વિધાનસભાની ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા, કંપનીઓની ખોટ વધતા સરકાર પર દબાણ


  • Published By :
  • Published Date : 2022-12-03 18:30:46

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે. રાજ્યમાં 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેના કરતા સામાન્ય માણસને મૂંઝવતો સવાલ એ છે કે શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે?, ભૂતકાળને જોતા આ પ્રકારની આશંકા પ્રબળ બની છે.  


શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે? 


સામાન્ય રીતે વિધાનસભાની કે અન્ય કોઈ પણ મોટી ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા અટકી જાય છે.  ભૂતકાળમાં ઘણી વખત જોવા મળ્યું છે, ચૂંટણી બાદ તરત જ પેટ્રોલ-ડિઝલના ભાવમાં અચાનક જ ઉછાળો જોવા મળે છે. જેમ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એપ્રિલમાં ભાવ મર્યાદા પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જોવા મળ્યો હતો.


ભાવ વધારાની આશંકા પ્રબળ કેમ?


ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લો ફેરફાર 6 એપ્રિલ 2022ના રોજ થયો હતો. ત્યારથી લગભગ 8 મહિના વીતી ગયા છે અને તેની કિંમતો યથાવત છે. જો કે તેના કારણે દેશની ત્રણ મોટી સરકારી પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC),ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ને એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કુલ રૂ. 21,201.18 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. કંપનીઓ પર ભારે આર્થિર બોજો પડી રહ્યો છે તેથી સરકાર પર પણ નુકસાની ઘટાડવા માટે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનું દબાણ થઈ રહ્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .