PM મોદીના હિમાચલ પ્રવાસને કવર કરવા માટે પત્રકારોએ આપવું પડશે કેરેક્ટર સર્ટિફિકેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 12:29:27

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરથી હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રવાસ પર જશે. પીએમ મોદી તેમના એક દિવસના પ્રવાસ દરમિયાન વિલાસપુર એમ્સ કેમ્પસનું ઉદઘાટન કરશે. તે ઉપરાંત એક જનસભાને પણ સંબોધશે અને કુલ્લુ દશેરામાં પણ ભાગ લેશે. 


પત્રકારો માટે કેરેક્ટર સર્ટિ અનિવાર્ય


પીએમ મોદીના ચૂંટણી પ્રવાસ પહેલા એક વિવાદ પણ સર્જાયો છે. જિલ્લા વહીવટી તંત્રએ વડાપ્રધાન મોદીના પ્રવાસને કવર કરવા માગતા પત્રકાર માટે કેરેક્ટર સર્ટીફિકેટ ફરજિયાત બનાવી દીધુ છે. જોવાની બાબત તો એ છે કે આ સર્ટી ફક્ત પ્રિન્ટ, ડિઝિટલ કે ટીવી પત્રકારો માટે જ નહીં પણ ઓલ ઈન્ડિયા રેડિયો અને દુરદર્શન સહિત સરકારી મીડિયા પ્રતિનિધિઓ માટે પણ અનિવાર્ય છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિરોધ પક્ષે સરકારના આ નિર્ણયને પ્રેસની આઝાદીની વિરૂધ્ધ ગણાવ્યું છે. 





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .