વૈશ્વિક મંદીના ભણકારા, ભારત સરકાર સતર્ક, પીએમ મોદી કરશે ઉચ્ચ કક્ષાની મીટિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:16:39

દુનિયાભરમાં વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષે આવનારી વૈશ્વિક મંદીની અસર ભારત પર પણ થશે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે ભારત સરકાર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ અંગે મહત્વની બેઠક યોજવાના છે. વાસ્તવમાં, આ મહિનાના અંતમાં, પીએમ મોદી અર્થતંત્ર અને વાણિજ્યના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મંત્રી પરિષદ અને તમામ સચિવોને મળી શકે છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.


ભારત પર મંદીની થઈ શકે ગંભીર અસર 


વિશ્વ બેંકના તાજેતરના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કેન્દ્રીય બેંકો દ્વારા કડક નાણાકીય નીતિ વચ્ચે વિશ્વ આગામી વર્ષે ગંભીર મંદીનો સામનો કરી શકે છે. આ કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજશે. મીડિયા અહેવાલ મુજબ એક સુત્રએ કહ્યું કે લાંબા સમય સુધી આ પ્રકારની બેઠકોમાં ક્યારેય અર્થવ્યવસ્થા અને વાણિજ્ય પર ચર્ચા થઈ નથી. જોકે આ બેઠક વિશ્વ બેંકના નવા રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં થવા જઈ રહી છે.


આગામી 28 કે 30 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે મીટિંગ 


આ બેઠકના ઉદ્દેશ્યોમાં પ્રાથમિકતા ક્ષેત્રો અને રાજકીય કાર્યોને ઓળખવાનો પણ સમાવેશ થાય છે. એવી આશા છે કે પીએમ મોદીની આ બેઠક મંત્રી પરિષદ અને તમામ સચિવો સાથે 28 અથવા 30 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદી બંને ક્ષેત્રો (અર્થતંત્ર અને વાણિજ્ય)ના પરિણામોની સ્થિતિની વિગતો લઈ શકે છે. ઉપરાંત, વિકાસ અને નવા રોકાણોને વધુ પ્રોત્સાહિત કરવા માટે નવા લક્ષ્યો અને સમયમર્યાદા નક્કી કરી શકાય છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મંત્રીઓ અને આ બેઠકમાં ભાગ લેનારા સચિવોને જાણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ મુદ્દાઓ પર બેઠક યોજવા માટે કોઈ કાર્યસૂચિ નક્કી કરવામાં આવી નથી.



અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.