પોઇચા પાસેની નર્મદા નદીમાં ન્હાવા ગયેલા લોકો બન્યા દુર્ઘટનાનો શિકાર, 8 લોકો પાણીમાં ડૂબ્યા, એકનો થયો આબાદ બચાવ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-05-15 12:06:34

ઉનાળા વેકેશન દરમિયાન અનેક સ્થળો પર લોકોની ભીડ જોવા મળતી હોય છે. અલગ અલગ જગ્યાઓ પર બાળકોને લઈ પરિવારના સભ્યો જતા હોય છે.. અનેક એવા સ્થળો એવા હોય છે જ્યાં લોકો ન્હાવા જતા હોય છે.. ઉનાળાના સમય દરમિયાન પાણીમાં ડૂબકી લગાવી ગમતી હોય છે પરંતુ કોઈ વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે.. ત્યારે પોઈચા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પોઈચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે.. તેઓ મૂળ વતની અમરેલીના હતા અને હાલ તે સુરતમાં રહેતા હતા. 8 લોકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે..

Article Content Image

પોઈચા નર્મદામાં આઠ લોકો ડૂબ્યા  

આપણે અનેક વખત સાંભળ્યું હશે કે અજાણ્યા પાણીમાં ન્હાવું ના જોઈએ.. પાણી સાથે મસ્તી ના કરવી જોઈએ વગેરે વગેરે... દુર્ઘટના સર્જાવાનો ભય રહેતો હોય છે.. આપણામાંથી અનેક લોકો એવા હશે જે અજાણી જગ્યા પર પાણીમાં ન્હાવા જતા હોય છે.. પાણી ક્યારે પોતાની અડફેટમાં આપણને લઈલે તેની ખબર નથી હોતી અને મોટી દુર્ઘટના સર્જાય છે.. ત્યારે આવી જ એક મોટી દુર્ઘટના પોઈચા ખાતે સર્જાઈ છે.. નદીમાં 8 લોકો ડૂબી ગયા છે...નર્મદા નદીમાં નાહવા પડેલા આઠ પ્રવાસીઓ ડૂબી ગયા છે તેવી માહિતી સામે આવી છે.. 

News18


સાત વ્યક્તિઓની કરાઈ રહી છે શોધખોળ 

ડૂબતા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પાણીમાં કૂદયા. એક વ્યક્તિને બચાવી પણ લેવામાં આવ્યો છે. ડૂબેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે તેવી માહિતી સામે આવી છે.. બાકી રહેલા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.. પોલીસની ટીમ, ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે..  



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.