કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીની અપીલ, ઓઈલ કંપનીઓ ભાવ અને રાજ્ય સરકારો વેટ ઘટાડે


  • Published By :
  • Published Date : 2023-01-22 21:17:31

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં વધેલી મોંઘવારી માટે પણ લોકો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને જ કારણભુત માને છે. જો કે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકોને રાહતના સમાચાર આપ્યા છે. દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. છેલ્લા ઘણા સમયથી બન્ને ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવાની અપીલ કરી છે. 


પેટ્રોલિયમ કંપનીઓ ભાવ ઘટાડે


કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે રવિવારે (22 જાન્યુઆરી) ઓઈલ કંપનીઓને ઈંધણના ભાવ ઘટાડવાની અપીલ કરી હતી. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે હું ઓઈલ કંપનીઓને વિનંતી કરું છું કે જો ઈન્ટરનેશનલ સ્તરે ઓઈલ પ્રાઈસિસ કન્ટ્રોલમાં હોય અને તેમની કંપનીની રિકવરી પૂરી થઈ હોય તો તેમણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા જોઈએ. આ સાથે તેમણે વેટ ન ઘટાડવા માટે રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે કેન્દ્રની વિનંતી છતાં કેટલીક રાજ્ય સરકારોએ વેટ ઘટાડ્યો નથી અને તેના કારણે પણ તેલના ભાવ હજુ પણ ઊંચા છે. તેમણે મોદી સરકારની પ્રસંશા કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવા છતાં અમે તેલના ભાવને મેનેજ કરી શક્યા છીએ, કારણ કે કેન્દ્રએ નવેમ્બર 2021 અને મે 2022ના રોજ એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.


વિદેશમાં ભાવ વધ્યા પણ ભારતમાં સ્થિર


પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા પ્રમાણે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું ઈંધણની કિંમત ડિસેમ્બર 2021થી ડિસેમ્બર 2022 દરમિયાન 3 ટકા વધી છે. તેમણે માહિતી આપી કે આ દરમિયાન અમેરિકામાં ડીઝલ 34 ટકા મોંઘુ થઈ ગયું છે. તે જ પ્રકારે કેનેડામાં તેનો 36 ટકા ભાવ વધ્યો છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.