PM મોદીએ કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયેલા 8 ચિત્તા છોડ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:08:21

નામિબિયાથી આઠ ચિત્તાઓને ખાસ કાર્ગો પ્લેન દ્વારા ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા. આ પછી તેઓને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કિનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડી દીધા હતા.

PM મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયામાંથી 8 ચિત્તા છોડ્યા છે. પીએમ મોદીએ આ ચિત્તાઓને પાંજરાના દરવાજા ખોલીને જંગલમાં છોડી દીધા હતા. 

 


અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આઠ ચિત્તામાંથી પાંચ માદા અને ત્રણ નર છે. તેમને નામિબિયાથી 'પ્રોજેક્ટ ચિતા'ના ભાગરૂપે ભારત લાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામિબિયાથી ચિત્તાને છોડ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આનાથી ભારતની પ્રકૃતિની પ્રેરણા ઝડપથી જાગૃત થશે.


Image

ચિત્તા જોવા માટે થોડા મહિનાનો સમય આપવો પડશે : PM

પીએમ મોદીએ કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં આ ચિત્તાઓને જોવા માટે લોકોએ ધીરજ બતાવવી પડશે અને થોડા મહિના રાહ જોવી પડશે. આ ચિત્તા આ વિસ્તારમાંથી અજાણ્યા મહેમાન તરીકે આવ્યા છે. કુનો નેશનલ પાર્કને ચિત્તાઓનું ઘર બનાવવા માટે આપણે તેમને થોડા મહિના આપવા પડશે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .