વૈશ્વિક મંદીના ભણકારા, ભારત સરકાર સતર્ક, પીએમ મોદી કરશે ઉચ્ચ કક્ષાની મીટિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:16:39

દુનિયાભરમાં વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષે આવનારી વૈશ્વિક મંદીની અસર ભારત પર પણ થશે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે ભારત સરકાર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ અંગે મહત્વની બેઠક યોજવાના છે. વાસ્તવમાં, આ મહિનાના અંતમાં, પીએમ મોદી અર્થતંત્ર અને વાણિજ્યના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મંત્રી પરિષદ અને તમામ સચિવોને મળી શકે છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.


ભારત પર મંદીની થઈ શકે ગંભીર અસર 


વિશ્વ બેંકના તાજેતરના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કેન્દ્રીય બેંકો દ્વારા કડક નાણાકીય નીતિ વચ્ચે વિશ્વ આગામી વર્ષે ગંભીર મંદીનો સામનો કરી શકે છે. આ કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજશે. મીડિયા અહેવાલ મુજબ એક સુત્રએ કહ્યું કે લાંબા સમય સુધી આ પ્રકારની બેઠકોમાં ક્યારેય અર્થવ્યવસ્થા અને વાણિજ્ય પર ચર્ચા થઈ નથી. જોકે આ બેઠક વિશ્વ બેંકના નવા રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં થવા જઈ રહી છે.


આગામી 28 કે 30 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે મીટિંગ 


આ બેઠકના ઉદ્દેશ્યોમાં પ્રાથમિકતા ક્ષેત્રો અને રાજકીય કાર્યોને ઓળખવાનો પણ સમાવેશ થાય છે. એવી આશા છે કે પીએમ મોદીની આ બેઠક મંત્રી પરિષદ અને તમામ સચિવો સાથે 28 અથવા 30 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદી બંને ક્ષેત્રો (અર્થતંત્ર અને વાણિજ્ય)ના પરિણામોની સ્થિતિની વિગતો લઈ શકે છે. ઉપરાંત, વિકાસ અને નવા રોકાણોને વધુ પ્રોત્સાહિત કરવા માટે નવા લક્ષ્યો અને સમયમર્યાદા નક્કી કરી શકાય છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મંત્રીઓ અને આ બેઠકમાં ભાગ લેનારા સચિવોને જાણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ મુદ્દાઓ પર બેઠક યોજવા માટે કોઈ કાર્યસૂચિ નક્કી કરવામાં આવી નથી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.