ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો, PM મોદીના ડિગ્રી-સર્ટિફિકેટની માગી હતી વિગત


  • Published By :
  • Published Date : 2023-03-31 16:29:44

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રિય કન્વિનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પર ગુજરાત હાઈકોર્ટે રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે આજે શુક્રવારે આ પીએમ મોદીની ડિગ્રી બતાવવાની કેજરીવાલની માગ ફગાવી દેતા ચુકાદો સંભળાવ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ નરેન્દ્ર મોદીની સ્નાતક અને એમએનું ડિગ્રી સર્ટી રજુ કરવાની જરૂર નથી. 


CICનો આદેશ રદ્દ  


ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે મુખ્ય માહિતી અધિકારી (CIC)ના તે આદેશને પણ રદ્દ કરી દીધો જેમાં PMOના  માહિતી અધિકારી (PIO) અને ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના PIOને PM નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અંગેની વિગત રજુ કરવાની સુચના આપવામાં આવી હતી.


કેજરીવાલ પર રૂ.25 હજારનો દંડ


મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર રૂ.25 હજારનો દંડ પણ લગાવ્યો હતો, કેજરીવાલે PM મોદીના ડિગ્રી સર્ટિફિકેટની ડિટેલ માંગી હતી. સીએમ કેજરીવાલે આ રકમ ગુજરાત રાજ્ય લિગલ સર્વિસ ઓથોરીટી સમક્ષ જમા કરાવવાની રહેશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.