પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કર્યો આ ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-06-11 15:18:17

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક વર્ષથી પણ વધુ સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે હવે પરિસ્થિતી બદલવાની છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે જો ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહી તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો રહે છે તો તે ઘટાડાનો નિર્ણય કરી શકે છે. જો કે પુરીએ તેમ કહ્યું  કે જો આગામી ત્રણ મહિનામાં આ કંપનીઓનું આર્થિક પર્ફોર્મન્સ સ્થિર રહે છે તો તે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવાની સારી સ્થિતીમાં હશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ તો તે આ મામલામાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવાની સ્થિતીમાં નથી. 


ગત વર્ષે સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી


ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે ગયા વર્ષે એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો હતો. મે મહિનામાં કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. ત્યાર પછી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા અને કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે પછી આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.