Peru Earthquake : 7.2ની તીવ્રતાથી ધ્રુજી પેરૂની ધરા, ધરતીકંપને પગલે અપાઈ સુનામીનું એલર્ટ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-28 13:21:51

ધરતીકંપના આંચકાનો અનુભવ દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં થયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકાથી અફરા તફરી મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ તીવ્ર ભૂકંપનું કેન્દ્ર બિંદુ પેરૂના પશ્ચિમમાં એટીક્વિપાથી 8 કિલોમીટર દૂર હતું. આ મામલે કોઈ જાનહાનિ કે માલહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી પરંતુ એવી માહિતી સામે આવી છે કે ભૂકંપને કારણે સુનામીનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અનેક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ધરતીકંપ કેટલો ભયંકર હતો તે દેખાઈ શકાય છે.  



7.2ની તીવ્રતા વાળા ભૂકંપનો થયો અનુભવ 

ભૂકંપના આંચકાનો અનેક વખત અનુભવ આપણે કર્યો છે.. થોડી તીવ્રતા સાથે આવતા ભૂકંપમાં આપણે દોડભાગ કરવા લાગીએ છીએ ત્યારે પેરૂમાં 7.2ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શુક્રવાર સવારે 11 કલાકની આસપાસ પેરૂની ધરા ધ્રુજી હતી. આટલી તીવ્રતાવાળો ભૂકંપ આવવાને કારણે સુનામીની આગાહી કરવામાં આવી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેલી છે.



ડરને મારે લોકો નિકળી ગયા ઘરની બહાર 

એવી માહિતી સામે આવી છે કે 16 જૂને પણ પેરૂમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. તે વખતે તેની તીવ્રતા 5.9 નોંધાઈ હતી. તે વખતે જાનહાની કે માલહાની થઈ ના હતી તેવી માહિતી સામે આવી છે. પરંતુ આ વખતે 7.2 તીવ્રતા વાળો ભૂકંપના આંચકાનો અનુભવ થયો. ડરના મારે લોકો ઘરની બહાર નીકળી ગયા.  સુરક્ષિત સ્થળે લોકો ખસી જાય તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે સુનામીની ચેતવણી આપી દેવામાં આવી છે.     




અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.