વિધાનસભાની ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા, કંપનીઓની ખોટ વધતા સરકાર પર દબાણ


  • Published By :
  • Published Date : 2022-12-03 18:30:46

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે. રાજ્યમાં 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેના કરતા સામાન્ય માણસને મૂંઝવતો સવાલ એ છે કે શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે?, ભૂતકાળને જોતા આ પ્રકારની આશંકા પ્રબળ બની છે.  


શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે? 


સામાન્ય રીતે વિધાનસભાની કે અન્ય કોઈ પણ મોટી ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા અટકી જાય છે.  ભૂતકાળમાં ઘણી વખત જોવા મળ્યું છે, ચૂંટણી બાદ તરત જ પેટ્રોલ-ડિઝલના ભાવમાં અચાનક જ ઉછાળો જોવા મળે છે. જેમ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એપ્રિલમાં ભાવ મર્યાદા પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જોવા મળ્યો હતો.


ભાવ વધારાની આશંકા પ્રબળ કેમ?


ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લો ફેરફાર 6 એપ્રિલ 2022ના રોજ થયો હતો. ત્યારથી લગભગ 8 મહિના વીતી ગયા છે અને તેની કિંમતો યથાવત છે. જો કે તેના કારણે દેશની ત્રણ મોટી સરકારી પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC),ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ને એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કુલ રૂ. 21,201.18 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. કંપનીઓ પર ભારે આર્થિર બોજો પડી રહ્યો છે તેથી સરકાર પર પણ નુકસાની ઘટાડવા માટે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનું દબાણ થઈ રહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.