PM મોદીનું ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી થયું સન્માન, ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-25 16:06:21

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત બાદ તેઓ ઇજિપ્ત પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે ઇજિપ્તની રાજધાની કૈરોમાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સીસી સાથે મુલાકાત કરી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના હસ્તે પીએમ મોદીને ઇજિપ્તના સૌથી મોટા સન્માનથી નવાજવામાં આવ્યા છે. PM મોદીને ઇજિપ્તનો સર્વોચ્ચ એવોર્ડ 'ઓર્ડર ઓફ ધ નાઇલ' એનાયત કરવામાં આવ્યો છે.


'ઓર્ડર ઓફ ધ નાઇલ' એવોર્ડ શું છે?


ઓર્ડર ઓફ ધ નાઇલ (કિલાદત અલ નીલ)ની સ્થાપના વર્ષ 1915 માં ઇજિપ્તના સુલતાન હુસૈન કામલ દ્વારા કરવામાં આવી હતી. ઓર્ડર ઓફ ધ નાઇલ એવોર્ડ દેશ માટે ઉપયોગી સેવા આપનાર વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે. વર્ષ 1953માં રાજાશાહી નાબૂદ થઈ ત્યાં સુધી તે ઇજિપ્તના રાજ્યના મુખ્ય આદેશોમાંનો એક હતો. વર્ષ 1953માં ઇજિપ્ત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યા પછી, તેના સર્વોચ્ચ સન્માન, ઓર્ડર ઓફ ધ નાઇલનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. ઓર્ડર ઓફ ધ નાઇલએ શુદ્ધ સોનાનો કોલર છે જેમાં સોનાના ત્રણ ચોરસ ટુકડાઓનો બનેલો છે, અને તેના પર ફેરોનિક પ્રતીક હોય છે.


13મું સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન મળ્યું


છેલ્લા 9 વર્ષમાં PM મોદીને ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. ઇજિપ્તનો આ રાષ્ટ્રીય પુરસ્કાર એ 13મું સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન છે જે વિશ્વના વિવિધ દેશોએ PM મોદીને એનાયત કર્યું છે.


મસ્જિદ અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી


PM મોદીએ કૈરોમાં દાઉદી વોહરા સમુદાય માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવતી 11મી સદીની મસ્જિદ અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. 1997 પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઈજિપ્તની મુલાકાતે ગયા છે. અલ-હકીમ મસ્જિદ મસ્જિદના રિનોવેશનનો શ્રેય ભારતીય વોહરા સમુદાયના સુલતાન મુફદ્દલ સૈફુદ્દીન અને તેમના આધ્યાત્મિક નેતા અલ-દાઈ અલ-મુતલકને જાય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.