PM મોદી, અમીત શાહ, અને બિહારના CM નિતીશ કુમારની હત્યાના ધમકીભર્યા ફોનથી દિલ્હી પોલીસ દોડતી થઈ


  • Published By :
  • Published Date : 2023-06-21 15:55:31

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આજે બુધવારે (21 જૂન) દિલ્હી પોલીસે પીએમ મોદીની હત્યા કરવાના ધમકીભર્યા ફોનથી હડકંપ મચી ગયો છે. દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટ પીસીઆરને ફોન આવ્યો જેમાં એક શખ્સે પીએમ મોદી, બિહારના CM નિતીશ કુમાર અને દેશના ગૃહમંત્રી અમિત શાહને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પીએમ-ગૃહમંત્રી અને બિહારના CMને ધમકી મળતા જ દિલ્હી પોલીસે આ મામલે એક ટીમ બનાવી અને મામલાની તપાસ શરૂ કરી.


ધમકી આપનારા શખ્સની થઈ ઓળખ


પીએમ મોદીને ધમકી મળી તે અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે આજે સવારે એક વ્યક્તિએ આઉટર ડિસ્ટ્રિક્ટ પોલીસને PCR કોલ કર્યો અને બિહારના મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી. થોડા સમય બાદ બીજા કોલમાં પીએમ અને ગૃહમંત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર યુવકની ઓળખ થઈ ગઈ છે, તેનું નામ સંજય વર્મા છે અને તે દિલ્હીના માદીપુર વિસ્તારનો રહેવાસી છે. સંજયના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સંજય ગઈ રાતથી દારૂ પી રહ્યો છે. હવે દિલ્હી પોલીસ સંજયને શોધી રહી છે.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.