PM કિસાન યોજના માટે 60 હજાર કરોડ, 13 મા હપ્તાના રૂ 2 હજાર બેંક ખાતામાં ક્યારે ટ્રાન્સફર થશે?


  • Published By :
  • Published Date : 2023-02-03 18:45:51

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે કેન્દ્ર સરકારે બજેટ 2023માં કુલ 60 હજાર કરોડની ફાળવણી કરી છે. હવે ખેડૂતો આ યોજનાના 13માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે 2023-24માં 13માં હપ્તાની રકમ આગામી કેટલાક દિવસોમાં ખેડુતોના ખાતામાં જમા થઈ જશે.


PM કિસાન સન્માન નીધી યોજના શું છે?


દેશભરમાં ખેડૂતોને આર્થિક મદદ માટે આ PM કિસાન સન્માન નીધી યોજના શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ દરેક ખેડૂતના ખાતામાં ત્રણ હપ્તામાં 6 હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. દર હપ્તે ખેડૂતોના ખાતામાં 2 હજારની રકમ જમા કરાવવામા આવે છે.  આ પૂર્વે કેન્દ્ર સરકારે ઓગસ્ટ-નવેમ્બર 2022માં 10 લાખ ખેડૂતોને 12માં હપ્તા તરીકે 8 કરોડ રૂપિયા જાહેર કરાયા હતા.  


આ મહિનામાં 13મો હપ્તો જમા થશે


હવે ખેડૂતો ડિસેમ્બર-માર્ચ ક્વાર્ટરમાં આવતા 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બજેટ 2023-24માં પીએમ કિસાન યોજનાના ફંડની જાહેરાત સાથે, તે સંભાવના પ્રબળ બની છે કે ફેબ્રુઆરી 2023ના પહેલા પખવાડિયા સુધીમાં ખેડૂતોને હપ્તાના રૂપમાં રકમ જારી કરવામાં આવી શકે છે. આવું એટલા માટે પણ છે કારણ કે બિહાર સહિત ઘણા રાજ્યોએ લાભાર્થી ખેડૂતોને તેમના ખાતાના ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે 28 જાન્યુઆરી, 2023 ની છેલ્લી તારીખ આપી હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.