PM મોદીના હિમાચલ પ્રવાસને કવર કરવા માટે પત્રકારોએ આપવું પડશે કેરેક્ટર સર્ટિફિકેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 12:29:27

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરથી હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રવાસ પર જશે. પીએમ મોદી તેમના એક દિવસના પ્રવાસ દરમિયાન વિલાસપુર એમ્સ કેમ્પસનું ઉદઘાટન કરશે. તે ઉપરાંત એક જનસભાને પણ સંબોધશે અને કુલ્લુ દશેરામાં પણ ભાગ લેશે. 


પત્રકારો માટે કેરેક્ટર સર્ટિ અનિવાર્ય


પીએમ મોદીના ચૂંટણી પ્રવાસ પહેલા એક વિવાદ પણ સર્જાયો છે. જિલ્લા વહીવટી તંત્રએ વડાપ્રધાન મોદીના પ્રવાસને કવર કરવા માગતા પત્રકાર માટે કેરેક્ટર સર્ટીફિકેટ ફરજિયાત બનાવી દીધુ છે. જોવાની બાબત તો એ છે કે આ સર્ટી ફક્ત પ્રિન્ટ, ડિઝિટલ કે ટીવી પત્રકારો માટે જ નહીં પણ ઓલ ઈન્ડિયા રેડિયો અને દુરદર્શન સહિત સરકારી મીડિયા પ્રતિનિધિઓ માટે પણ અનિવાર્ય છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિરોધ પક્ષે સરકારના આ નિર્ણયને પ્રેસની આઝાદીની વિરૂધ્ધ ગણાવ્યું છે. 





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.