પોઇચા પાસેની નર્મદા નદીમાં ન્હાવા ગયેલા લોકો બન્યા દુર્ઘટનાનો શિકાર, 8 લોકો પાણીમાં ડૂબ્યા, એકનો થયો આબાદ બચાવ, જાણો વિગતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-15 12:06:34

ઉનાળા વેકેશન દરમિયાન અનેક સ્થળો પર લોકોની ભીડ જોવા મળતી હોય છે. અલગ અલગ જગ્યાઓ પર બાળકોને લઈ પરિવારના સભ્યો જતા હોય છે.. અનેક એવા સ્થળો એવા હોય છે જ્યાં લોકો ન્હાવા જતા હોય છે.. ઉનાળાના સમય દરમિયાન પાણીમાં ડૂબકી લગાવી ગમતી હોય છે પરંતુ કોઈ વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે.. ત્યારે પોઈચા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પોઈચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે.. તેઓ મૂળ વતની અમરેલીના હતા અને હાલ તે સુરતમાં રહેતા હતા. 8 લોકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે..

Article Content Image

પોઈચા નર્મદામાં આઠ લોકો ડૂબ્યા  

આપણે અનેક વખત સાંભળ્યું હશે કે અજાણ્યા પાણીમાં ન્હાવું ના જોઈએ.. પાણી સાથે મસ્તી ના કરવી જોઈએ વગેરે વગેરે... દુર્ઘટના સર્જાવાનો ભય રહેતો હોય છે.. આપણામાંથી અનેક લોકો એવા હશે જે અજાણી જગ્યા પર પાણીમાં ન્હાવા જતા હોય છે.. પાણી ક્યારે પોતાની અડફેટમાં આપણને લઈલે તેની ખબર નથી હોતી અને મોટી દુર્ઘટના સર્જાય છે.. ત્યારે આવી જ એક મોટી દુર્ઘટના પોઈચા ખાતે સર્જાઈ છે.. નદીમાં 8 લોકો ડૂબી ગયા છે...નર્મદા નદીમાં નાહવા પડેલા આઠ પ્રવાસીઓ ડૂબી ગયા છે તેવી માહિતી સામે આવી છે.. 

News18


સાત વ્યક્તિઓની કરાઈ રહી છે શોધખોળ 

ડૂબતા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પાણીમાં કૂદયા. એક વ્યક્તિને બચાવી પણ લેવામાં આવ્યો છે. ડૂબેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે તેવી માહિતી સામે આવી છે.. બાકી રહેલા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.. પોલીસની ટીમ, ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે..  



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.