પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે! ઓસ્ટ્રેલિયાના સીઈઓને મળ્યા પીએમ મોદી! ભારતીય મૂળના લોકોને કરશે સંબોધિત!


  • Published By :
  • Published Date : 2023-05-23 12:41:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. સોમવારે ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન ઉદ્યોગપતિ સાથે પણ મુલાકાત કરવાના છે. મુલાકાત દરમિયાન પીએમે ઉદ્યોગપતિઓને ભારતમાં નિવેશ કરવા આમંત્રણ આપ્યું હતું. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મોટી હસ્તિઓને મળવાના છે. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા સુપરના સીઈઓ, ફોર્ટેસ્કિયુ ફ્યુચરના સીઈઓ સહિતના અનેક ઉદ્યોગપતિ સાથે મુલાકાત કરી હતી. તે ઉપરાંત પીએમ મોદી સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરવાના છે. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ પણ હાજરી આપી શકે છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે 24 માર્ચના રોજ બેઠક કરવાના છે.  


પીએમ મોદીએ અખબારને આપ્યું ઈન્ટરવ્યુ!    

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પીએમ મોદી હાલ ગયા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક લોકો સાથે મુલાકાત કરવાના છે. સોમવારે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન અખબારને ઈન્ટરવ્યું આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધોને નવા સ્તરે લઈ જવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે હું એવી વ્યક્તિ નથી જે સરળતાથી સંતુષ્ટ થઈ જાય, અને હું જાણું છું કે ઓસ્ટ્રેલિયાના પીએમ અબ્લનીઝ પણ આવા જ છે. મને ખાતરી છે કે જ્યારે આપણે ફરીથી સિડનીમાં સાથે હોઈશું, ત્યારે આપણને દ્વિપક્ષીય સંબંધોને આગળના સ્તરે કેવી રીતે લઈ જઈ શકાય તે શોધવાની તક મળશે.


ભારતીય મૂળના લોકોને કરશે પીએમ મોદી સંબોધિત!

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સારા મિત્રો હોવાનો ફાયદો એ છે કે અમારી પાસે ખુલ્લું મન છે અને એકબીજાના વિચારોની પ્રશંસા કરીએ છીએ. ઓસ્ટ્રેલિયા બારતની સ્થિતિને સમજી ચૂંક્યું છે અને તેનાથી અમારા દ્વિપક્ષીય સંબંધો પર કોઈ અસર થવાની નથી. પીએમ મોદી સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20 હજારથી વધુ લોકોને સંબોધિત કરવાના છે. મળતી માહિતી અનુસાર લોકોને કાર્યક્રમ માટે ટ્રેનો અને ખાનગી ચાર્ટર દ્વારા સિડની લાવવામાં આવશે. મોદી એરવેઝ અને મોદી એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદીની હાજરી દરમિયાન હેરિસ પાર્ક વિસ્તારનું નામ બદલવામાં આવશે. હવેથી આ વિસ્તારને લિટલ ઈન્ડિયા નામથી ઓળખવામાં આવશે,  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.