આનંદો, ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો PM કિસાન યોજનાનો 13મો હપ્તો


  • Published By :
  • Published Date : 2023-02-27 17:54:05

ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે, આખરે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો 13મો હપ્તો આવી ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને હોળી પહેલા એક મોટી ભેટ આપતાં કર્ણાટકના બેલાગવીમાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિના 13મો હપ્તો બહાર જમા કરવ્યો હતો.પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 16,800 કરોડની રકમ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે. ખેડૂતોના ખાતામાં 2,000ની રકમ જમા થઈ ગઈ જતા ચોક્કસપણે તેમણે રાહતની લાગણી અનુભવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મોદી સરકારે અત્યાર સુધીમાં 11 લાખ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા છે. 


ખેડૂતો તેમનું નામ કઈ રીતે ચેક કરે?  


1. સૌથી પહેલા તમે PM કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ જઈ શકો છો.


2. આ પછી, "ડેશબોર્ડ" ભારતના નકશા સાથે સ્ક્રીન પર દેખાશે. તેના પર ક્લિક કરો.


3. આ પછી, તમારા સંબંધિત રાજ્ય, જિલ્લા અને ગામની પસંદગી કરો.



યોજનાનો લાભ લેવા E-KYC અનિવાર્ય

 

ખેડૂતો જો PM કિસાન (પીએમ કિસાન) યોજનાના લાભાર્થી છે પણ જો હજી સુધી તમારું E-KYC કર્યું નથી, તો 13 મા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવશે નહીં. માટે આ સ્કીમ માટે તમારે પણ શક્ય તેટલી વહેલી તકે તમારું E-KYC કરાવી લેવું અનિવાર્ય છે.


E-KYC શા માટે?


કેન્દ્ર સરકારે આ યોજનામાં કોઈપણ પ્રકારની છેતરપિંડીને રોકવા માટે E-KYC ફરજિયાત બનાવ્યું છે. પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓએ પોતાનું ઇ-કેવાયસી કર્યું નથી, તેઓ 13મા હપ્તાના લાભથી વંચિત રહેશે. એટલે કે 13માં હપ્તાના પૈસા તેમના ખાતામાં નહીં આવે. આવી સ્થિતિમાં, તમે શક્ય તેટલી વહેલી તકે નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ યોજના માટે ઓનલાઇન ઇ-કેવાયસી કરી શકો છો.


ખેડૂતોના હિતાર્થે શરૂ કરાઈ યોજના


પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જુન 2019માં ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન યોજના) હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં 2-2 હજારના હપ્તા લેખે વર્ષે 6,000 રુપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જે સીધી તેમના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 13 હપ્તા આવી ચૂક્યા છે. 



લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.