કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીની અપીલ, ઓઈલ કંપનીઓ ભાવ અને રાજ્ય સરકારો વેટ ઘટાડે


  • Published By :
  • Published Date : 2023-01-22 21:17:31

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં વધેલી મોંઘવારી માટે પણ લોકો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને જ કારણભુત માને છે. જો કે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકોને રાહતના સમાચાર આપ્યા છે. દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. છેલ્લા ઘણા સમયથી બન્ને ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવાની અપીલ કરી છે. 


પેટ્રોલિયમ કંપનીઓ ભાવ ઘટાડે


કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે રવિવારે (22 જાન્યુઆરી) ઓઈલ કંપનીઓને ઈંધણના ભાવ ઘટાડવાની અપીલ કરી હતી. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે હું ઓઈલ કંપનીઓને વિનંતી કરું છું કે જો ઈન્ટરનેશનલ સ્તરે ઓઈલ પ્રાઈસિસ કન્ટ્રોલમાં હોય અને તેમની કંપનીની રિકવરી પૂરી થઈ હોય તો તેમણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા જોઈએ. આ સાથે તેમણે વેટ ન ઘટાડવા માટે રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે કેન્દ્રની વિનંતી છતાં કેટલીક રાજ્ય સરકારોએ વેટ ઘટાડ્યો નથી અને તેના કારણે પણ તેલના ભાવ હજુ પણ ઊંચા છે. તેમણે મોદી સરકારની પ્રસંશા કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવા છતાં અમે તેલના ભાવને મેનેજ કરી શક્યા છીએ, કારણ કે કેન્દ્રએ નવેમ્બર 2021 અને મે 2022ના રોજ એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.


વિદેશમાં ભાવ વધ્યા પણ ભારતમાં સ્થિર


પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા પ્રમાણે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું ઈંધણની કિંમત ડિસેમ્બર 2021થી ડિસેમ્બર 2022 દરમિયાન 3 ટકા વધી છે. તેમણે માહિતી આપી કે આ દરમિયાન અમેરિકામાં ડીઝલ 34 ટકા મોંઘુ થઈ ગયું છે. તે જ પ્રકારે કેનેડામાં તેનો 36 ટકા ભાવ વધ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.