પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે! ઓસ્ટ્રેલિયાના સીઈઓને મળ્યા પીએમ મોદી! ભારતીય મૂળના લોકોને કરશે સંબોધિત!


  • Published By :
  • Published Date : 2023-05-23 12:41:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. સોમવારે ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન ઉદ્યોગપતિ સાથે પણ મુલાકાત કરવાના છે. મુલાકાત દરમિયાન પીએમે ઉદ્યોગપતિઓને ભારતમાં નિવેશ કરવા આમંત્રણ આપ્યું હતું. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મોટી હસ્તિઓને મળવાના છે. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા સુપરના સીઈઓ, ફોર્ટેસ્કિયુ ફ્યુચરના સીઈઓ સહિતના અનેક ઉદ્યોગપતિ સાથે મુલાકાત કરી હતી. તે ઉપરાંત પીએમ મોદી સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરવાના છે. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ પણ હાજરી આપી શકે છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે 24 માર્ચના રોજ બેઠક કરવાના છે.  


પીએમ મોદીએ અખબારને આપ્યું ઈન્ટરવ્યુ!    

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પીએમ મોદી હાલ ગયા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક લોકો સાથે મુલાકાત કરવાના છે. સોમવારે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન અખબારને ઈન્ટરવ્યું આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધોને નવા સ્તરે લઈ જવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે હું એવી વ્યક્તિ નથી જે સરળતાથી સંતુષ્ટ થઈ જાય, અને હું જાણું છું કે ઓસ્ટ્રેલિયાના પીએમ અબ્લનીઝ પણ આવા જ છે. મને ખાતરી છે કે જ્યારે આપણે ફરીથી સિડનીમાં સાથે હોઈશું, ત્યારે આપણને દ્વિપક્ષીય સંબંધોને આગળના સ્તરે કેવી રીતે લઈ જઈ શકાય તે શોધવાની તક મળશે.


ભારતીય મૂળના લોકોને કરશે પીએમ મોદી સંબોધિત!

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સારા મિત્રો હોવાનો ફાયદો એ છે કે અમારી પાસે ખુલ્લું મન છે અને એકબીજાના વિચારોની પ્રશંસા કરીએ છીએ. ઓસ્ટ્રેલિયા બારતની સ્થિતિને સમજી ચૂંક્યું છે અને તેનાથી અમારા દ્વિપક્ષીય સંબંધો પર કોઈ અસર થવાની નથી. પીએમ મોદી સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20 હજારથી વધુ લોકોને સંબોધિત કરવાના છે. મળતી માહિતી અનુસાર લોકોને કાર્યક્રમ માટે ટ્રેનો અને ખાનગી ચાર્ટર દ્વારા સિડની લાવવામાં આવશે. મોદી એરવેઝ અને મોદી એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદીની હાજરી દરમિયાન હેરિસ પાર્ક વિસ્તારનું નામ બદલવામાં આવશે. હવેથી આ વિસ્તારને લિટલ ઈન્ડિયા નામથી ઓળખવામાં આવશે,  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.