આનંદો, ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો PM કિસાન યોજનાનો 13મો હપ્તો


  • Published By :
  • Published Date : 2023-02-27 17:54:05

ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે, આખરે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો 13મો હપ્તો આવી ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને હોળી પહેલા એક મોટી ભેટ આપતાં કર્ણાટકના બેલાગવીમાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિના 13મો હપ્તો બહાર જમા કરવ્યો હતો.પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 16,800 કરોડની રકમ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે. ખેડૂતોના ખાતામાં 2,000ની રકમ જમા થઈ ગઈ જતા ચોક્કસપણે તેમણે રાહતની લાગણી અનુભવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મોદી સરકારે અત્યાર સુધીમાં 11 લાખ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા છે. 


ખેડૂતો તેમનું નામ કઈ રીતે ચેક કરે?  


1. સૌથી પહેલા તમે PM કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ જઈ શકો છો.


2. આ પછી, "ડેશબોર્ડ" ભારતના નકશા સાથે સ્ક્રીન પર દેખાશે. તેના પર ક્લિક કરો.


3. આ પછી, તમારા સંબંધિત રાજ્ય, જિલ્લા અને ગામની પસંદગી કરો.



યોજનાનો લાભ લેવા E-KYC અનિવાર્ય

 

ખેડૂતો જો PM કિસાન (પીએમ કિસાન) યોજનાના લાભાર્થી છે પણ જો હજી સુધી તમારું E-KYC કર્યું નથી, તો 13 મા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવશે નહીં. માટે આ સ્કીમ માટે તમારે પણ શક્ય તેટલી વહેલી તકે તમારું E-KYC કરાવી લેવું અનિવાર્ય છે.


E-KYC શા માટે?


કેન્દ્ર સરકારે આ યોજનામાં કોઈપણ પ્રકારની છેતરપિંડીને રોકવા માટે E-KYC ફરજિયાત બનાવ્યું છે. પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓએ પોતાનું ઇ-કેવાયસી કર્યું નથી, તેઓ 13મા હપ્તાના લાભથી વંચિત રહેશે. એટલે કે 13માં હપ્તાના પૈસા તેમના ખાતામાં નહીં આવે. આવી સ્થિતિમાં, તમે શક્ય તેટલી વહેલી તકે નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ યોજના માટે ઓનલાઇન ઇ-કેવાયસી કરી શકો છો.


ખેડૂતોના હિતાર્થે શરૂ કરાઈ યોજના


પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જુન 2019માં ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન યોજના) હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં 2-2 હજારના હપ્તા લેખે વર્ષે 6,000 રુપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જે સીધી તેમના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 13 હપ્તા આવી ચૂક્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.