વિધાનસભાની ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા, કંપનીઓની ખોટ વધતા સરકાર પર દબાણ


  • Published By :
  • Published Date : 2022-12-03 18:30:46

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે. રાજ્યમાં 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેના કરતા સામાન્ય માણસને મૂંઝવતો સવાલ એ છે કે શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે?, ભૂતકાળને જોતા આ પ્રકારની આશંકા પ્રબળ બની છે.  


શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે? 


સામાન્ય રીતે વિધાનસભાની કે અન્ય કોઈ પણ મોટી ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા અટકી જાય છે.  ભૂતકાળમાં ઘણી વખત જોવા મળ્યું છે, ચૂંટણી બાદ તરત જ પેટ્રોલ-ડિઝલના ભાવમાં અચાનક જ ઉછાળો જોવા મળે છે. જેમ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એપ્રિલમાં ભાવ મર્યાદા પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જોવા મળ્યો હતો.


ભાવ વધારાની આશંકા પ્રબળ કેમ?


ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લો ફેરફાર 6 એપ્રિલ 2022ના રોજ થયો હતો. ત્યારથી લગભગ 8 મહિના વીતી ગયા છે અને તેની કિંમતો યથાવત છે. જો કે તેના કારણે દેશની ત્રણ મોટી સરકારી પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC),ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ને એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કુલ રૂ. 21,201.18 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. કંપનીઓ પર ભારે આર્થિર બોજો પડી રહ્યો છે તેથી સરકાર પર પણ નુકસાની ઘટાડવા માટે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનું દબાણ થઈ રહ્યું છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .