PM મોદીનું ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી થયું સન્માન, ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-25 16:06:21

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત બાદ તેઓ ઇજિપ્ત પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે ઇજિપ્તની રાજધાની કૈરોમાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સીસી સાથે મુલાકાત કરી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના હસ્તે પીએમ મોદીને ઇજિપ્તના સૌથી મોટા સન્માનથી નવાજવામાં આવ્યા છે. PM મોદીને ઇજિપ્તનો સર્વોચ્ચ એવોર્ડ 'ઓર્ડર ઓફ ધ નાઇલ' એનાયત કરવામાં આવ્યો છે.


'ઓર્ડર ઓફ ધ નાઇલ' એવોર્ડ શું છે?


ઓર્ડર ઓફ ધ નાઇલ (કિલાદત અલ નીલ)ની સ્થાપના વર્ષ 1915 માં ઇજિપ્તના સુલતાન હુસૈન કામલ દ્વારા કરવામાં આવી હતી. ઓર્ડર ઓફ ધ નાઇલ એવોર્ડ દેશ માટે ઉપયોગી સેવા આપનાર વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે. વર્ષ 1953માં રાજાશાહી નાબૂદ થઈ ત્યાં સુધી તે ઇજિપ્તના રાજ્યના મુખ્ય આદેશોમાંનો એક હતો. વર્ષ 1953માં ઇજિપ્ત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યા પછી, તેના સર્વોચ્ચ સન્માન, ઓર્ડર ઓફ ધ નાઇલનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. ઓર્ડર ઓફ ધ નાઇલએ શુદ્ધ સોનાનો કોલર છે જેમાં સોનાના ત્રણ ચોરસ ટુકડાઓનો બનેલો છે, અને તેના પર ફેરોનિક પ્રતીક હોય છે.


13મું સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન મળ્યું


છેલ્લા 9 વર્ષમાં PM મોદીને ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. ઇજિપ્તનો આ રાષ્ટ્રીય પુરસ્કાર એ 13મું સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન છે જે વિશ્વના વિવિધ દેશોએ PM મોદીને એનાયત કર્યું છે.


મસ્જિદ અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી


PM મોદીએ કૈરોમાં દાઉદી વોહરા સમુદાય માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવતી 11મી સદીની મસ્જિદ અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. 1997 પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઈજિપ્તની મુલાકાતે ગયા છે. અલ-હકીમ મસ્જિદ મસ્જિદના રિનોવેશનનો શ્રેય ભારતીય વોહરા સમુદાયના સુલતાન મુફદ્દલ સૈફુદ્દીન અને તેમના આધ્યાત્મિક નેતા અલ-દાઈ અલ-મુતલકને જાય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.