શું પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ GST હેઠળ આવશે, નાણામંત્રીએ આ મુદ્દે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-02-16 16:00:17

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું એક કારણ કેન્દ્ર સરકારના વિવિધ કરવેરા પણ છે. જો કે કેન્દ્ર સરકારે તેની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની કોઈ તૈયારી બતાવી નથી. પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાની વાત પણ કેન્દ્ર સરકારને કરવામાં આવી તો પણ તે નકારી કાઢવામાં આવી છે. જો કે હવે નાણામંત્રી નિર્મલા સિતારમણે આ મુદ્દો રાજ્ય સરકારો પર ઢોળ્યો છે. 


શું કહ્યું નાણામંત્રી નિર્મલા સિતારમણે?


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું છે કે,પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ  આવરી લેવા માટેની જોગવાઈ પહેલેથી જ છે. રાજ્યો વચ્ચે સહમતી બાદ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ આવરી લેવામાં આવશે. ઉદ્યોગોના ગ્રૂપ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો સાથે બજેટ બાદ સંવાદ દરમ્યાન નાણામંત્રીએ આ મોટું નિવેદન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે હાલ પેટ્રોલિયમ ક્રૂડ, પેટ્રોલ, હાઈસ્પીડ ડિઝલ, કુદરતી ગેસ અને એટીએફને GSTમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો આવું થશે તો 2022 બાદ પહેલીવાર સરકારના કોઈ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે. નોંધનીય છે કે, GST કાઉન્સિલની 49મી બેઠક આગામી 18 ફેબ્રુઆરીએ યોજાશે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.