ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો, PM મોદીના ડિગ્રી-સર્ટિફિકેટની માગી હતી વિગત


  • Published By :
  • Published Date : 2023-03-31 16:29:44

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રિય કન્વિનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પર ગુજરાત હાઈકોર્ટે રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે આજે શુક્રવારે આ પીએમ મોદીની ડિગ્રી બતાવવાની કેજરીવાલની માગ ફગાવી દેતા ચુકાદો સંભળાવ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ નરેન્દ્ર મોદીની સ્નાતક અને એમએનું ડિગ્રી સર્ટી રજુ કરવાની જરૂર નથી. 


CICનો આદેશ રદ્દ  


ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે મુખ્ય માહિતી અધિકારી (CIC)ના તે આદેશને પણ રદ્દ કરી દીધો જેમાં PMOના  માહિતી અધિકારી (PIO) અને ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના PIOને PM નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અંગેની વિગત રજુ કરવાની સુચના આપવામાં આવી હતી.


કેજરીવાલ પર રૂ.25 હજારનો દંડ


મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર રૂ.25 હજારનો દંડ પણ લગાવ્યો હતો, કેજરીવાલે PM મોદીના ડિગ્રી સર્ટિફિકેટની ડિટેલ માંગી હતી. સીએમ કેજરીવાલે આ રકમ ગુજરાત રાજ્ય લિગલ સર્વિસ ઓથોરીટી સમક્ષ જમા કરાવવાની રહેશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.