કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીની અપીલ, ઓઈલ કંપનીઓ ભાવ અને રાજ્ય સરકારો વેટ ઘટાડે


  • Published By :
  • Published Date : 2023-01-22 21:17:31

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં વધેલી મોંઘવારી માટે પણ લોકો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને જ કારણભુત માને છે. જો કે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકોને રાહતના સમાચાર આપ્યા છે. દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. છેલ્લા ઘણા સમયથી બન્ને ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવાની અપીલ કરી છે. 


પેટ્રોલિયમ કંપનીઓ ભાવ ઘટાડે


કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે રવિવારે (22 જાન્યુઆરી) ઓઈલ કંપનીઓને ઈંધણના ભાવ ઘટાડવાની અપીલ કરી હતી. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે હું ઓઈલ કંપનીઓને વિનંતી કરું છું કે જો ઈન્ટરનેશનલ સ્તરે ઓઈલ પ્રાઈસિસ કન્ટ્રોલમાં હોય અને તેમની કંપનીની રિકવરી પૂરી થઈ હોય તો તેમણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા જોઈએ. આ સાથે તેમણે વેટ ન ઘટાડવા માટે રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે કેન્દ્રની વિનંતી છતાં કેટલીક રાજ્ય સરકારોએ વેટ ઘટાડ્યો નથી અને તેના કારણે પણ તેલના ભાવ હજુ પણ ઊંચા છે. તેમણે મોદી સરકારની પ્રસંશા કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવા છતાં અમે તેલના ભાવને મેનેજ કરી શક્યા છીએ, કારણ કે કેન્દ્રએ નવેમ્બર 2021 અને મે 2022ના રોજ એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.


વિદેશમાં ભાવ વધ્યા પણ ભારતમાં સ્થિર


પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા પ્રમાણે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું ઈંધણની કિંમત ડિસેમ્બર 2021થી ડિસેમ્બર 2022 દરમિયાન 3 ટકા વધી છે. તેમણે માહિતી આપી કે આ દરમિયાન અમેરિકામાં ડીઝલ 34 ટકા મોંઘુ થઈ ગયું છે. તે જ પ્રકારે કેનેડામાં તેનો 36 ટકા ભાવ વધ્યો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.