પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફનું દુબઈમાં અવસાન, એમીલોઇડોસિસ રોગથી પીડાતા હતા


  • Published By :
  • Published Date : 2023-02-05 12:37:27

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં દેહાંત થયું છે. પરવેઝ મુશર્રફ લાંબા સમયથી એમીલોઇડોસિસરોગથી પીડાતા હતા. મુશર્રફ ઘણા મહિનાઓથી  દુબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. દુબઈની આ હોસ્પિટલમાં પરવેઝ મુશર્રફની સારવાર ચાલી રહી હતી. એમીલોઇડોસિસ નામની બીમારીથી પીડિત મુશર્રફના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે રિકવરીની કોઈ શક્યતા બચી નહોતી.


કારગિલમાં ઘુશણખોરીનું કાવતરું રચ્યું હતું


મુશર્રફ કારગિલ યુદ્ધના માસ્ટરમાઇન્ડ હતા. માર્ચ 1999 થી મે 1999 સુધી તેણે આતંકવાદીઓને કારગીલમાં ઘૂસણખોરી કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીએ કારગીલની ઘણી ચોકીઓ કબજે કરી લીધી હતી. બંને દેશોની સેના વચ્ચે અઢી મહિના સુધી યુધ્ધ ચાલ્યું હતું. પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ બળજબરીથી ભારતીય ચોકીઓ પર કબજો જમાવ્યો હતો. પર્વતોના શિખરો પર લડાઈ રહેલું યુદ્ધ દરરોજ નવા પડકારો લઈને આવ્યું હતું. અંતે ભારતનું ઓપરેશન વિજય સફળ રહ્યું હતું અને યુધ્ધમાં ભારતનો વિજય થયો હતો


 નવાઝને હટાવી કર્યું હતું તખ્તાપલટ


12 ઓક્ટોબર 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. આ રક્તવિહીન ક્રાંતિમાં નવાઝની શ્રીલંકાથી આવતા મુશર્રફના વિમાનને હાઇજેક કરીને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને પરિવારના 40 સભ્યો સાથે સાઉદી અરેબિયા મોકલી દેવામાં આવ્યા હતા. નવાઝ શરીફે 1997ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને વડાપ્રધાન પદ સંભાળ્યું. નવાઝ શરીફે જ જનરલ પરવેઝ મુશર્રફને આર્મી ચીફ બનાવ્યા હતા.



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો