G20 સમિટની સજાવટમાં ઉપયોગમાં લેવામાં આવનાર ફ્લાવર પોટ ચોરનાર શખ્સની ધરપકડ, વીડિયો થયો હતો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-01 15:58:19

જી-20 સમિટની તૈયારીઓના ભાગરૂપે ગુરૂગ્રામમાં ફૂલો લાવવામાં આવ્યા હતા. સજાવટ માટે રસ્તા પર મૂકેલા ફૂલો ચોરી થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં 2 લોકો 40 લાખની ગાડીમાં આવે છે અને રસ્તા પર મૂકેલા ફૂલોને ગાડીની ડેકીમાં મૂકી દે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને આ બંને વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ધરપકડ થયેલા વ્યક્તિનું નામ મનમોહન છે. પોલીસે મનમોહન પાસેથી ચોરાયેલા છોડને પણ જપ્ત કર્યા છે.

    

  

પોલીસે છોડ લઈ જનાર વ્યક્તિની કરી ઓળખ 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં 40 લાખની ગાડીમાં આવેલા વ્યક્તિઓ જી-20 સંમેલન દરમિયાન શહેરને શણગારવા માટે લાવવામાં આવેલા છોડને ચોરી કરતા દેખાતા હતા. કારમાંથી ઉતરી છોડને ડેકીમાં મૂકતા દેખાય છે. વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મનમોહન અને તેમના સાથીદારની ઓળખ કરી લીધી છે. મનમોહન ગુરુગ્રામના ગાંધી નગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે મનમોહન પાસેથી કાર અને ચોરી કરેલા દરેક ફ્લાવર પોટ જમા કરી લીધા છે. 


તેમને ખબર જ ન હતી કે કોઈ વીડિયો લઈ રહ્યો છે   

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મનમોહન અને તેમના સાથી દિલ્હીથી ગુરૂગ્રામ પરત ફરી રહ્યા હતા. ત્યારે બંનેએ છોડ જોયા, ગાડીને ઉભી રાખી અને છોડને ગાડીમાં મૂકી ચાલ્યા ગયા. પોલીસે કહ્યું કે તેમને ખબર જ ન હતી કે કોઈ તેમનો વીડિયો લઈ રહ્યો છે. તેમને એવો અંદાજો પણ ન હતો કે આ વીડિયો તેમને ચોરોની કેટેગરીમાં લઈને ઉભા કરી દેશે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા.        




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.