ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો, PM મોદીના ડિગ્રી-સર્ટિફિકેટની માગી હતી વિગત


  • Published By :
  • Published Date : 2023-03-31 16:29:44

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રિય કન્વિનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પર ગુજરાત હાઈકોર્ટે રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે આજે શુક્રવારે આ પીએમ મોદીની ડિગ્રી બતાવવાની કેજરીવાલની માગ ફગાવી દેતા ચુકાદો સંભળાવ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ નરેન્દ્ર મોદીની સ્નાતક અને એમએનું ડિગ્રી સર્ટી રજુ કરવાની જરૂર નથી. 


CICનો આદેશ રદ્દ  


ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે મુખ્ય માહિતી અધિકારી (CIC)ના તે આદેશને પણ રદ્દ કરી દીધો જેમાં PMOના  માહિતી અધિકારી (PIO) અને ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના PIOને PM નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અંગેની વિગત રજુ કરવાની સુચના આપવામાં આવી હતી.


કેજરીવાલ પર રૂ.25 હજારનો દંડ


મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર રૂ.25 હજારનો દંડ પણ લગાવ્યો હતો, કેજરીવાલે PM મોદીના ડિગ્રી સર્ટિફિકેટની ડિટેલ માંગી હતી. સીએમ કેજરીવાલે આ રકમ ગુજરાત રાજ્ય લિગલ સર્વિસ ઓથોરીટી સમક્ષ જમા કરાવવાની રહેશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.