PM મોદીએ કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયેલા 8 ચિત્તા છોડ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:08:21

નામિબિયાથી આઠ ચિત્તાઓને ખાસ કાર્ગો પ્લેન દ્વારા ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા. આ પછી તેઓને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કિનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડી દીધા હતા.

PM મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયામાંથી 8 ચિત્તા છોડ્યા છે. પીએમ મોદીએ આ ચિત્તાઓને પાંજરાના દરવાજા ખોલીને જંગલમાં છોડી દીધા હતા. 

 


અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આઠ ચિત્તામાંથી પાંચ માદા અને ત્રણ નર છે. તેમને નામિબિયાથી 'પ્રોજેક્ટ ચિતા'ના ભાગરૂપે ભારત લાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામિબિયાથી ચિત્તાને છોડ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આનાથી ભારતની પ્રકૃતિની પ્રેરણા ઝડપથી જાગૃત થશે.


Image

ચિત્તા જોવા માટે થોડા મહિનાનો સમય આપવો પડશે : PM

પીએમ મોદીએ કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં આ ચિત્તાઓને જોવા માટે લોકોએ ધીરજ બતાવવી પડશે અને થોડા મહિના રાહ જોવી પડશે. આ ચિત્તા આ વિસ્તારમાંથી અજાણ્યા મહેમાન તરીકે આવ્યા છે. કુનો નેશનલ પાર્કને ચિત્તાઓનું ઘર બનાવવા માટે આપણે તેમને થોડા મહિના આપવા પડશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.