PM મોદીએ 27 એકરમાં બનેલા અબુધાબીના પહેલા હિન્દુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન, જાણો તેની વિશેષતા વિશે


  • Published By :
  • Published Date : 2024-02-14 21:02:48

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે પૂર્ણ થયું છે. આ મંદિરના ઉદ્ઘાટનમાં પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. આ મંદિર પશ્ચિમ એશિયામાં કદમાં સૌથી મોટું છે. આ મંદિરમાં સાત શિખરો છે જે સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરમાં ગલ્ફ કન્ટ્રીને ધ્યાનમાં રાખીને પથ્થરો પર ઊંટ અને રાષ્ટ્રીય પક્ષી ગરુડની કોતરણી પણ કરવામાં આવી છે. દુબઈ-અબુધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બાંધવામાં આવેલ આ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીનમાં બનેલ છે. આ મંદિરું નિર્માણ રાજસ્થાનના ગુલાબ બલુઆ પથ્થરથી બનાવ્યું છે. આ મંદિર 27 એકરમાં બનેલું છે અને તેની ઉંચાઈ 108 ફુટની છે. આ મંદિર વાસ્તુશિલ્પ અને પોતાની ભવ્યતાથી આખી દુનિયાને આકર્ષિત કરી રહ્યાં છે. આ મંદિરને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.


PM નરેન્દ્ર મોદીનું કરાયું ભવ્ય સ્વાગત 


PM નરેન્દ્ર મોદીનું આબુધાબી મંદિર પરિસરમાં ઢોલ નગારાના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા લોકોએ તત્વના વારંવારિક વસ્ત્રો ધારણ કરી સ્લોગન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જય શ્રીરામના નારા સાથે સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી કારમાંથી ઉતરતાની સાથે જ બ્રહ્મવિહારી સ્વામીને ભેટી પડ્યા હતા અને તેમની પીઠ થાબડી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ વધતા વલ્લભ હાર્મનીની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં અલગ અલગ ધર્મના વડા સાથે ફોટો પણ પડાવ્યા હતા.


શું છે આ ભવ્ય મંદિર છે વિશેષતાઓ?


27 એકરમાં ફેલાયેલું આ સ્વામિનારાયણ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર 13.5 એકરમાં બનેલું છે. 13.5 એકરમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. પાર્કિંગમાં 14 હજાર કાર અને 50 બસો પાર્ક કરી શકાય છે.આ મંદિરમાં 7 શિખર અને 5 ગુંબજ છે. મંદિરની લંબાઈ 262 ફૂટ, પહોળાઈ 180 ફૂટ અને ઊંચાઈ 108 ફૂટ છે. મંદિરના નિર્માણ પાછળ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરના નિર્માણમાં 50 હજાર ઘનફૂટ ઈટાલિયન માર્બલ, 18 લાખ ઘનફૂટ ભારતીય સેન્ડ સ્ટોન અને 18 લાખ પથ્થરની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કારણે તે હજારો વર્ષો સુધી આવું જ રહેશે. માત્ર ચૂનાના પથ્થર અને આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરના નિર્માણ માટે 700 કન્ટેનરમાં 20,000 ટનથી વધુ પત્થરો અને માર્બલ અબુધાબી લાવવામાં આવ્યા હતા. મંદિરની દિવાલો પર ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ કોતરવામાં આવ્યા છે જે યુએઈનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન સ્વામિનારાયણના મંદિરની દિવાલો પર હિન્દુ ધર્મ અને વિશ્વની અન્ય તમામ સંસ્કૃતિઓ અને સભ્યતાઓની 250 થી વધુ વાર્તાઓ કોતરવામાં આવી છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.