વૈશ્વિક મંદીના ભણકારા, ભારત સરકાર સતર્ક, પીએમ મોદી કરશે ઉચ્ચ કક્ષાની મીટિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:16:39

દુનિયાભરમાં વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષે આવનારી વૈશ્વિક મંદીની અસર ભારત પર પણ થશે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે ભારત સરકાર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ અંગે મહત્વની બેઠક યોજવાના છે. વાસ્તવમાં, આ મહિનાના અંતમાં, પીએમ મોદી અર્થતંત્ર અને વાણિજ્યના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મંત્રી પરિષદ અને તમામ સચિવોને મળી શકે છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.


ભારત પર મંદીની થઈ શકે ગંભીર અસર 


વિશ્વ બેંકના તાજેતરના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કેન્દ્રીય બેંકો દ્વારા કડક નાણાકીય નીતિ વચ્ચે વિશ્વ આગામી વર્ષે ગંભીર મંદીનો સામનો કરી શકે છે. આ કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજશે. મીડિયા અહેવાલ મુજબ એક સુત્રએ કહ્યું કે લાંબા સમય સુધી આ પ્રકારની બેઠકોમાં ક્યારેય અર્થવ્યવસ્થા અને વાણિજ્ય પર ચર્ચા થઈ નથી. જોકે આ બેઠક વિશ્વ બેંકના નવા રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં થવા જઈ રહી છે.


આગામી 28 કે 30 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે મીટિંગ 


આ બેઠકના ઉદ્દેશ્યોમાં પ્રાથમિકતા ક્ષેત્રો અને રાજકીય કાર્યોને ઓળખવાનો પણ સમાવેશ થાય છે. એવી આશા છે કે પીએમ મોદીની આ બેઠક મંત્રી પરિષદ અને તમામ સચિવો સાથે 28 અથવા 30 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદી બંને ક્ષેત્રો (અર્થતંત્ર અને વાણિજ્ય)ના પરિણામોની સ્થિતિની વિગતો લઈ શકે છે. ઉપરાંત, વિકાસ અને નવા રોકાણોને વધુ પ્રોત્સાહિત કરવા માટે નવા લક્ષ્યો અને સમયમર્યાદા નક્કી કરી શકાય છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મંત્રીઓ અને આ બેઠકમાં ભાગ લેનારા સચિવોને જાણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ મુદ્દાઓ પર બેઠક યોજવા માટે કોઈ કાર્યસૂચિ નક્કી કરવામાં આવી નથી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.