ઉત્તરાખંડના પિથૌરાગઢમાં દર્દનાક દુર્ઘટના, શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો જીપ ખીણમાં ખાબકી, 9નાં મોત, 2 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-06-22 14:19:22

ઉત્તરાખંડના પિથૌરાગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. શ્રધ્ધાળુંઓથી ભરેલી બોલેરો જીપ આજે સવારે રામગંગા નદીમાં ખાબકી હતી. આ  દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. આ શ્રધ્ધાળુંઓ હોકરા મંદિર જઇ રહ્યા હતા ત્યારે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા હતા જ્યારે બે જણાને ગંભીર ઇજા પહોંચી હતી. દુર્ઘટના સમયે જીપમાં લગભગ 12 લોકો સવારી કરી રહ્યા હતા.ઘટનાની જાણ થતા પોલીસ અને  SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી. જીપમાં સવાર તમામ લોકો બાગેશ્વર તાલુકાના ભનારના રહેવાસી હતા.


જીપ 500 મીટર ઊંડી ખાઈમાં ખાબકી


બાગેશ્વર જિલ્લાના સમાથી હોકરા તરફ જઈ રહેલી બોલેરો કારને જબરદસ્ત અકસ્માત નડ્યો હતો અને જીપ 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા છે. બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. દુર્ઘટના બાદ સ્થાનિક લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. બચાવ માટે એક ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આશંકા છે કે મૃત્યુઆંક પણ વધી શકે છે.


બચાવ દળ રવાના


પિથૌરાગઢ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, પોલીસ, SDRF અને એમ્બ્યુલન્સ અને રેવન્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો  કપકોટ, શામા અને ભનારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ કપકોટથી SDRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.