ભ્રષ્ટાચાર એ સામાન્ય ગુનો નથી, ભ્રષ્ટાચાર ગરીબોના અધિકારો છીનવે છે: PM મોદી


  • Published By :
  • Published Date : 2023-04-03 18:29:20

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન PMએ કહ્યું કે દેશની પ્રીમિયમ ઈન્વીસ્ટિગેશન એજન્સી તરીકે CBIના 60 વર્ષ સિદ્ધિઓથી ભરેલા છે. જનતાને સીબીઆઈ પર વિશ્વાસ છે. જાણો PM મોદીના સંબોધનની ખાસ વાતો.


(1) આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે CBIની મુખ્ય જવાબદારી દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાની છે. ભ્રષ્ટાચાર એ સામાન્ય ગુનો નથી. ભ્રષ્ટાચાર ગરીબોના અધિકારો છીનવી લે છે, અને અનેક ગુનાઓને જન્મ આપે છે. લોકશાહી અને ન્યાયના માર્ગમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધ છે.


(2) PM મોદીએ કહ્યું કે આજે દેશમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે રાજકીય ઈચ્છાશક્તિની કોઈ કમી નથી. તમારે ક્યાંય સંકોચ કરવાની જરૂર નથી, ક્યા અટકી જવાની જરૂર નથી"


(3) CBIના વધતા કાર્યક્ષેત્રના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 6 દાયકામાં CBIએ Multi Dimensional અને Multi Disciplinary તપાસ એજન્સી તરીકે પોતાની ઓળખ બનાવી છે, આજે CBIનો વ્યાપ વિશાળ બની ગયો છે. CBIએ મહાનગરથી જંગલ સુધી દોડવું પડે છે.


(4) CBI પર સામાન્ય લોકોના વિશ્વાસ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે તેની કાર્યશૈલી, કાર્યક્ષમતા અને ક્ષમતાઓથી CBIએ લોકોમાં ઊંડો વિશ્વાસ જગાવ્યો છે. CBI સત્ય, ન્યાયની બ્રાન્ડ બનીને ઉભરી છે! આટલી હદે સામાન્ય લોકોનો ભરોસો અને વિશ્વાસ જીતવો એ સરળ બાબત નથી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.