કોરોના સંક્રમણ વચ્ચે શિનજિયાંગમાં આગને કારણે લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો


  • Published By :
  • Published Date : 2022-11-27 12:33:07

ચીનમાં કોરોના મહામારી વકરી રહી છે. દરરોજ કોરોના કેસનો આંકડો 30 હજારને પાર પહોંચી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ચીનમાં ઝીરો કોવિડ નીતિ અપનાવામાં આવી રહી છે. જેને કારણે ચીનમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા ચીનના પશ્ચિમ ભાગમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી જેને કારણે લોકોનો આક્રોશ વધી ગયો છે. 

चीन में विरोध प्रदर्शन

શિયાળાની શરૂઆત થતાં જ ચીનમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. એકાએક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે સરકારે કોરોના સંક્રમણ રોકવા અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. સરકારની નીતિને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. કોરોનાને કારણે લાદેલા પ્રતિબંધોને કારણે લોકોમાં રોષ તો હતો પરંતુ થોડા દિવસો પહેલા ચીનમાં એક એપોર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં અંદાજીત 10 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. 

વિશ્વ આરોગ્ય સંસ્થા – WHOની તબીબી નિષ્ણાંતોની ટીમ ચીનમાં કોરોના વાયરસના  રોગચાળાની તપાસ તથા નિયંત્રણ માટે ચીન પહોંચી

એક તરફ કોરોના સંક્રમણને કારણે લગાવેલ લોકડાઉન અને બીજી તરફ આગની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોએ આંદોલનકારીઓને વધારે આક્રોશમાં લાવવાનું કામ કર્યું. કોરોના પ્રતિબંધો હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ઘટનાને કારણે ચીનના શાંઘાઈમાં લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની ઉરૂમકીમાં લોકો ભેગા થયા હતા અને આગની ઘટનામાં મૃત્યુ પામનારની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી હતી. અને લોકડાઉનને હટાવવાના નારા લગાવામાં આવ્યા હતા. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.