ઉત્તરાખંડના પિથૌરાગઢમાં દર્દનાક દુર્ઘટના, શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો જીપ ખીણમાં ખાબકી, 9નાં મોત, 2 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-06-22 14:19:22

ઉત્તરાખંડના પિથૌરાગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. શ્રધ્ધાળુંઓથી ભરેલી બોલેરો જીપ આજે સવારે રામગંગા નદીમાં ખાબકી હતી. આ  દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. આ શ્રધ્ધાળુંઓ હોકરા મંદિર જઇ રહ્યા હતા ત્યારે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા હતા જ્યારે બે જણાને ગંભીર ઇજા પહોંચી હતી. દુર્ઘટના સમયે જીપમાં લગભગ 12 લોકો સવારી કરી રહ્યા હતા.ઘટનાની જાણ થતા પોલીસ અને  SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી. જીપમાં સવાર તમામ લોકો બાગેશ્વર તાલુકાના ભનારના રહેવાસી હતા.


જીપ 500 મીટર ઊંડી ખાઈમાં ખાબકી


બાગેશ્વર જિલ્લાના સમાથી હોકરા તરફ જઈ રહેલી બોલેરો કારને જબરદસ્ત અકસ્માત નડ્યો હતો અને જીપ 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા છે. બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. દુર્ઘટના બાદ સ્થાનિક લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. બચાવ માટે એક ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આશંકા છે કે મૃત્યુઆંક પણ વધી શકે છે.


બચાવ દળ રવાના


પિથૌરાગઢ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, પોલીસ, SDRF અને એમ્બ્યુલન્સ અને રેવન્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો  કપકોટ, શામા અને ભનારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ કપકોટથી SDRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.



કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.