ભ્રષ્ટાચાર એ સામાન્ય ગુનો નથી, ભ્રષ્ટાચાર ગરીબોના અધિકારો છીનવે છે: PM મોદી


  • Published By :
  • Published Date : 2023-04-03 18:29:20

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન PMએ કહ્યું કે દેશની પ્રીમિયમ ઈન્વીસ્ટિગેશન એજન્સી તરીકે CBIના 60 વર્ષ સિદ્ધિઓથી ભરેલા છે. જનતાને સીબીઆઈ પર વિશ્વાસ છે. જાણો PM મોદીના સંબોધનની ખાસ વાતો.


(1) આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે CBIની મુખ્ય જવાબદારી દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાની છે. ભ્રષ્ટાચાર એ સામાન્ય ગુનો નથી. ભ્રષ્ટાચાર ગરીબોના અધિકારો છીનવી લે છે, અને અનેક ગુનાઓને જન્મ આપે છે. લોકશાહી અને ન્યાયના માર્ગમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધ છે.


(2) PM મોદીએ કહ્યું કે આજે દેશમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે રાજકીય ઈચ્છાશક્તિની કોઈ કમી નથી. તમારે ક્યાંય સંકોચ કરવાની જરૂર નથી, ક્યા અટકી જવાની જરૂર નથી"


(3) CBIના વધતા કાર્યક્ષેત્રના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 6 દાયકામાં CBIએ Multi Dimensional અને Multi Disciplinary તપાસ એજન્સી તરીકે પોતાની ઓળખ બનાવી છે, આજે CBIનો વ્યાપ વિશાળ બની ગયો છે. CBIએ મહાનગરથી જંગલ સુધી દોડવું પડે છે.


(4) CBI પર સામાન્ય લોકોના વિશ્વાસ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે તેની કાર્યશૈલી, કાર્યક્ષમતા અને ક્ષમતાઓથી CBIએ લોકોમાં ઊંડો વિશ્વાસ જગાવ્યો છે. CBI સત્ય, ન્યાયની બ્રાન્ડ બનીને ઉભરી છે! આટલી હદે સામાન્ય લોકોનો ભરોસો અને વિશ્વાસ જીતવો એ સરળ બાબત નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.