કોરોના સંક્રમણ વચ્ચે શિનજિયાંગમાં આગને કારણે લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો


  • Published By :
  • Published Date : 2022-11-27 12:33:07

ચીનમાં કોરોના મહામારી વકરી રહી છે. દરરોજ કોરોના કેસનો આંકડો 30 હજારને પાર પહોંચી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ચીનમાં ઝીરો કોવિડ નીતિ અપનાવામાં આવી રહી છે. જેને કારણે ચીનમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા ચીનના પશ્ચિમ ભાગમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી જેને કારણે લોકોનો આક્રોશ વધી ગયો છે. 

चीन में विरोध प्रदर्शन

શિયાળાની શરૂઆત થતાં જ ચીનમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. એકાએક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે સરકારે કોરોના સંક્રમણ રોકવા અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. સરકારની નીતિને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. કોરોનાને કારણે લાદેલા પ્રતિબંધોને કારણે લોકોમાં રોષ તો હતો પરંતુ થોડા દિવસો પહેલા ચીનમાં એક એપોર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં અંદાજીત 10 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. 

વિશ્વ આરોગ્ય સંસ્થા – WHOની તબીબી નિષ્ણાંતોની ટીમ ચીનમાં કોરોના વાયરસના  રોગચાળાની તપાસ તથા નિયંત્રણ માટે ચીન પહોંચી

એક તરફ કોરોના સંક્રમણને કારણે લગાવેલ લોકડાઉન અને બીજી તરફ આગની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોએ આંદોલનકારીઓને વધારે આક્રોશમાં લાવવાનું કામ કર્યું. કોરોના પ્રતિબંધો હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ઘટનાને કારણે ચીનના શાંઘાઈમાં લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની ઉરૂમકીમાં લોકો ભેગા થયા હતા અને આગની ઘટનામાં મૃત્યુ પામનારની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી હતી. અને લોકડાઉનને હટાવવાના નારા લગાવામાં આવ્યા હતા. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .