PM મોદીએ તિરંગા યાત્રાને યાદ કરી, આતંકવાદીઓને કહ્યું હતું, 'હું સિક્યુરીટી કે બુલેટ પ્રુફ જેકેટ વગર લાલ ચોક પર તિરંગો ફરકાવીશ'


  • Published By :
  • Published Date : 2023-02-08 21:45:21

પ્રધાનમંત્રી મોદીએ આજે બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે રાહુલ ગાધીનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકોના ભાષણ પર તેમના સમર્થક કુદાકુદ કરી રહ્યા હતા અને તેમને રાત્રે ઉંઘ પર સારી આવી હશે. જો કે પીએમ મોદીના સમગ્ર ભાષણમાં સૌથી વધુ ચર્ચા તેમના કાશ્મીરમાં આતંકની સમસ્યા મુદ્દે થઈ રહી છે. પીએમ મોદીએ તેમની કાશ્મીર તિરંગા યાત્રાને યાદ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે મેં કાશ્મીરમાં શ્રીનગરના લાલચોક પર તિરંગો લહેરાવવાના સંકલ્પ સાથે કાશ્મીર યાત્રાનો પ્રારંભ કર્યો તે વખતે આતંકવાદીઓએ પોસ્ટરો લગાવ્યા હતા. આ પોસ્ટરો પર લખ્યું હતું  કે કોણે પોતાની માતાનું દુધ પીધું છે કે લાલચોક પર આવી તિરંગો ફરકાવવા માગે છે. 


મોદીએ આતંકવાદીઓને પડકાર્યા


પીએમ મોદીએ કહ્યું કે 24 જાન્યુઆરીનો તે દિવસ હતો જ્યારે મેં કહ્યું હતું  કે આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લો, 26 જાન્યુઆરીના દિવસે બરાબર 11 વાગ્યે હું  કોઈ પણ પ્રકારની સિક્યુરીટી કે બુલેટ પ્રુફ જેકેટ પહેર્યા વગર લાલ ચોક પર આવીશ અને લાલ ચોક પર તિરંગો ફરકાવીશ અને મે તિરંગો ફરકાવ્યો પણ હતો. ત્યાર બાદ મીડિયાના લોકો આ અંગે મને પુછવા લાગ્યા તો મે કહ્યું હતું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ્યારે સમગ્ર દેશમાં તિરંગો લહેરાવવામા આવે છે ત્યારે ભારતમાં દારૂગોળાથી સલામી આપવામાં આવે છે, જ્યારે આજે તો દુશ્મન દેશના દારૂગોળા પણ સલામી આપી રહ્યા છે. પીએમ મોદીએ કાશ્મીરની સ્થિતી અંગ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને લઈને કેટલાક લોકો કહીં રહ્યા હતા કે અહીં તિરંગો ફરકાવવાથી શાંતિ ડહોળાવાનો ખતરો છે. ત્યારે કાશ્મીરમાં તેમને તિરંગો લહેરાવવાથી પણ ડર લાગતો હતો.


કાશ્મીરમાં આજે સેંકડો લોકો ફરી શકે છે


પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આજે જે શાંતિ આવી છે, તમે આજે શાંતિથી ત્યાં જઈ શકો છો, સેંકડોની ભીડમાં જઈ શકો છો, આ માહોલ અને પર્યટનની દુનિયામાં અનેક દશકો બાદ જમ્મૂ કાશ્મીરે રેકોર્ડ તોડ્યાં છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં લોકતંત્રનો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં 'હર ઘર તિરંગા'નો સફળ કાર્યક્રમ થઈ રહ્યો છે.' શ્રીનગરમાં થિયેટરો હાઉસફુલ ચાલી રહ્યા છે અને આતંકવાદીઓ દુર-દુર સુધી જોવા પણ મળતા નથી.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.