Peru Earthquake : 7.2ની તીવ્રતાથી ધ્રુજી પેરૂની ધરા, ધરતીકંપને પગલે અપાઈ સુનામીનું એલર્ટ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-28 13:21:51

ધરતીકંપના આંચકાનો અનુભવ દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં થયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકાથી અફરા તફરી મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ તીવ્ર ભૂકંપનું કેન્દ્ર બિંદુ પેરૂના પશ્ચિમમાં એટીક્વિપાથી 8 કિલોમીટર દૂર હતું. આ મામલે કોઈ જાનહાનિ કે માલહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી પરંતુ એવી માહિતી સામે આવી છે કે ભૂકંપને કારણે સુનામીનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અનેક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ધરતીકંપ કેટલો ભયંકર હતો તે દેખાઈ શકાય છે.  



7.2ની તીવ્રતા વાળા ભૂકંપનો થયો અનુભવ 

ભૂકંપના આંચકાનો અનેક વખત અનુભવ આપણે કર્યો છે.. થોડી તીવ્રતા સાથે આવતા ભૂકંપમાં આપણે દોડભાગ કરવા લાગીએ છીએ ત્યારે પેરૂમાં 7.2ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શુક્રવાર સવારે 11 કલાકની આસપાસ પેરૂની ધરા ધ્રુજી હતી. આટલી તીવ્રતાવાળો ભૂકંપ આવવાને કારણે સુનામીની આગાહી કરવામાં આવી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેલી છે.



ડરને મારે લોકો નિકળી ગયા ઘરની બહાર 

એવી માહિતી સામે આવી છે કે 16 જૂને પણ પેરૂમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. તે વખતે તેની તીવ્રતા 5.9 નોંધાઈ હતી. તે વખતે જાનહાની કે માલહાની થઈ ના હતી તેવી માહિતી સામે આવી છે. પરંતુ આ વખતે 7.2 તીવ્રતા વાળો ભૂકંપના આંચકાનો અનુભવ થયો. ડરના મારે લોકો ઘરની બહાર નીકળી ગયા.  સુરક્ષિત સ્થળે લોકો ખસી જાય તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે સુનામીની ચેતવણી આપી દેવામાં આવી છે.     




ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .