PM મોદીએ તિરંગા યાત્રાને યાદ કરી, આતંકવાદીઓને કહ્યું હતું, 'હું સિક્યુરીટી કે બુલેટ પ્રુફ જેકેટ વગર લાલ ચોક પર તિરંગો ફરકાવીશ'


  • Published By :
  • Published Date : 2023-02-08 21:45:21

પ્રધાનમંત્રી મોદીએ આજે બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે રાહુલ ગાધીનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકોના ભાષણ પર તેમના સમર્થક કુદાકુદ કરી રહ્યા હતા અને તેમને રાત્રે ઉંઘ પર સારી આવી હશે. જો કે પીએમ મોદીના સમગ્ર ભાષણમાં સૌથી વધુ ચર્ચા તેમના કાશ્મીરમાં આતંકની સમસ્યા મુદ્દે થઈ રહી છે. પીએમ મોદીએ તેમની કાશ્મીર તિરંગા યાત્રાને યાદ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે મેં કાશ્મીરમાં શ્રીનગરના લાલચોક પર તિરંગો લહેરાવવાના સંકલ્પ સાથે કાશ્મીર યાત્રાનો પ્રારંભ કર્યો તે વખતે આતંકવાદીઓએ પોસ્ટરો લગાવ્યા હતા. આ પોસ્ટરો પર લખ્યું હતું  કે કોણે પોતાની માતાનું દુધ પીધું છે કે લાલચોક પર આવી તિરંગો ફરકાવવા માગે છે. 


મોદીએ આતંકવાદીઓને પડકાર્યા


પીએમ મોદીએ કહ્યું કે 24 જાન્યુઆરીનો તે દિવસ હતો જ્યારે મેં કહ્યું હતું  કે આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લો, 26 જાન્યુઆરીના દિવસે બરાબર 11 વાગ્યે હું  કોઈ પણ પ્રકારની સિક્યુરીટી કે બુલેટ પ્રુફ જેકેટ પહેર્યા વગર લાલ ચોક પર આવીશ અને લાલ ચોક પર તિરંગો ફરકાવીશ અને મે તિરંગો ફરકાવ્યો પણ હતો. ત્યાર બાદ મીડિયાના લોકો આ અંગે મને પુછવા લાગ્યા તો મે કહ્યું હતું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ્યારે સમગ્ર દેશમાં તિરંગો લહેરાવવામા આવે છે ત્યારે ભારતમાં દારૂગોળાથી સલામી આપવામાં આવે છે, જ્યારે આજે તો દુશ્મન દેશના દારૂગોળા પણ સલામી આપી રહ્યા છે. પીએમ મોદીએ કાશ્મીરની સ્થિતી અંગ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને લઈને કેટલાક લોકો કહીં રહ્યા હતા કે અહીં તિરંગો ફરકાવવાથી શાંતિ ડહોળાવાનો ખતરો છે. ત્યારે કાશ્મીરમાં તેમને તિરંગો લહેરાવવાથી પણ ડર લાગતો હતો.


કાશ્મીરમાં આજે સેંકડો લોકો ફરી શકે છે


પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આજે જે શાંતિ આવી છે, તમે આજે શાંતિથી ત્યાં જઈ શકો છો, સેંકડોની ભીડમાં જઈ શકો છો, આ માહોલ અને પર્યટનની દુનિયામાં અનેક દશકો બાદ જમ્મૂ કાશ્મીરે રેકોર્ડ તોડ્યાં છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં લોકતંત્રનો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં 'હર ઘર તિરંગા'નો સફળ કાર્યક્રમ થઈ રહ્યો છે.' શ્રીનગરમાં થિયેટરો હાઉસફુલ ચાલી રહ્યા છે અને આતંકવાદીઓ દુર-દુર સુધી જોવા પણ મળતા નથી.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.