મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટના પર પીએમ મોદીએ તોડ્યું મૌન, સાંભળો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-20 11:25:39

મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટનાને લઈ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. ચોમાસા સત્રના પહેલા દિવસે પીએમ મોદીએ મણિપુરમાં બનેલી અને માનવતાને શર્મસાર કરતી ઘટનાને લઈ પોતાનું મૌન તોડ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 'मेरा हृदय पीड़ा से भरा हुआ है। क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए शर्मसार करने वाली घटना है। 

माताओं बहनों की रक्षा करने के लिए कठोर से कठोर कदम उठाएं। - પીએમ મોદી

ગઈકાલથી દરેક જગ્યાઓ પર એક ઘટનાની ચર્ચા થઈ રહી છે. મણિપુરથી સામે આવેલા મહિલાના વીડિયો અંગેની. વીડિયો દિલ કંપાવી દે તેવો હતો. મણિપુરની ઘટનામાં ફાટી નિકળેલી હિંસા અંગે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. સત્તા પક્ષ તેમજ પીએમ મોદી મણિપુરની હિંસા અંગે પોતાનું મૌન તોડે તેવી માગ કરી રહ્યા હતા. ત્યારે આજે પીએમ મોદીએ મણિપુરમાં મહિલા સાથે થયેલા વ્યવહાર પર પ્રતિક્રિયા આપી છે. 'मेरा हृदय पीड़ा से भरा हुआ है। क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए शर्मसार करने वाली घटना है। पाप करने वाले, गुनाह करने वाले कितने हैं, कौन हैं, वो अपनी जगह पर हैं, लेकिन बेइज्जती पूरे देश की हो रही है। 140 करोड़ भारतीयों की हो रही है। मैं सभी मुख्यमंत्रियों से अपील करता हूं कि वे माताओं बहनों की रक्षा करने के लिए कठोर से कठोर कदम उठाएं।



મણિપુર અંગે પહેેલી વખત બોલ્યા પીએમ મોદી!

પીએમ મોદીની પ્રતિક્રિયા પર અનેક લોકો કહેશે કે બડી દેર કર દી આતે આતે કોઈ કહેશે દેર આયે દુરસ્ત આયે. પરંતુ અનેક મુદ્દાઓ એવા હોય છે જેમાં  પ્રતિક્રિયા આપવામાં મોડું કરવું યોગ્ય નથી હોતું. મણિપુર વિશે પ્રથમ વખત પીએમ મોદીએ મૌન તોડ્યું છે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.