PM મોદી, અમીત શાહ, અને બિહારના CM નિતીશ કુમારની હત્યાના ધમકીભર્યા ફોનથી દિલ્હી પોલીસ દોડતી થઈ


  • Published By :
  • Published Date : 2023-06-21 15:55:31

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આજે બુધવારે (21 જૂન) દિલ્હી પોલીસે પીએમ મોદીની હત્યા કરવાના ધમકીભર્યા ફોનથી હડકંપ મચી ગયો છે. દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટ પીસીઆરને ફોન આવ્યો જેમાં એક શખ્સે પીએમ મોદી, બિહારના CM નિતીશ કુમાર અને દેશના ગૃહમંત્રી અમિત શાહને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પીએમ-ગૃહમંત્રી અને બિહારના CMને ધમકી મળતા જ દિલ્હી પોલીસે આ મામલે એક ટીમ બનાવી અને મામલાની તપાસ શરૂ કરી.


ધમકી આપનારા શખ્સની થઈ ઓળખ


પીએમ મોદીને ધમકી મળી તે અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે આજે સવારે એક વ્યક્તિએ આઉટર ડિસ્ટ્રિક્ટ પોલીસને PCR કોલ કર્યો અને બિહારના મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી. થોડા સમય બાદ બીજા કોલમાં પીએમ અને ગૃહમંત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર યુવકની ઓળખ થઈ ગઈ છે, તેનું નામ સંજય વર્મા છે અને તે દિલ્હીના માદીપુર વિસ્તારનો રહેવાસી છે. સંજયના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સંજય ગઈ રાતથી દારૂ પી રહ્યો છે. હવે દિલ્હી પોલીસ સંજયને શોધી રહી છે.




એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .