મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટના પર પીએમ મોદીએ તોડ્યું મૌન, સાંભળો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-20 11:25:39

મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટનાને લઈ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. ચોમાસા સત્રના પહેલા દિવસે પીએમ મોદીએ મણિપુરમાં બનેલી અને માનવતાને શર્મસાર કરતી ઘટનાને લઈ પોતાનું મૌન તોડ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 'मेरा हृदय पीड़ा से भरा हुआ है। क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए शर्मसार करने वाली घटना है। 

माताओं बहनों की रक्षा करने के लिए कठोर से कठोर कदम उठाएं। - પીએમ મોદી

ગઈકાલથી દરેક જગ્યાઓ પર એક ઘટનાની ચર્ચા થઈ રહી છે. મણિપુરથી સામે આવેલા મહિલાના વીડિયો અંગેની. વીડિયો દિલ કંપાવી દે તેવો હતો. મણિપુરની ઘટનામાં ફાટી નિકળેલી હિંસા અંગે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. સત્તા પક્ષ તેમજ પીએમ મોદી મણિપુરની હિંસા અંગે પોતાનું મૌન તોડે તેવી માગ કરી રહ્યા હતા. ત્યારે આજે પીએમ મોદીએ મણિપુરમાં મહિલા સાથે થયેલા વ્યવહાર પર પ્રતિક્રિયા આપી છે. 'मेरा हृदय पीड़ा से भरा हुआ है। क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए शर्मसार करने वाली घटना है। पाप करने वाले, गुनाह करने वाले कितने हैं, कौन हैं, वो अपनी जगह पर हैं, लेकिन बेइज्जती पूरे देश की हो रही है। 140 करोड़ भारतीयों की हो रही है। मैं सभी मुख्यमंत्रियों से अपील करता हूं कि वे माताओं बहनों की रक्षा करने के लिए कठोर से कठोर कदम उठाएं।



મણિપુર અંગે પહેેલી વખત બોલ્યા પીએમ મોદી!

પીએમ મોદીની પ્રતિક્રિયા પર અનેક લોકો કહેશે કે બડી દેર કર દી આતે આતે કોઈ કહેશે દેર આયે દુરસ્ત આયે. પરંતુ અનેક મુદ્દાઓ એવા હોય છે જેમાં  પ્રતિક્રિયા આપવામાં મોડું કરવું યોગ્ય નથી હોતું. મણિપુર વિશે પ્રથમ વખત પીએમ મોદીએ મૌન તોડ્યું છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.