વૈશ્વિક મંદીના ભણકારા, ભારત સરકાર સતર્ક, પીએમ મોદી કરશે ઉચ્ચ કક્ષાની મીટિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:16:39

દુનિયાભરમાં વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષે આવનારી વૈશ્વિક મંદીની અસર ભારત પર પણ થશે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે ભારત સરકાર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ અંગે મહત્વની બેઠક યોજવાના છે. વાસ્તવમાં, આ મહિનાના અંતમાં, પીએમ મોદી અર્થતંત્ર અને વાણિજ્યના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મંત્રી પરિષદ અને તમામ સચિવોને મળી શકે છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.


ભારત પર મંદીની થઈ શકે ગંભીર અસર 


વિશ્વ બેંકના તાજેતરના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કેન્દ્રીય બેંકો દ્વારા કડક નાણાકીય નીતિ વચ્ચે વિશ્વ આગામી વર્ષે ગંભીર મંદીનો સામનો કરી શકે છે. આ કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજશે. મીડિયા અહેવાલ મુજબ એક સુત્રએ કહ્યું કે લાંબા સમય સુધી આ પ્રકારની બેઠકોમાં ક્યારેય અર્થવ્યવસ્થા અને વાણિજ્ય પર ચર્ચા થઈ નથી. જોકે આ બેઠક વિશ્વ બેંકના નવા રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં થવા જઈ રહી છે.


આગામી 28 કે 30 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે મીટિંગ 


આ બેઠકના ઉદ્દેશ્યોમાં પ્રાથમિકતા ક્ષેત્રો અને રાજકીય કાર્યોને ઓળખવાનો પણ સમાવેશ થાય છે. એવી આશા છે કે પીએમ મોદીની આ બેઠક મંત્રી પરિષદ અને તમામ સચિવો સાથે 28 અથવા 30 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદી બંને ક્ષેત્રો (અર્થતંત્ર અને વાણિજ્ય)ના પરિણામોની સ્થિતિની વિગતો લઈ શકે છે. ઉપરાંત, વિકાસ અને નવા રોકાણોને વધુ પ્રોત્સાહિત કરવા માટે નવા લક્ષ્યો અને સમયમર્યાદા નક્કી કરી શકાય છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મંત્રીઓ અને આ બેઠકમાં ભાગ લેનારા સચિવોને જાણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ મુદ્દાઓ પર બેઠક યોજવા માટે કોઈ કાર્યસૂચિ નક્કી કરવામાં આવી નથી.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.