G20 સમિટની સજાવટમાં ઉપયોગમાં લેવામાં આવનાર ફ્લાવર પોટ ચોરનાર શખ્સની ધરપકડ, વીડિયો થયો હતો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-01 15:58:19

જી-20 સમિટની તૈયારીઓના ભાગરૂપે ગુરૂગ્રામમાં ફૂલો લાવવામાં આવ્યા હતા. સજાવટ માટે રસ્તા પર મૂકેલા ફૂલો ચોરી થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં 2 લોકો 40 લાખની ગાડીમાં આવે છે અને રસ્તા પર મૂકેલા ફૂલોને ગાડીની ડેકીમાં મૂકી દે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને આ બંને વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ધરપકડ થયેલા વ્યક્તિનું નામ મનમોહન છે. પોલીસે મનમોહન પાસેથી ચોરાયેલા છોડને પણ જપ્ત કર્યા છે.

    

  

પોલીસે છોડ લઈ જનાર વ્યક્તિની કરી ઓળખ 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં 40 લાખની ગાડીમાં આવેલા વ્યક્તિઓ જી-20 સંમેલન દરમિયાન શહેરને શણગારવા માટે લાવવામાં આવેલા છોડને ચોરી કરતા દેખાતા હતા. કારમાંથી ઉતરી છોડને ડેકીમાં મૂકતા દેખાય છે. વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મનમોહન અને તેમના સાથીદારની ઓળખ કરી લીધી છે. મનમોહન ગુરુગ્રામના ગાંધી નગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે મનમોહન પાસેથી કાર અને ચોરી કરેલા દરેક ફ્લાવર પોટ જમા કરી લીધા છે. 


તેમને ખબર જ ન હતી કે કોઈ વીડિયો લઈ રહ્યો છે   

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મનમોહન અને તેમના સાથી દિલ્હીથી ગુરૂગ્રામ પરત ફરી રહ્યા હતા. ત્યારે બંનેએ છોડ જોયા, ગાડીને ઉભી રાખી અને છોડને ગાડીમાં મૂકી ચાલ્યા ગયા. પોલીસે કહ્યું કે તેમને ખબર જ ન હતી કે કોઈ તેમનો વીડિયો લઈ રહ્યો છે. તેમને એવો અંદાજો પણ ન હતો કે આ વીડિયો તેમને ચોરોની કેટેગરીમાં લઈને ઉભા કરી દેશે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા.        




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.