પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કર્યો આ ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-06-11 15:18:17

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક વર્ષથી પણ વધુ સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે હવે પરિસ્થિતી બદલવાની છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે જો ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહી તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો રહે છે તો તે ઘટાડાનો નિર્ણય કરી શકે છે. જો કે પુરીએ તેમ કહ્યું  કે જો આગામી ત્રણ મહિનામાં આ કંપનીઓનું આર્થિક પર્ફોર્મન્સ સ્થિર રહે છે તો તે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવાની સારી સ્થિતીમાં હશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ તો તે આ મામલામાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવાની સ્થિતીમાં નથી. 


ગત વર્ષે સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી


ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે ગયા વર્ષે એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો હતો. મે મહિનામાં કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. ત્યાર પછી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા અને કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે પછી આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.