Peru Earthquake : 7.2ની તીવ્રતાથી ધ્રુજી પેરૂની ધરા, ધરતીકંપને પગલે અપાઈ સુનામીનું એલર્ટ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-28 13:21:51

ધરતીકંપના આંચકાનો અનુભવ દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં થયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકાથી અફરા તફરી મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ તીવ્ર ભૂકંપનું કેન્દ્ર બિંદુ પેરૂના પશ્ચિમમાં એટીક્વિપાથી 8 કિલોમીટર દૂર હતું. આ મામલે કોઈ જાનહાનિ કે માલહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી પરંતુ એવી માહિતી સામે આવી છે કે ભૂકંપને કારણે સુનામીનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અનેક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ધરતીકંપ કેટલો ભયંકર હતો તે દેખાઈ શકાય છે.  



7.2ની તીવ્રતા વાળા ભૂકંપનો થયો અનુભવ 

ભૂકંપના આંચકાનો અનેક વખત અનુભવ આપણે કર્યો છે.. થોડી તીવ્રતા સાથે આવતા ભૂકંપમાં આપણે દોડભાગ કરવા લાગીએ છીએ ત્યારે પેરૂમાં 7.2ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શુક્રવાર સવારે 11 કલાકની આસપાસ પેરૂની ધરા ધ્રુજી હતી. આટલી તીવ્રતાવાળો ભૂકંપ આવવાને કારણે સુનામીની આગાહી કરવામાં આવી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેલી છે.



ડરને મારે લોકો નિકળી ગયા ઘરની બહાર 

એવી માહિતી સામે આવી છે કે 16 જૂને પણ પેરૂમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. તે વખતે તેની તીવ્રતા 5.9 નોંધાઈ હતી. તે વખતે જાનહાની કે માલહાની થઈ ના હતી તેવી માહિતી સામે આવી છે. પરંતુ આ વખતે 7.2 તીવ્રતા વાળો ભૂકંપના આંચકાનો અનુભવ થયો. ડરના મારે લોકો ઘરની બહાર નીકળી ગયા.  સુરક્ષિત સ્થળે લોકો ખસી જાય તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે સુનામીની ચેતવણી આપી દેવામાં આવી છે.     




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .