PM કિસાન યોજના માટે 60 હજાર કરોડ, 13 મા હપ્તાના રૂ 2 હજાર બેંક ખાતામાં ક્યારે ટ્રાન્સફર થશે?


  • Published By :
  • Published Date : 2023-02-03 18:45:51

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે કેન્દ્ર સરકારે બજેટ 2023માં કુલ 60 હજાર કરોડની ફાળવણી કરી છે. હવે ખેડૂતો આ યોજનાના 13માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે 2023-24માં 13માં હપ્તાની રકમ આગામી કેટલાક દિવસોમાં ખેડુતોના ખાતામાં જમા થઈ જશે.


PM કિસાન સન્માન નીધી યોજના શું છે?


દેશભરમાં ખેડૂતોને આર્થિક મદદ માટે આ PM કિસાન સન્માન નીધી યોજના શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ દરેક ખેડૂતના ખાતામાં ત્રણ હપ્તામાં 6 હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. દર હપ્તે ખેડૂતોના ખાતામાં 2 હજારની રકમ જમા કરાવવામા આવે છે.  આ પૂર્વે કેન્દ્ર સરકારે ઓગસ્ટ-નવેમ્બર 2022માં 10 લાખ ખેડૂતોને 12માં હપ્તા તરીકે 8 કરોડ રૂપિયા જાહેર કરાયા હતા.  


આ મહિનામાં 13મો હપ્તો જમા થશે


હવે ખેડૂતો ડિસેમ્બર-માર્ચ ક્વાર્ટરમાં આવતા 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બજેટ 2023-24માં પીએમ કિસાન યોજનાના ફંડની જાહેરાત સાથે, તે સંભાવના પ્રબળ બની છે કે ફેબ્રુઆરી 2023ના પહેલા પખવાડિયા સુધીમાં ખેડૂતોને હપ્તાના રૂપમાં રકમ જારી કરવામાં આવી શકે છે. આવું એટલા માટે પણ છે કારણ કે બિહાર સહિત ઘણા રાજ્યોએ લાભાર્થી ખેડૂતોને તેમના ખાતાના ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે 28 જાન્યુઆરી, 2023 ની છેલ્લી તારીખ આપી હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.