પોઇચા પાસેની નર્મદા નદીમાં ન્હાવા ગયેલા લોકો બન્યા દુર્ઘટનાનો શિકાર, 8 લોકો પાણીમાં ડૂબ્યા, એકનો થયો આબાદ બચાવ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-05-15 12:06:34

ઉનાળા વેકેશન દરમિયાન અનેક સ્થળો પર લોકોની ભીડ જોવા મળતી હોય છે. અલગ અલગ જગ્યાઓ પર બાળકોને લઈ પરિવારના સભ્યો જતા હોય છે.. અનેક એવા સ્થળો એવા હોય છે જ્યાં લોકો ન્હાવા જતા હોય છે.. ઉનાળાના સમય દરમિયાન પાણીમાં ડૂબકી લગાવી ગમતી હોય છે પરંતુ કોઈ વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે.. ત્યારે પોઈચા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પોઈચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે.. તેઓ મૂળ વતની અમરેલીના હતા અને હાલ તે સુરતમાં રહેતા હતા. 8 લોકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે..

Article Content Image

પોઈચા નર્મદામાં આઠ લોકો ડૂબ્યા  

આપણે અનેક વખત સાંભળ્યું હશે કે અજાણ્યા પાણીમાં ન્હાવું ના જોઈએ.. પાણી સાથે મસ્તી ના કરવી જોઈએ વગેરે વગેરે... દુર્ઘટના સર્જાવાનો ભય રહેતો હોય છે.. આપણામાંથી અનેક લોકો એવા હશે જે અજાણી જગ્યા પર પાણીમાં ન્હાવા જતા હોય છે.. પાણી ક્યારે પોતાની અડફેટમાં આપણને લઈલે તેની ખબર નથી હોતી અને મોટી દુર્ઘટના સર્જાય છે.. ત્યારે આવી જ એક મોટી દુર્ઘટના પોઈચા ખાતે સર્જાઈ છે.. નદીમાં 8 લોકો ડૂબી ગયા છે...નર્મદા નદીમાં નાહવા પડેલા આઠ પ્રવાસીઓ ડૂબી ગયા છે તેવી માહિતી સામે આવી છે.. 

News18


સાત વ્યક્તિઓની કરાઈ રહી છે શોધખોળ 

ડૂબતા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પાણીમાં કૂદયા. એક વ્યક્તિને બચાવી પણ લેવામાં આવ્યો છે. ડૂબેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે તેવી માહિતી સામે આવી છે.. બાકી રહેલા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.. પોલીસની ટીમ, ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.