G20 સમિટની સજાવટમાં ઉપયોગમાં લેવામાં આવનાર ફ્લાવર પોટ ચોરનાર શખ્સની ધરપકડ, વીડિયો થયો હતો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-01 15:58:19

જી-20 સમિટની તૈયારીઓના ભાગરૂપે ગુરૂગ્રામમાં ફૂલો લાવવામાં આવ્યા હતા. સજાવટ માટે રસ્તા પર મૂકેલા ફૂલો ચોરી થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં 2 લોકો 40 લાખની ગાડીમાં આવે છે અને રસ્તા પર મૂકેલા ફૂલોને ગાડીની ડેકીમાં મૂકી દે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને આ બંને વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ધરપકડ થયેલા વ્યક્તિનું નામ મનમોહન છે. પોલીસે મનમોહન પાસેથી ચોરાયેલા છોડને પણ જપ્ત કર્યા છે.

    

  

પોલીસે છોડ લઈ જનાર વ્યક્તિની કરી ઓળખ 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં 40 લાખની ગાડીમાં આવેલા વ્યક્તિઓ જી-20 સંમેલન દરમિયાન શહેરને શણગારવા માટે લાવવામાં આવેલા છોડને ચોરી કરતા દેખાતા હતા. કારમાંથી ઉતરી છોડને ડેકીમાં મૂકતા દેખાય છે. વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મનમોહન અને તેમના સાથીદારની ઓળખ કરી લીધી છે. મનમોહન ગુરુગ્રામના ગાંધી નગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે મનમોહન પાસેથી કાર અને ચોરી કરેલા દરેક ફ્લાવર પોટ જમા કરી લીધા છે. 


તેમને ખબર જ ન હતી કે કોઈ વીડિયો લઈ રહ્યો છે   

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મનમોહન અને તેમના સાથી દિલ્હીથી ગુરૂગ્રામ પરત ફરી રહ્યા હતા. ત્યારે બંનેએ છોડ જોયા, ગાડીને ઉભી રાખી અને છોડને ગાડીમાં મૂકી ચાલ્યા ગયા. પોલીસે કહ્યું કે તેમને ખબર જ ન હતી કે કોઈ તેમનો વીડિયો લઈ રહ્યો છે. તેમને એવો અંદાજો પણ ન હતો કે આ વીડિયો તેમને ચોરોની કેટેગરીમાં લઈને ઉભા કરી દેશે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા.        




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.