ભારતના આકરા વલણ બાદ ઢીલા પડ્યા કેનેડાના PM ટ્રુડો, 'ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે કેનેડા'


  • Published By :
  • Published Date : 2023-10-03 22:56:50

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી તંગદીલી વચ્ચે આજે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડોએ મહત્વનું નિવેદન આપ્યું છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કહ્યું હતું કે તેમનો દેશ ભારત સાથે વિવાદો વધારવા માંગતા નથી અને નવી દિલ્હી સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાવા માંગે છે. ટ્રુડોએ કહ્યું કે અમે કેનેડિયન પરિવારોને મદદ કરવા માટે ભારતમાં હાજરી ઈચ્છીએ છીએ.


ભારતના આકરા વલણ બાદ ઢીલા પડ્યા PM ટ્રુડો 


કેનેડાના PM ટ્રુડોનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારતે કેનેડાની સરકારને 10 ઓક્ટોબર સુધીમાં પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે જો આ રાજદ્વારીઓ 10 ઓક્ટોબર પછી પણ ભારતમાં રહેશે તો તેમની રાજદ્વારી પ્રતિરક્ષા પણ રદ કરવામાં આવશે.


શા માટે સંબંધો વણસ્યા?


ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને છેલ્લા ઘણા દિવસોથી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાને નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આરોપ કેનેડાની સંસદમાં લગાવ્યો હતો. આ પછી ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા અને તેમને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. આ સાથે જ બંને દેશોએ એક બીજાના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ પણ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.