ફિલિપ્સએ 6 હજાર લોકોની કરી છટણી, ઓક્ટોબરમાં પણ 4 હજાર કામદારોની કરી હતી હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-01-30 19:40:26

ડચ હેલ્થ ટેક્નોલોજી ફર્મ ફિલિપ્સે પણ સોમવારે છટણીની જાહેરાત કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, તે તેના ગ્લોબલ મેનપાવરમાંથી 6000 લોકોને છૂટા કરશે. કંપની તેના નફાને યથાવતપણે જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લઈ રહી છે, જે શ્વસન ઉપકરણોને પરત બોલાવ્યા બાદ ઘટી ગયો હતો. કંપનીને રેસ્પેરેટરી ડિવાઈસીસને રિકોલ કરવાના કારણે જોરદાર આર્થિક ફટકો પડ્યો હતો અને તેનો નફો ઘણો ઘટી ગયો હતો. 


છટણીનો બીજો રાઉન્ડ


કંપનીના જણાવ્યા અનુસાર, જો કે રિકોલ કરવાનો નિર્ણય ગયા વર્ષે લેવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કંપની તેની નકારાત્મક અસરોનો સામનો કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ટેક કંપની ફિલિપ્સમાં છટણીનો આ બીજો રાઉન્ડ છે. અગાઉ, કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં 4,000 લોકોની છટણી કરી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .