દેહરાદુન- દિલ્હી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી! પોતાના ભાષણમાં કરી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-25 15:07:26

દેશના અનેક રાજ્યોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી ચૂકી છે. ત્યારે દેશને આજે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દિલ્હી દેહરાદુન વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ટ્રેનની શરૂઆત કરાયા બાદ પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી અને દેહરાદુન વચ્ચે ચાલતી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની રાજધાનીને વધુ ઝડપી ગતિએ જોડશે. આ ટ્રેનથી દિલ્હી અને દેહરાદુન વચ્ચેની મુસાફરી 4.45 કલાકમાં થઈ જશે. વધુમાં તેમણે કહ્યું કે પર્વતમાલા યોજના ઉત્તરાખંડનું ભવિષ્ય બદલવા જઈ રહી છે. આ ટ્રેન શરૂ થવાથી રાજ્યમાં આવતા મુસાફરો માટે લાભદાયક રહેશે.

        

આગળની સરકાર પર પીએમ મોદીએ સાધ્યું નિશાન! 

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ઉત્તરાખંડને પ્રથમ જ્યારે દેશને 18મી વંદે ભારત ટ્રેન મળી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પહેલાની સરકારને માત્ર પોતાના સામ્રાજ્યની ચિંતા હતી. સામાન્ય લોકો તેમની પ્રાથમિકતા ન હતા. પહેલાની સરકારે માત્ર વાયદા કર્યા,પરંતુ તેને પૂરા નથી કર્યા. રેલવેની પણ અવગણના કરી. દેશની જરૂરતોને સમજ્યા પણ નથી. પરિવારવાદમાં રહ્યા. ભારતમાં હાઈ સ્પીડ ટ્રેનોને લઈ દાવા કરવામાં આવ્યા, અનેક વર્ષો વીતી ગયા. હાઈસ્પીડ ટ્રેન તો છોડો પરંતુ રેલવે નેટવર્કથી માનવ રહિત ફાટક પણ નથી હટાયા. પરંતુ અમારી સરકારે 2014 પછી રેલવેને બદલવા માટે કામ કર્યું. 


વિદેશ પ્રવાસનો પીએમે કર્યો ઉલ્લેખ!

ભાષણ દરમિયાન પીએમ મોદીએ પોતાના પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તે હમણાં જ ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત આવ્યા છે. સમગ્ર દુનિયા ભારત પાસેથી આશા રાખીને બેઠા છે. અનેક સંકટોનો સામનો કરવા છતાંય થોડા વર્ષોમાં ભારતે જે રીતે અર્થવ્યવસ્થા મજબૂત કરી છે, તેની પ્રશંસા દુનિયામાં થઈ રહી છે.    

ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા હતા હાજર!

જે વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે તે અઠવાડિયાના 6 દિવસ દોડશે. સવારે સાત વાગ્યે દેહરાદુનથી સફર શરૂ થશે અને પોણા બાર વાગ્યાની આસપાસ દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચશે. 28 મે થી આ ટ્રેન સત્તાવાર રીતે શરૂ થશે. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.