G20 સમિટની સજાવટમાં ઉપયોગમાં લેવામાં આવનાર ફ્લાવર પોટ ચોરનાર શખ્સની ધરપકડ, વીડિયો થયો હતો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-01 15:58:19

જી-20 સમિટની તૈયારીઓના ભાગરૂપે ગુરૂગ્રામમાં ફૂલો લાવવામાં આવ્યા હતા. સજાવટ માટે રસ્તા પર મૂકેલા ફૂલો ચોરી થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં 2 લોકો 40 લાખની ગાડીમાં આવે છે અને રસ્તા પર મૂકેલા ફૂલોને ગાડીની ડેકીમાં મૂકી દે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને આ બંને વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ધરપકડ થયેલા વ્યક્તિનું નામ મનમોહન છે. પોલીસે મનમોહન પાસેથી ચોરાયેલા છોડને પણ જપ્ત કર્યા છે.

    

  

પોલીસે છોડ લઈ જનાર વ્યક્તિની કરી ઓળખ 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં 40 લાખની ગાડીમાં આવેલા વ્યક્તિઓ જી-20 સંમેલન દરમિયાન શહેરને શણગારવા માટે લાવવામાં આવેલા છોડને ચોરી કરતા દેખાતા હતા. કારમાંથી ઉતરી છોડને ડેકીમાં મૂકતા દેખાય છે. વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મનમોહન અને તેમના સાથીદારની ઓળખ કરી લીધી છે. મનમોહન ગુરુગ્રામના ગાંધી નગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે મનમોહન પાસેથી કાર અને ચોરી કરેલા દરેક ફ્લાવર પોટ જમા કરી લીધા છે. 


તેમને ખબર જ ન હતી કે કોઈ વીડિયો લઈ રહ્યો છે   

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મનમોહન અને તેમના સાથી દિલ્હીથી ગુરૂગ્રામ પરત ફરી રહ્યા હતા. ત્યારે બંનેએ છોડ જોયા, ગાડીને ઉભી રાખી અને છોડને ગાડીમાં મૂકી ચાલ્યા ગયા. પોલીસે કહ્યું કે તેમને ખબર જ ન હતી કે કોઈ તેમનો વીડિયો લઈ રહ્યો છે. તેમને એવો અંદાજો પણ ન હતો કે આ વીડિયો તેમને ચોરોની કેટેગરીમાં લઈને ઉભા કરી દેશે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.