PM મોદીએ કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયેલા 8 ચિત્તા છોડ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:08:21

નામિબિયાથી આઠ ચિત્તાઓને ખાસ કાર્ગો પ્લેન દ્વારા ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા. આ પછી તેઓને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કિનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડી દીધા હતા.

PM મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયામાંથી 8 ચિત્તા છોડ્યા છે. પીએમ મોદીએ આ ચિત્તાઓને પાંજરાના દરવાજા ખોલીને જંગલમાં છોડી દીધા હતા. 

 


અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આઠ ચિત્તામાંથી પાંચ માદા અને ત્રણ નર છે. તેમને નામિબિયાથી 'પ્રોજેક્ટ ચિતા'ના ભાગરૂપે ભારત લાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામિબિયાથી ચિત્તાને છોડ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આનાથી ભારતની પ્રકૃતિની પ્રેરણા ઝડપથી જાગૃત થશે.


Image

ચિત્તા જોવા માટે થોડા મહિનાનો સમય આપવો પડશે : PM

પીએમ મોદીએ કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં આ ચિત્તાઓને જોવા માટે લોકોએ ધીરજ બતાવવી પડશે અને થોડા મહિના રાહ જોવી પડશે. આ ચિત્તા આ વિસ્તારમાંથી અજાણ્યા મહેમાન તરીકે આવ્યા છે. કુનો નેશનલ પાર્કને ચિત્તાઓનું ઘર બનાવવા માટે આપણે તેમને થોડા મહિના આપવા પડશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.