પોઇચા પાસેની નર્મદા નદીમાં ન્હાવા ગયેલા લોકો બન્યા દુર્ઘટનાનો શિકાર, 8 લોકો પાણીમાં ડૂબ્યા, એકનો થયો આબાદ બચાવ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-05-15 12:06:34

ઉનાળા વેકેશન દરમિયાન અનેક સ્થળો પર લોકોની ભીડ જોવા મળતી હોય છે. અલગ અલગ જગ્યાઓ પર બાળકોને લઈ પરિવારના સભ્યો જતા હોય છે.. અનેક એવા સ્થળો એવા હોય છે જ્યાં લોકો ન્હાવા જતા હોય છે.. ઉનાળાના સમય દરમિયાન પાણીમાં ડૂબકી લગાવી ગમતી હોય છે પરંતુ કોઈ વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે.. ત્યારે પોઈચા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પોઈચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે.. તેઓ મૂળ વતની અમરેલીના હતા અને હાલ તે સુરતમાં રહેતા હતા. 8 લોકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે..

Article Content Image

પોઈચા નર્મદામાં આઠ લોકો ડૂબ્યા  

આપણે અનેક વખત સાંભળ્યું હશે કે અજાણ્યા પાણીમાં ન્હાવું ના જોઈએ.. પાણી સાથે મસ્તી ના કરવી જોઈએ વગેરે વગેરે... દુર્ઘટના સર્જાવાનો ભય રહેતો હોય છે.. આપણામાંથી અનેક લોકો એવા હશે જે અજાણી જગ્યા પર પાણીમાં ન્હાવા જતા હોય છે.. પાણી ક્યારે પોતાની અડફેટમાં આપણને લઈલે તેની ખબર નથી હોતી અને મોટી દુર્ઘટના સર્જાય છે.. ત્યારે આવી જ એક મોટી દુર્ઘટના પોઈચા ખાતે સર્જાઈ છે.. નદીમાં 8 લોકો ડૂબી ગયા છે...નર્મદા નદીમાં નાહવા પડેલા આઠ પ્રવાસીઓ ડૂબી ગયા છે તેવી માહિતી સામે આવી છે.. 

News18


સાત વ્યક્તિઓની કરાઈ રહી છે શોધખોળ 

ડૂબતા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પાણીમાં કૂદયા. એક વ્યક્તિને બચાવી પણ લેવામાં આવ્યો છે. ડૂબેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે તેવી માહિતી સામે આવી છે.. બાકી રહેલા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.. પોલીસની ટીમ, ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે..  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."