PM મોદીના હિમાચલ પ્રવાસને કવર કરવા માટે પત્રકારોએ આપવું પડશે કેરેક્ટર સર્ટિફિકેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 12:29:27

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરથી હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રવાસ પર જશે. પીએમ મોદી તેમના એક દિવસના પ્રવાસ દરમિયાન વિલાસપુર એમ્સ કેમ્પસનું ઉદઘાટન કરશે. તે ઉપરાંત એક જનસભાને પણ સંબોધશે અને કુલ્લુ દશેરામાં પણ ભાગ લેશે. 


પત્રકારો માટે કેરેક્ટર સર્ટિ અનિવાર્ય


પીએમ મોદીના ચૂંટણી પ્રવાસ પહેલા એક વિવાદ પણ સર્જાયો છે. જિલ્લા વહીવટી તંત્રએ વડાપ્રધાન મોદીના પ્રવાસને કવર કરવા માગતા પત્રકાર માટે કેરેક્ટર સર્ટીફિકેટ ફરજિયાત બનાવી દીધુ છે. જોવાની બાબત તો એ છે કે આ સર્ટી ફક્ત પ્રિન્ટ, ડિઝિટલ કે ટીવી પત્રકારો માટે જ નહીં પણ ઓલ ઈન્ડિયા રેડિયો અને દુરદર્શન સહિત સરકારી મીડિયા પ્રતિનિધિઓ માટે પણ અનિવાર્ય છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિરોધ પક્ષે સરકારના આ નિર્ણયને પ્રેસની આઝાદીની વિરૂધ્ધ ગણાવ્યું છે. 





આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.