PM મોદીએ તિરંગા યાત્રાને યાદ કરી, આતંકવાદીઓને કહ્યું હતું, 'હું સિક્યુરીટી કે બુલેટ પ્રુફ જેકેટ વગર લાલ ચોક પર તિરંગો ફરકાવીશ'


  • Published By :
  • Published Date : 2023-02-08 21:45:21

પ્રધાનમંત્રી મોદીએ આજે બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે રાહુલ ગાધીનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકોના ભાષણ પર તેમના સમર્થક કુદાકુદ કરી રહ્યા હતા અને તેમને રાત્રે ઉંઘ પર સારી આવી હશે. જો કે પીએમ મોદીના સમગ્ર ભાષણમાં સૌથી વધુ ચર્ચા તેમના કાશ્મીરમાં આતંકની સમસ્યા મુદ્દે થઈ રહી છે. પીએમ મોદીએ તેમની કાશ્મીર તિરંગા યાત્રાને યાદ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે મેં કાશ્મીરમાં શ્રીનગરના લાલચોક પર તિરંગો લહેરાવવાના સંકલ્પ સાથે કાશ્મીર યાત્રાનો પ્રારંભ કર્યો તે વખતે આતંકવાદીઓએ પોસ્ટરો લગાવ્યા હતા. આ પોસ્ટરો પર લખ્યું હતું  કે કોણે પોતાની માતાનું દુધ પીધું છે કે લાલચોક પર આવી તિરંગો ફરકાવવા માગે છે. 


મોદીએ આતંકવાદીઓને પડકાર્યા


પીએમ મોદીએ કહ્યું કે 24 જાન્યુઆરીનો તે દિવસ હતો જ્યારે મેં કહ્યું હતું  કે આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લો, 26 જાન્યુઆરીના દિવસે બરાબર 11 વાગ્યે હું  કોઈ પણ પ્રકારની સિક્યુરીટી કે બુલેટ પ્રુફ જેકેટ પહેર્યા વગર લાલ ચોક પર આવીશ અને લાલ ચોક પર તિરંગો ફરકાવીશ અને મે તિરંગો ફરકાવ્યો પણ હતો. ત્યાર બાદ મીડિયાના લોકો આ અંગે મને પુછવા લાગ્યા તો મે કહ્યું હતું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ્યારે સમગ્ર દેશમાં તિરંગો લહેરાવવામા આવે છે ત્યારે ભારતમાં દારૂગોળાથી સલામી આપવામાં આવે છે, જ્યારે આજે તો દુશ્મન દેશના દારૂગોળા પણ સલામી આપી રહ્યા છે. પીએમ મોદીએ કાશ્મીરની સ્થિતી અંગ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને લઈને કેટલાક લોકો કહીં રહ્યા હતા કે અહીં તિરંગો ફરકાવવાથી શાંતિ ડહોળાવાનો ખતરો છે. ત્યારે કાશ્મીરમાં તેમને તિરંગો લહેરાવવાથી પણ ડર લાગતો હતો.


કાશ્મીરમાં આજે સેંકડો લોકો ફરી શકે છે


પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આજે જે શાંતિ આવી છે, તમે આજે શાંતિથી ત્યાં જઈ શકો છો, સેંકડોની ભીડમાં જઈ શકો છો, આ માહોલ અને પર્યટનની દુનિયામાં અનેક દશકો બાદ જમ્મૂ કાશ્મીરે રેકોર્ડ તોડ્યાં છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં લોકતંત્રનો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં 'હર ઘર તિરંગા'નો સફળ કાર્યક્રમ થઈ રહ્યો છે.' શ્રીનગરમાં થિયેટરો હાઉસફુલ ચાલી રહ્યા છે અને આતંકવાદીઓ દુર-દુર સુધી જોવા પણ મળતા નથી.




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.