ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો, PM મોદીના ડિગ્રી-સર્ટિફિકેટની માગી હતી વિગત


  • Published By :
  • Published Date : 2023-03-31 16:29:44

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રિય કન્વિનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પર ગુજરાત હાઈકોર્ટે રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે આજે શુક્રવારે આ પીએમ મોદીની ડિગ્રી બતાવવાની કેજરીવાલની માગ ફગાવી દેતા ચુકાદો સંભળાવ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ નરેન્દ્ર મોદીની સ્નાતક અને એમએનું ડિગ્રી સર્ટી રજુ કરવાની જરૂર નથી. 


CICનો આદેશ રદ્દ  


ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે મુખ્ય માહિતી અધિકારી (CIC)ના તે આદેશને પણ રદ્દ કરી દીધો જેમાં PMOના  માહિતી અધિકારી (PIO) અને ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના PIOને PM નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અંગેની વિગત રજુ કરવાની સુચના આપવામાં આવી હતી.


કેજરીવાલ પર રૂ.25 હજારનો દંડ


મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર રૂ.25 હજારનો દંડ પણ લગાવ્યો હતો, કેજરીવાલે PM મોદીના ડિગ્રી સર્ટિફિકેટની ડિટેલ માંગી હતી. સીએમ કેજરીવાલે આ રકમ ગુજરાત રાજ્ય લિગલ સર્વિસ ઓથોરીટી સમક્ષ જમા કરાવવાની રહેશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.