પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફનું દુબઈમાં અવસાન, એમીલોઇડોસિસ રોગથી પીડાતા હતા


  • Published By :
  • Published Date : 2023-02-05 12:37:27

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં દેહાંત થયું છે. પરવેઝ મુશર્રફ લાંબા સમયથી એમીલોઇડોસિસરોગથી પીડાતા હતા. મુશર્રફ ઘણા મહિનાઓથી  દુબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. દુબઈની આ હોસ્પિટલમાં પરવેઝ મુશર્રફની સારવાર ચાલી રહી હતી. એમીલોઇડોસિસ નામની બીમારીથી પીડિત મુશર્રફના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે રિકવરીની કોઈ શક્યતા બચી નહોતી.


કારગિલમાં ઘુશણખોરીનું કાવતરું રચ્યું હતું


મુશર્રફ કારગિલ યુદ્ધના માસ્ટરમાઇન્ડ હતા. માર્ચ 1999 થી મે 1999 સુધી તેણે આતંકવાદીઓને કારગીલમાં ઘૂસણખોરી કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીએ કારગીલની ઘણી ચોકીઓ કબજે કરી લીધી હતી. બંને દેશોની સેના વચ્ચે અઢી મહિના સુધી યુધ્ધ ચાલ્યું હતું. પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ બળજબરીથી ભારતીય ચોકીઓ પર કબજો જમાવ્યો હતો. પર્વતોના શિખરો પર લડાઈ રહેલું યુદ્ધ દરરોજ નવા પડકારો લઈને આવ્યું હતું. અંતે ભારતનું ઓપરેશન વિજય સફળ રહ્યું હતું અને યુધ્ધમાં ભારતનો વિજય થયો હતો


 નવાઝને હટાવી કર્યું હતું તખ્તાપલટ


12 ઓક્ટોબર 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. આ રક્તવિહીન ક્રાંતિમાં નવાઝની શ્રીલંકાથી આવતા મુશર્રફના વિમાનને હાઇજેક કરીને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને પરિવારના 40 સભ્યો સાથે સાઉદી અરેબિયા મોકલી દેવામાં આવ્યા હતા. નવાઝ શરીફે 1997ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને વડાપ્રધાન પદ સંભાળ્યું. નવાઝ શરીફે જ જનરલ પરવેઝ મુશર્રફને આર્મી ચીફ બનાવ્યા હતા.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.