દેહરાદુન- દિલ્હી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી! પોતાના ભાષણમાં કરી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-25 15:07:26

દેશના અનેક રાજ્યોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી ચૂકી છે. ત્યારે દેશને આજે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દિલ્હી દેહરાદુન વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ટ્રેનની શરૂઆત કરાયા બાદ પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી અને દેહરાદુન વચ્ચે ચાલતી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની રાજધાનીને વધુ ઝડપી ગતિએ જોડશે. આ ટ્રેનથી દિલ્હી અને દેહરાદુન વચ્ચેની મુસાફરી 4.45 કલાકમાં થઈ જશે. વધુમાં તેમણે કહ્યું કે પર્વતમાલા યોજના ઉત્તરાખંડનું ભવિષ્ય બદલવા જઈ રહી છે. આ ટ્રેન શરૂ થવાથી રાજ્યમાં આવતા મુસાફરો માટે લાભદાયક રહેશે.

        

આગળની સરકાર પર પીએમ મોદીએ સાધ્યું નિશાન! 

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ઉત્તરાખંડને પ્રથમ જ્યારે દેશને 18મી વંદે ભારત ટ્રેન મળી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પહેલાની સરકારને માત્ર પોતાના સામ્રાજ્યની ચિંતા હતી. સામાન્ય લોકો તેમની પ્રાથમિકતા ન હતા. પહેલાની સરકારે માત્ર વાયદા કર્યા,પરંતુ તેને પૂરા નથી કર્યા. રેલવેની પણ અવગણના કરી. દેશની જરૂરતોને સમજ્યા પણ નથી. પરિવારવાદમાં રહ્યા. ભારતમાં હાઈ સ્પીડ ટ્રેનોને લઈ દાવા કરવામાં આવ્યા, અનેક વર્ષો વીતી ગયા. હાઈસ્પીડ ટ્રેન તો છોડો પરંતુ રેલવે નેટવર્કથી માનવ રહિત ફાટક પણ નથી હટાયા. પરંતુ અમારી સરકારે 2014 પછી રેલવેને બદલવા માટે કામ કર્યું. 


વિદેશ પ્રવાસનો પીએમે કર્યો ઉલ્લેખ!

ભાષણ દરમિયાન પીએમ મોદીએ પોતાના પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તે હમણાં જ ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત આવ્યા છે. સમગ્ર દુનિયા ભારત પાસેથી આશા રાખીને બેઠા છે. અનેક સંકટોનો સામનો કરવા છતાંય થોડા વર્ષોમાં ભારતે જે રીતે અર્થવ્યવસ્થા મજબૂત કરી છે, તેની પ્રશંસા દુનિયામાં થઈ રહી છે.    

ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા હતા હાજર!

જે વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે તે અઠવાડિયાના 6 દિવસ દોડશે. સવારે સાત વાગ્યે દેહરાદુનથી સફર શરૂ થશે અને પોણા બાર વાગ્યાની આસપાસ દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચશે. 28 મે થી આ ટ્રેન સત્તાવાર રીતે શરૂ થશે. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.