Diwaliને લઈ ગુગલમાં વિશ્વભરના લોકોએ સર્ચ કર્યા આ 5 પ્રશ્નો! Sundar Pichaiએ માહિતી આપતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-15 08:55:02

દિવાળીના પર્વની ધામધૂમથી આપણે સૌએ ઉજવણી કરી. નવા વર્ષની પણ શુભકામના એકબીજાને પાઠવી. પરંતુ દિવાળી શા માટે ઉજવાય છે, દિવાળીના દિવસો દરમિયાન રંગોળી કેમ કરવામાં આવે છે સહિતના વિવિધ પ્રશ્નોના જવાબ કદાચ આપણે નહીં જાણતા હોઈએ. દિવાળી દરમિયાન લક્ષ્મી પૂજન કેમ કરવામાં આવે છે, દિવા શા માટે કરવામાં આવે છે, ભારતીયો શા માટે દિવાળી તહેવારની ઉજવણી કરે છે વગેરે વગેરે.. દિવાળી તહેવારને લગતા પ્રશ્નો લોકોએ ગુગલમાં સર્ચ કર્યા છે તેવી માહિતી ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. એક જીઆઈએફ તેમણે શેર કરી છે જેમાં દિવાળીના સમય દરમિયાન ગુગલ પર ક્યા પ્રશ્નો સર્ચ કર્યા તેની માહિતી આપી છે. 

લોકો હવે સવાલ ગુગલને પૂછતા થઈ ગયા છે!

આપણે તહેવારની ઉજવણી તો કરતા હોઈએ છીએ પરંતુ તહેવાર શા માટે આપણે મનાઈએ છીએ તેની જાણ મોટા ભાગના લોકોને નથી હોતી. તહેવાર ઉજવવા પાછળનું કારણ પહેલા આપણે વડીલોને પૂછતા હતા, પરંતુ હવે આ કામ પણ ગુગલ કરી રહ્યું છે. તહેવારને લગતી, ઉપરાંત તહેવાર દરમિયાન કરવામાં આવતી વિધી, નિયમોની જાણકારી આપણને આપણા વડીલો જણાવતા હતા, તહેવારની પાછળ રહેલી પૌરાણીક કથાઓ બા-દાદા કહેતા હતા, પરંતુ હવે જમાનો બદલાયો છે. લોકો વડીલોને પૂછવા કરતા આવા પ્રશ્નો ગુગલને પૂછે છે.! આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ એક જાણકારી શેર કરી છે જેમાં દિવાળીના સમયે લોકો ગુગલ પર સૌથી વધારે કયા પ્રશ્નો સર્ચ કર્યા છે. 


દિવાળીને લગતા ક્યા પ્રશ્નો વિશે લોકોએ ગુગલ પર જાણકારી મેળવી? 

સૌશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જીઆઈએફ તેમણે શેર કરી છે જેમાં લોકોએ દિવાળીને લઈ વિશ્વભરના લોકોએ ક્યા પ્રશ્નો સર્ચ કર્યા છે તેની માહિતી આપી છે. પાંચ પ્રશ્નોનું લિસ્ટ શેર કરવામાં આવ્યું છે જેમાં લોકોએ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ભારતીયો દિવાળી શા માટે ઉજવે છે? દિવાળીમાં રંગોળી શા માટે કરવામાં આવે છે? દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા શા માટે કરવામાં આવે છે? દીવડાઓ શા માટે પ્રજવલીત કરવામાં આવે છે? તેલનું મહત્વ શું છે?  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."