મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટના પર પીએમ મોદીએ તોડ્યું મૌન, સાંભળો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-20 11:25:39

મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટનાને લઈ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. ચોમાસા સત્રના પહેલા દિવસે પીએમ મોદીએ મણિપુરમાં બનેલી અને માનવતાને શર્મસાર કરતી ઘટનાને લઈ પોતાનું મૌન તોડ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 'मेरा हृदय पीड़ा से भरा हुआ है। क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए शर्मसार करने वाली घटना है। 

माताओं बहनों की रक्षा करने के लिए कठोर से कठोर कदम उठाएं। - પીએમ મોદી

ગઈકાલથી દરેક જગ્યાઓ પર એક ઘટનાની ચર્ચા થઈ રહી છે. મણિપુરથી સામે આવેલા મહિલાના વીડિયો અંગેની. વીડિયો દિલ કંપાવી દે તેવો હતો. મણિપુરની ઘટનામાં ફાટી નિકળેલી હિંસા અંગે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. સત્તા પક્ષ તેમજ પીએમ મોદી મણિપુરની હિંસા અંગે પોતાનું મૌન તોડે તેવી માગ કરી રહ્યા હતા. ત્યારે આજે પીએમ મોદીએ મણિપુરમાં મહિલા સાથે થયેલા વ્યવહાર પર પ્રતિક્રિયા આપી છે. 'मेरा हृदय पीड़ा से भरा हुआ है। क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए शर्मसार करने वाली घटना है। पाप करने वाले, गुनाह करने वाले कितने हैं, कौन हैं, वो अपनी जगह पर हैं, लेकिन बेइज्जती पूरे देश की हो रही है। 140 करोड़ भारतीयों की हो रही है। मैं सभी मुख्यमंत्रियों से अपील करता हूं कि वे माताओं बहनों की रक्षा करने के लिए कठोर से कठोर कदम उठाएं।



મણિપુર અંગે પહેેલી વખત બોલ્યા પીએમ મોદી!

પીએમ મોદીની પ્રતિક્રિયા પર અનેક લોકો કહેશે કે બડી દેર કર દી આતે આતે કોઈ કહેશે દેર આયે દુરસ્ત આયે. પરંતુ અનેક મુદ્દાઓ એવા હોય છે જેમાં  પ્રતિક્રિયા આપવામાં મોડું કરવું યોગ્ય નથી હોતું. મણિપુર વિશે પ્રથમ વખત પીએમ મોદીએ મૌન તોડ્યું છે.      



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.