PM મોદીનું ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી થયું સન્માન, ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-25 16:06:21

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત બાદ તેઓ ઇજિપ્ત પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે ઇજિપ્તની રાજધાની કૈરોમાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સીસી સાથે મુલાકાત કરી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના હસ્તે પીએમ મોદીને ઇજિપ્તના સૌથી મોટા સન્માનથી નવાજવામાં આવ્યા છે. PM મોદીને ઇજિપ્તનો સર્વોચ્ચ એવોર્ડ 'ઓર્ડર ઓફ ધ નાઇલ' એનાયત કરવામાં આવ્યો છે.


'ઓર્ડર ઓફ ધ નાઇલ' એવોર્ડ શું છે?


ઓર્ડર ઓફ ધ નાઇલ (કિલાદત અલ નીલ)ની સ્થાપના વર્ષ 1915 માં ઇજિપ્તના સુલતાન હુસૈન કામલ દ્વારા કરવામાં આવી હતી. ઓર્ડર ઓફ ધ નાઇલ એવોર્ડ દેશ માટે ઉપયોગી સેવા આપનાર વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે. વર્ષ 1953માં રાજાશાહી નાબૂદ થઈ ત્યાં સુધી તે ઇજિપ્તના રાજ્યના મુખ્ય આદેશોમાંનો એક હતો. વર્ષ 1953માં ઇજિપ્ત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યા પછી, તેના સર્વોચ્ચ સન્માન, ઓર્ડર ઓફ ધ નાઇલનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. ઓર્ડર ઓફ ધ નાઇલએ શુદ્ધ સોનાનો કોલર છે જેમાં સોનાના ત્રણ ચોરસ ટુકડાઓનો બનેલો છે, અને તેના પર ફેરોનિક પ્રતીક હોય છે.


13મું સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન મળ્યું


છેલ્લા 9 વર્ષમાં PM મોદીને ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. ઇજિપ્તનો આ રાષ્ટ્રીય પુરસ્કાર એ 13મું સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન છે જે વિશ્વના વિવિધ દેશોએ PM મોદીને એનાયત કર્યું છે.


મસ્જિદ અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી


PM મોદીએ કૈરોમાં દાઉદી વોહરા સમુદાય માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવતી 11મી સદીની મસ્જિદ અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. 1997 પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઈજિપ્તની મુલાકાતે ગયા છે. અલ-હકીમ મસ્જિદ મસ્જિદના રિનોવેશનનો શ્રેય ભારતીય વોહરા સમુદાયના સુલતાન મુફદ્દલ સૈફુદ્દીન અને તેમના આધ્યાત્મિક નેતા અલ-દાઈ અલ-મુતલકને જાય છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.