PM મોદી સહિત અનેક હસ્તીઓએ અમિતાભ બચ્ચનનને 80માં જન્મદિનની શુભકામનાઓ પાઠવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 14:00:58

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પોતાનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ચાહકો અને સેલીબ્રેટી સુધી દરેકે સોશિયલ મીડિયા મારફતે અમિતાભ બચ્ચનને અભિનંદન આપી રહ્યા છે. હિન્દી સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેમના જન્મદિવસની રાત્રે તેમના ચાહકોને સરપ્રાઈઝ આપી હતી અને મુંબઈમાં તેમના નિવાસસ્થાન 'જલસા'ની બહાર તેમણે લોકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમની પુત્રી શ્વેતા બચ્ચન પણ હતી. બીજી તરફ શ્વેતા બચ્ચને તેના પિતા સાથેની તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેની સાથે તેણે એક ખાસ પોસ્ટ પણ લખી છે.


શ્વેતા બચ્ચને જુની તસવીરો પોસ્ટ કરી


પોસ્ટમાં આબિદા પરવીન અને નસીબો લાલના ગીતના બોલ શ્વેતા બચ્ચને લખ્યા છે. આ પોસ્ટ સાથે શેર કરાયેલ પ્રથમ તસવીરમાં શ્વેતા બચ્ચન અને અમિતાભનું બોન્ડિંગ જોવા મળે છે. બીજી તસવીરમાં બિગ બી સાથે શ્વેતાની બાળપણની તસવીર છે જેમાં તે હાથ પકડેલી જોવા મળી રહી છે. ત્રીજી તસવીરમાં બિગ બી તેમના સ્વર્ગસ્થ માતા-પિતા હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચન સાથે જોવા મળે છે.


PM મોદીએ પણ અમિતાભ બચ્ચનને શુભેચ્છા પાઠવી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમિતાભ બચ્ચનના 80માં જન્મદિને તેમના દીર્ઘાયું અને તંદુરસ્ત જીવનની કામના કરતી પોસ્ટ કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું " અમિતાભ બચ્ચનજીને તેમના 80માં જન્મદિનનની ખુબ-ખુબ શુભકામનાઓ તે ભારતની સૌથી નોંધપાત્ર ફિલ્મ હસ્તીઓમાંની એક છે જેમણે પેઢી દર પેઢી પ્રેક્ષકોને મોહિત કર્યા છે અને તેમનું મનોરંજન કર્યું છે. તે લાંબુ અને સ્વસ્થ જીવન જીવે.' અત્રે ઉલ્લેખનિય છે કે માત્ર પીએમ મોદી જ નહીં પરંતુ મનોરંજન અને રાજનીતિ જગતના તમામ લોકો અમિતાભને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.