રાજસ્થાનના સીકરમાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત, ઘટના સ્થળે હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા


  • Published By :
  • Published Date : 2023-01-01 20:58:54

રાજસ્થાનના સીકર જિલ્લામાં એક બેકાબૂ પીકઅપ બોરિંગ મશીનના ટ્રક સાથે અથડાતાં હોબાળો મચી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા અને અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ચાર પુરુષ, ત્રણ મહિલા, એક યુવતી અને એક બાળકનો સમાવેશ થાય છે. ટ્રકને ટક્કર મારતા પહેલા પીકઅપે બાઇકને પણ ટક્કર મારી હતી. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. સીએમ અશોક ગેહલોતે આ ભયાનક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.


શ્રધ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા


ગમખ્વાર અકસ્માતની આ ઘટના સીકરના ખંડેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પીકઅપમાં સવાર લોકો જયપુરના સમોદ વિસ્તારના રહેવાસી હતા. તે ભગવાન ગણેશના દર્શન કરવા ખંડેલા આવી રહ્યા હતા. દરમિયાન અચાનક જ પીકઅપે બાઇકને ટક્કર મારી હતી. જે બાદ પીકઅપ ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ પીકઅપ સામેથી આવતી બોરિંગ મશીન ટ્રક સાથે અથડાઈ હતી. આ અથડામણ બાદ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.


ઘટના સ્થળે હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા


જેણે પણ આ અકસ્માત જોયો તેનું હૃદય હચમચી ગયું. મળતી માહિતી મુજબ, બાઇક પર સવાર પુરુષ અને મહિલાનું મોત પહેલા જ થઇ ગયું હતું. જ્યારે પીકઅપમાં સવાર અન્ય 6 લોકોના પણ ટ્રકની ટક્કરથી મોત થયા હતા. લોકોએ તરત જ પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ ખંડેલા અને રણોલી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને પલસાણા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ઇજાગ્રસ્તોને પલસાણાની અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ દરમિયાન પોલીસ અધિકારી કુંવર રાષ્ટ્રદીપ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના માટે પીકઅપ ડ્રાઈવરની બેદરકારી હોવાનું સામે આવ્યું છે.


CM અશોક ગેહલોતે દુઃખ વ્યક્ત કર્યું


રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે આ અકસ્માત પર ટ્વીટ કર્યું, 'સીકરના ખંડેલા વિસ્તારમાં પલસાણા-ખંડેલા રોડ પર માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત ખુબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના, ભગવાન તેમને આ દુખ સહન કરવાની શક્તિ આપે, મૃતકોના આત્માને શાંતિ મળે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરૂ છું.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.