પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફનું દુબઈમાં અવસાન, એમીલોઇડોસિસ રોગથી પીડાતા હતા


  • Published By :
  • Published Date : 2023-02-05 12:37:27

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં દેહાંત થયું છે. પરવેઝ મુશર્રફ લાંબા સમયથી એમીલોઇડોસિસરોગથી પીડાતા હતા. મુશર્રફ ઘણા મહિનાઓથી  દુબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. દુબઈની આ હોસ્પિટલમાં પરવેઝ મુશર્રફની સારવાર ચાલી રહી હતી. એમીલોઇડોસિસ નામની બીમારીથી પીડિત મુશર્રફના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે રિકવરીની કોઈ શક્યતા બચી નહોતી.


કારગિલમાં ઘુશણખોરીનું કાવતરું રચ્યું હતું


મુશર્રફ કારગિલ યુદ્ધના માસ્ટરમાઇન્ડ હતા. માર્ચ 1999 થી મે 1999 સુધી તેણે આતંકવાદીઓને કારગીલમાં ઘૂસણખોરી કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીએ કારગીલની ઘણી ચોકીઓ કબજે કરી લીધી હતી. બંને દેશોની સેના વચ્ચે અઢી મહિના સુધી યુધ્ધ ચાલ્યું હતું. પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ બળજબરીથી ભારતીય ચોકીઓ પર કબજો જમાવ્યો હતો. પર્વતોના શિખરો પર લડાઈ રહેલું યુદ્ધ દરરોજ નવા પડકારો લઈને આવ્યું હતું. અંતે ભારતનું ઓપરેશન વિજય સફળ રહ્યું હતું અને યુધ્ધમાં ભારતનો વિજય થયો હતો


 નવાઝને હટાવી કર્યું હતું તખ્તાપલટ


12 ઓક્ટોબર 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. આ રક્તવિહીન ક્રાંતિમાં નવાઝની શ્રીલંકાથી આવતા મુશર્રફના વિમાનને હાઇજેક કરીને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને પરિવારના 40 સભ્યો સાથે સાઉદી અરેબિયા મોકલી દેવામાં આવ્યા હતા. નવાઝ શરીફે 1997ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને વડાપ્રધાન પદ સંભાળ્યું. નવાઝ શરીફે જ જનરલ પરવેઝ મુશર્રફને આર્મી ચીફ બનાવ્યા હતા.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .