દેશોથી આવતા લોકોને કરાવો પડશે ટેસ્ટ 

ચીન, જાપાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાની સ્થિતિ એકદમ ખરાબ બની રહી છે. ભારતમાં કોરોનાને લઈ સ્થિતિ ખરાબ ન થાય તે પહેલા ભારત સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા લોકો માટે કોરોના રિપોર્ટ કરાવો ફરજીયાત કરવામાં આવ્યો છે. આ દેશોમાંથી આવતા લોકો જો કોરોના સંક્રમિત હશે તો તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. અગમચેતીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.             

  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે