અરવિંદ કેજરીવાલ, સંજય સિંહને માનહાનિના કેસમાં સમન્સ, ગુજરાત યુનિવર્સિટીએ ફરિયાદ કરી


  • Published By :
  • Published Date : 2023-04-16 15:58:55

અમદાવાદની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહને સમન્સ જારી કર્યા છે. આ સમન માનહાનિના કેસમાં જારી કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, ગુજરાત યુનિવર્સિટીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાન મોદીની ડિગ્રીના મુદ્દે યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા.


ગુજરાત યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવી  


પોલીસે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદ પરથી આઈપીસીની કલમ 500 હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આનાથી પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે. જેના પર અમદાવાદ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવટિયાએ શનિવારે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ જારી કરીને 23મી મેના રોજ હાજર થવા જણાવ્યું હતું.


કેજરીવાલે લગાવ્યા હતા આરોપ


ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે 'ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 70 વર્ષ પહેલાં થઈ હતી અને લોકોમાં તેની પ્રતિષ્ઠા છે. કેજરીવાલના આ આરોપોએ યુનિવર્સિટીની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેજરીવાલે કહ્યું હતું કે 'જો ડિગ્રી છે અને તે સાચી છે તો તે શા માટે આપી શકાતી નથી?' કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે 'તેઓ ડિગ્રી નથી આપી રહ્યા કારણ કે તે નકલી હોઈ શકે છે'. વડાપ્રધાને દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે તો ગુજરાત યુનિવર્સિટીએ એ વાતની ખુશી મનાવવી જોઈએ કે આપણો વિદ્યાર્થી દેશનો વડાપ્રધાન બન્યો છે.


સંજય સિંહે પણ કર્યા હતા આક્ષેપ


આપના નેતા સંજય સિંહે પણ કહ્યું કે 'તેઓ PMની નકલી ડિગ્રીને અસલી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે'. કોર્ટની પૂછપરછ દરમિયાન ચાર સાક્ષીઓને પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વકીલે કહ્યું કે આ નિવેદનોએ એવો સંદેશ આપ્યો છે કે યુનિવર્સિટી નકલી ડિગ્રી બહાર પાડે છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.