મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટના પર પીએમ મોદીએ તોડ્યું મૌન, સાંભળો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-20 11:25:39

મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટનાને લઈ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. ચોમાસા સત્રના પહેલા દિવસે પીએમ મોદીએ મણિપુરમાં બનેલી અને માનવતાને શર્મસાર કરતી ઘટનાને લઈ પોતાનું મૌન તોડ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 'मेरा हृदय पीड़ा से भरा हुआ है। क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए शर्मसार करने वाली घटना है। 

माताओं बहनों की रक्षा करने के लिए कठोर से कठोर कदम उठाएं। - પીએમ મોદી

ગઈકાલથી દરેક જગ્યાઓ પર એક ઘટનાની ચર્ચા થઈ રહી છે. મણિપુરથી સામે આવેલા મહિલાના વીડિયો અંગેની. વીડિયો દિલ કંપાવી દે તેવો હતો. મણિપુરની ઘટનામાં ફાટી નિકળેલી હિંસા અંગે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. સત્તા પક્ષ તેમજ પીએમ મોદી મણિપુરની હિંસા અંગે પોતાનું મૌન તોડે તેવી માગ કરી રહ્યા હતા. ત્યારે આજે પીએમ મોદીએ મણિપુરમાં મહિલા સાથે થયેલા વ્યવહાર પર પ્રતિક્રિયા આપી છે. 'मेरा हृदय पीड़ा से भरा हुआ है। क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए शर्मसार करने वाली घटना है। पाप करने वाले, गुनाह करने वाले कितने हैं, कौन हैं, वो अपनी जगह पर हैं, लेकिन बेइज्जती पूरे देश की हो रही है। 140 करोड़ भारतीयों की हो रही है। मैं सभी मुख्यमंत्रियों से अपील करता हूं कि वे माताओं बहनों की रक्षा करने के लिए कठोर से कठोर कदम उठाएं।



મણિપુર અંગે પહેેલી વખત બોલ્યા પીએમ મોદી!

પીએમ મોદીની પ્રતિક્રિયા પર અનેક લોકો કહેશે કે બડી દેર કર દી આતે આતે કોઈ કહેશે દેર આયે દુરસ્ત આયે. પરંતુ અનેક મુદ્દાઓ એવા હોય છે જેમાં  પ્રતિક્રિયા આપવામાં મોડું કરવું યોગ્ય નથી હોતું. મણિપુર વિશે પ્રથમ વખત પીએમ મોદીએ મૌન તોડ્યું છે.      



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .