દેહરાદુન- દિલ્હી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી! પોતાના ભાષણમાં કરી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-25 15:07:26

દેશના અનેક રાજ્યોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી ચૂકી છે. ત્યારે દેશને આજે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દિલ્હી દેહરાદુન વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ટ્રેનની શરૂઆત કરાયા બાદ પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી અને દેહરાદુન વચ્ચે ચાલતી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની રાજધાનીને વધુ ઝડપી ગતિએ જોડશે. આ ટ્રેનથી દિલ્હી અને દેહરાદુન વચ્ચેની મુસાફરી 4.45 કલાકમાં થઈ જશે. વધુમાં તેમણે કહ્યું કે પર્વતમાલા યોજના ઉત્તરાખંડનું ભવિષ્ય બદલવા જઈ રહી છે. આ ટ્રેન શરૂ થવાથી રાજ્યમાં આવતા મુસાફરો માટે લાભદાયક રહેશે.

        

આગળની સરકાર પર પીએમ મોદીએ સાધ્યું નિશાન! 

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ઉત્તરાખંડને પ્રથમ જ્યારે દેશને 18મી વંદે ભારત ટ્રેન મળી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પહેલાની સરકારને માત્ર પોતાના સામ્રાજ્યની ચિંતા હતી. સામાન્ય લોકો તેમની પ્રાથમિકતા ન હતા. પહેલાની સરકારે માત્ર વાયદા કર્યા,પરંતુ તેને પૂરા નથી કર્યા. રેલવેની પણ અવગણના કરી. દેશની જરૂરતોને સમજ્યા પણ નથી. પરિવારવાદમાં રહ્યા. ભારતમાં હાઈ સ્પીડ ટ્રેનોને લઈ દાવા કરવામાં આવ્યા, અનેક વર્ષો વીતી ગયા. હાઈસ્પીડ ટ્રેન તો છોડો પરંતુ રેલવે નેટવર્કથી માનવ રહિત ફાટક પણ નથી હટાયા. પરંતુ અમારી સરકારે 2014 પછી રેલવેને બદલવા માટે કામ કર્યું. 


વિદેશ પ્રવાસનો પીએમે કર્યો ઉલ્લેખ!

ભાષણ દરમિયાન પીએમ મોદીએ પોતાના પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તે હમણાં જ ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત આવ્યા છે. સમગ્ર દુનિયા ભારત પાસેથી આશા રાખીને બેઠા છે. અનેક સંકટોનો સામનો કરવા છતાંય થોડા વર્ષોમાં ભારતે જે રીતે અર્થવ્યવસ્થા મજબૂત કરી છે, તેની પ્રશંસા દુનિયામાં થઈ રહી છે.    

ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા હતા હાજર!

જે વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે તે અઠવાડિયાના 6 દિવસ દોડશે. સવારે સાત વાગ્યે દેહરાદુનથી સફર શરૂ થશે અને પોણા બાર વાગ્યાની આસપાસ દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચશે. 28 મે થી આ ટ્રેન સત્તાવાર રીતે શરૂ થશે. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.