કોરોના સંક્રમણ વચ્ચે શિનજિયાંગમાં આગને કારણે લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો


  • Published By :
  • Published Date : 2022-11-27 12:33:07

ચીનમાં કોરોના મહામારી વકરી રહી છે. દરરોજ કોરોના કેસનો આંકડો 30 હજારને પાર પહોંચી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ચીનમાં ઝીરો કોવિડ નીતિ અપનાવામાં આવી રહી છે. જેને કારણે ચીનમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા ચીનના પશ્ચિમ ભાગમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી જેને કારણે લોકોનો આક્રોશ વધી ગયો છે. 

चीन में विरोध प्रदर्शन

શિયાળાની શરૂઆત થતાં જ ચીનમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. એકાએક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે સરકારે કોરોના સંક્રમણ રોકવા અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. સરકારની નીતિને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. કોરોનાને કારણે લાદેલા પ્રતિબંધોને કારણે લોકોમાં રોષ તો હતો પરંતુ થોડા દિવસો પહેલા ચીનમાં એક એપોર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં અંદાજીત 10 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. 

વિશ્વ આરોગ્ય સંસ્થા – WHOની તબીબી નિષ્ણાંતોની ટીમ ચીનમાં કોરોના વાયરસના  રોગચાળાની તપાસ તથા નિયંત્રણ માટે ચીન પહોંચી

એક તરફ કોરોના સંક્રમણને કારણે લગાવેલ લોકડાઉન અને બીજી તરફ આગની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોએ આંદોલનકારીઓને વધારે આક્રોશમાં લાવવાનું કામ કર્યું. કોરોના પ્રતિબંધો હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ઘટનાને કારણે ચીનના શાંઘાઈમાં લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની ઉરૂમકીમાં લોકો ભેગા થયા હતા અને આગની ઘટનામાં મૃત્યુ પામનારની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી હતી. અને લોકડાઉનને હટાવવાના નારા લગાવામાં આવ્યા હતા. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .