પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફનું દુબઈમાં અવસાન, એમીલોઇડોસિસ રોગથી પીડાતા હતા


  • Published By :
  • Published Date : 2023-02-05 12:37:27

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં દેહાંત થયું છે. પરવેઝ મુશર્રફ લાંબા સમયથી એમીલોઇડોસિસરોગથી પીડાતા હતા. મુશર્રફ ઘણા મહિનાઓથી  દુબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. દુબઈની આ હોસ્પિટલમાં પરવેઝ મુશર્રફની સારવાર ચાલી રહી હતી. એમીલોઇડોસિસ નામની બીમારીથી પીડિત મુશર્રફના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે રિકવરીની કોઈ શક્યતા બચી નહોતી.


કારગિલમાં ઘુશણખોરીનું કાવતરું રચ્યું હતું


મુશર્રફ કારગિલ યુદ્ધના માસ્ટરમાઇન્ડ હતા. માર્ચ 1999 થી મે 1999 સુધી તેણે આતંકવાદીઓને કારગીલમાં ઘૂસણખોરી કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીએ કારગીલની ઘણી ચોકીઓ કબજે કરી લીધી હતી. બંને દેશોની સેના વચ્ચે અઢી મહિના સુધી યુધ્ધ ચાલ્યું હતું. પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ બળજબરીથી ભારતીય ચોકીઓ પર કબજો જમાવ્યો હતો. પર્વતોના શિખરો પર લડાઈ રહેલું યુદ્ધ દરરોજ નવા પડકારો લઈને આવ્યું હતું. અંતે ભારતનું ઓપરેશન વિજય સફળ રહ્યું હતું અને યુધ્ધમાં ભારતનો વિજય થયો હતો


 નવાઝને હટાવી કર્યું હતું તખ્તાપલટ


12 ઓક્ટોબર 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. આ રક્તવિહીન ક્રાંતિમાં નવાઝની શ્રીલંકાથી આવતા મુશર્રફના વિમાનને હાઇજેક કરીને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને પરિવારના 40 સભ્યો સાથે સાઉદી અરેબિયા મોકલી દેવામાં આવ્યા હતા. નવાઝ શરીફે 1997ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને વડાપ્રધાન પદ સંભાળ્યું. નવાઝ શરીફે જ જનરલ પરવેઝ મુશર્રફને આર્મી ચીફ બનાવ્યા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .